ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીના વાવડી રોડ ઉપર રોડ ક્રોસ કરતા વૃદ્ધને રીક્ષા ચાલકે હડફેટે લેતા સારવારમાં


SHARE













મોરબીના વાવડી રોડ ઉપર રોડ ક્રોસ કરતા વૃદ્ધને રીક્ષા ચાલકે હડફેટે લેતા સારવારમાં

મોરબીના વાવડી રોડ ઉપર વૃદ્ધ રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે રિક્ષા ચાલકે તેમને હડફેટ લેતા ઇજાઓ થવાથી વૃદ્ધને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. જાણવા મળતી વિગતો મુજબ મોરબીના વાવડી રોડ ઉપર આવેલ બજરંગ સોસાયટીમાં રહેતા બાબુભાઈ હરસુરભાઇ નાગલા નામના ૭૭ વર્ષીય વૃદ્ધ શહેરના વાવડી રોડ ઉપર રામદેવપીર મંદિર નજીક જનકનગર સોસાયટીના નાકા પાસેથી રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે અજાણ્યા રીક્ષા ચાલકે તેઓને હડફેટ લેતા ઇજાઓ થવાથી તેમને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યા હતા.એ ડિવિજન પોલીસ મથકના પી.એચ.બોરાણા દ્રારા તપાસ કરવામાં આવી રહી છે.જ્યારે મોરબીના વાવડી રોડ ઉપર આવેલ સત્યમ સોસાયટીમાં રહેતા મેહુલ કિરીટભાઈ પનારા નામના ૩૨ વર્ષના યુવાનને નંદનવન સોસાયટી પાસે બાઈક સ્લીપ થઈ જવાના બનેલ બનાવમાં ઇજાઓ થતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

વૃદ્ધા સારવારમાં

મોરબીના કબ્રસ્તાનની પાસેથી બેભાન હાલતમાં હસીનાબેન કુલાભાઇ ભાણેસીયા નામના ૬૦ વર્ષીય વૃદ્ધાને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના જુના બસ સ્ટેશન પાસે થયેલ મારામારીના બનાવવામાં માળીયા મિંયાણાના નવી નવલખી ખાતે રહેતા હસનભાઈ સલેમાનભાઈ જામ નામના ૪૨ વર્ષના યુવાનને ઇજાઓ થતા તેને પણ સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.તેમજ મોરબીની અવધ સોસાયટીમાં રહેતા પ્રવીણભાઈ શેરસીયાનો ૧૪ વર્ષીય પુત્ર યોગી શનાળા રોડ ઉપર જીઆઇડીસી પાસેથી બાઈકમાં બેસીને જતો હતો.તે દરમિયાનમાં તેઓનું બાઈક સ્લીપ થઈ જતા ઈજાઓ થવાથી યોગી પ્રવીણભાઈ શેરસિયા નામના ૧૪ વર્ષીય બાળકને પણ સારવારમાં ખસેડવામાં આવ્યો હતો.

મારામારીમાં ઇજા

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં રહેતા સંગ્રામ કડવાભાઈ મેવાડા (૩૫) અને પોપટ પુના ભરવાડ (૨૩) નામના બે યુવાનોને મહેન્દ્રનગર ગામ પાસે આવેલ એસાર પંપ નજીક મારામારીના બનાવમાં ઈજાઓ થવાથી બંનેને સારવારમાં ખેંચાડવામાં આવ્યા હતા.જ્યારે શહેરના સામાકાંઠે સૌઓરડી પાસે આવેલ ચામુંડાનગર વિસ્તારમાં રહેતા મણીબેન જેઠાભાઇ સોલંકી નામના ૫૬ વર્ષીય વૃદ્ધાને શેરીમાં કોઇ અજાણ્યા બાઈક ચાલકે હડફેટે લેતા તેઓને ઇજાઓ થતાં સારવારમાં લાવવામાં આવ્યા હતા.






Latest News