હળવદના સુંદરગઢ ગામેથી 500 લિટર દેશી દારૂ ભરેલ થાર-બોલેરો સહિત 15 લાખનો મુદામાલ કબ્જે: આરોપીઓની શોધખોળ મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા બાલ સંસ્કાર અને સત્સંગ કેન્દ્રની શરૂઆત હળવદ ખાતે ૧૧ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે મોરબી: બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ 19 મી સુધી ખુલ્લુ રહેશે ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ
Breaking news
Morbi Today

મોરબીમાં કામ બાબતે માતાએ ઠપકો દેતા યુવતીએ આયખું ટુકાવ્યું


SHARE

















મોરબીમાં કામ બાબતે માતાએ ઠપકો દેતા યુવતીએ આયખું ટુકાવ્યું

મોરબીના સામાકાંઠે આવેલ ઉમિયાનગર વિસ્તારમાં રહેતી યુવતીએ તેના ઘેર ગળેફાંસો ખાઈ લેતા તેણીનું મોત નીપજયુ હતું.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠે આવેલ ઉમિયાનગર વિસ્તારમાં રહેતી લતાબેન મોહનભાઈ પરમાર નામની ૨૪ વર્ષીય યુવતીએ તેના ઘરે ગળેફાંસો ખાઈ લેતા તેણીને બેભાન હાલતમાં સારવાર માટે લઈ જવામાં આવી હતી અને ત્યાં તેણીને મૃત જાહેર કરવામાં આવી હતી.બાદમાં પોલીસને જાણ થતા પોલીસે તપાસ કરી હતી અને તેમાં ખુલ્યું હતું કે માતા દ્વારા કામ બાબતે ઠપકો દેવામાં આવતા માઠુ લાગી આવતા મૃતક લતાબેને ઉપરોક્ત અંતિમ પગલું ભરી લીધું હતું.

મારામારીમાં ઈજા થતાં સારવારમાં

મોરબીના સામાકાંઠે ઘુંટુ ગામ પાસે આવેલ ઉમા વિલેજમાં રહેતા દેવલ મનુભાઈ પટેલ નામના ૨૪ વર્ષીય યુવાનને મહેન્દ્રનગર પાસે મારામારીના બનાવમાં ઇજાઓ થતા તેને સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો. જ્યારે ધાંગધ્રા તાલુકાના બાવલી ગામના રહેવાસી ગરીબદાસ ધનદાસ સાધુ નામના ૪૧ વર્ષના યુવાનને મોરબીના ઘુંટુ રોડ ઉપર મહેન્દ્રનગર પાસે વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થતા તેને અહીંની સદભાવના હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.

શોર્ટ લાગતા સારવારમાં

મોરબીના જોધપર નદી ગામે રહેતી પુનમબેન બાબુભાઈ હરખાભાઈ સુરેલા નામની ૧૪ વર્ષીય સગીરાને રીકોન ટેકનો પ્લાય નજીક ઇલેક્ટ્રિક શોટ લાગતા તેણીને અહીંની ક્રિષ્ના હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવી હતી.જ્યારે મોરબીના ૮-એ નેશનલ હાઈવે ઉપર લાલપર ગામ નજીક અજાણ્યા ઇસમની સાથે થયેલ મારામારીના બનાવમાં ઇજાઓ થવાથી અહીંના અજંતા કારખાના પાસે રહેતા દિનેશભાઈ પાંડા નામના યુવાનને સારવાર માટે લાવવામાં આવ્યો હતો.તેમજ શહેરના નવલખી રોડ ઉપર આવેલ યમુનાનગર શેરી નંબર ૩ માં રહેતા જયશ્રીબેન દિનેશભાઈ સારલા નામની ૩૪ વર્ષીય મહિલાને તેના ઘેર થયેલ મારામારીના બનાવમાં ઇજાઓ થવાથી સારવારમાં સિવિલ હોસ્પિટલે લાવવામાં આવી હતી.

વાહન અકસ્માતમાં ત્રણને ઇજા

મોરબીના ભવાની ચોક વિસ્તારમાં રહેતા હારૂનશા હુસેનશા દિવાન જાતે ફકીર, નજમાબેન હારૂનશા અને અમન હારૂનશા નામના એકજ પરીવારના ત્રણ લોકો જામનગરના જોડિયાથી દુધઈ જતા હતા ત્યારે રસ્તામાં તેમનું બાઈક સ્લીપ થઈ જતા તેઓને ઇજાગ્રસ્ત હાલતમાં અત્રેની નક્ષત્ર હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે મૂળ ટંકારાના હડમતીયા ગામના અને હાલ રાજકોટ રહેતા ગીરીશભાઈ હરિભાઈ ચાવડા નામના ૫૨ વર્ષીય આધેડને હડમતીયા ગામે થયેલ મારામારીના બનાવમાં ઇજાઓ થવાથી અત્રેની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.




Latest News