હળવદના સુંદરગઢ ગામેથી 500 લિટર દેશી દારૂ ભરેલ થાર-બોલેરો સહિત 15 લાખનો મુદામાલ કબ્જે: આરોપીઓની શોધખોળ મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા બાલ સંસ્કાર અને સત્સંગ કેન્દ્રની શરૂઆત હળવદ ખાતે ૧૧ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે મોરબી: બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ 19 મી સુધી ખુલ્લુ રહેશે ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ
Breaking news
Morbi Today

મોરબીમાં દસ કલાક પહેલા જ સાસરે ગયેલ પરિણીતાએ કર્યો આપઘાત


SHARE

















મોરબીમાં દસ કલાક પહેલા જ સાસરે ગયેલ પરિણીતાએ કર્યો આપઘાત

મોરબીના દરબારગઢ પાસે આવેલ ખત્રીવાડ વિસ્તારમાં રહેતી પરણીતાએ પોતાના ઘરે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આપઘાતના આ બનાવની મૃતક પરણીતાના પિતાએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસની જાણ કરી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં મૃતકના પિતા પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે સાસરીયાઓના ત્રાસના કારણે તેની દીકરીએ આપઘાત કર્યો છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીમાં દરબારગઢ પાસે આવેલ ખત્રીવાડ શેરી નં-૨ માં રહેતા પ્રકાશભાઈ ગીરીશભાઈ ચૌહાણના પત્ની વર્ષાબેન પ્રકાશભાઈ ચૌહાણ (ઉંમર ૨૨) એ પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના અમૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો અને આ બનાવની મૃતકના પિતા સુરેશભાઈ ભીમજીભાઇ ચાવડા દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી હતી વધુમાં મૃતકના પિતા સુરેશભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે છેલ્લા એક પખવાડીયાથી તેમની દીકરી તેઓના ઘરે હતી અને દસ કલાક પહેલા જ તેને તેના સાસરે લઈ ગયા હતા અને ત્યારબાદ તેને આપઘાત કરી લીધો છે અને અગાઉ પણ જયારે ઘરે આવતી હતી ત્યારે સાસરિયાંનો ત્રાસ હોવાનું તેઓને તેની દીકરી કહેતી હતી અને હાલમાં સાસરીયાઓના ત્રાસના કારણે જ તેની દીકરીએ અંતિમ પગલું ભરી લીધેલ છે તેવું મૃતકના પિતા કહી રહ્યા છે




Latest News