ટંકારા-હીરાપર વચ્ચે રીક્ષા-ટ્રેકટર વચ્ચે અકસ્માત, સાત ઇજાગ્રસ્તો પૈકી એક મહિલાનું મોત મોરબીમાં હિમાલય સેલ્સ એજન્સીના ગોડાઉનમાંથી ડુપ્લીકેટ બાબુ ચુનાના પાર્સલનો જથ્થો મળ્યો: બે સામે ફરિયાદ મોરબીમાં કિન્નરો દ્વારા આશીર્વાદના નામે થતી ખંડણી રોકવા જાહેરનામું પ્રસિદ્ધ કરો: રાજપૂત સમાજના પ્રર્વ પ્રમુખની રજૂઆત ટંકારાના મીતાણા ડેમ અને નદીનું પાણી ખેતી માટે અનામત રાખવા મુખ્યમંત્રીને રજૂઆત મોરબીમાં ડૉ.પ્રશાંત મેરજાની પુણ્યતિથિ નિમિતે મેડિકલ કેમ્પનું આયોજન મોરબીમાં સગીરાના અપહરણ કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો મોરબીના લક્ષ્મીનગર ગામેથી સગીરાનું અપહરણ કરનાર પરિણીત ઢગો ઝડપાયો,જેલ હવાલે મોરબીમાંથી ઉધારમાં ટાઇલ્સ લઈને આપેલ ચેક રિટર્ન થવાના કેસમાં આરોપીને એક વર્ષની સજા: ડબલ રકમ ચૂકવવા કોર્ટનો આદેશ
Breaking news
Morbi Today

મોરબી શહેરમાં અંઘકાર દૂર નહીં થાય તો લોકોને સાથે રાખીને આંદોલન: મહેશ રાજ્યગુરૂ


SHARE











મોરબી શહેરમાં અંઘકાર દૂર નહીં થાય તો લોકોને સાથે રાખીને આંદોલન: મહેશ રાજ્યગુરૂ

 હિન્દુ ધર્મનો પવિત્ર તહેવારોનો મહિનો શ્રાવણ માસ ચાલી રહીયો છે અને લોકો દેવ દર્શન કરવા જતા હોય છે પણ રાત્રિના કેવી રીતે જવુંએ પ્રજા વિચારે છે કારણ મોરબી નગરપાલિકાની અણઆવડતને કારણે મોરબીની શેરી ગલ્લી અને મેઈન રસ્તા ઉપર લાઈટો બે માસથી બંધ હાલતમાં છે તેવો આક્ષેપ મોરબી શહેર કોંગ્રેસનાં માજી પ્રમુખ મહેશભાઇ રાજ્યગુરુ દ્વારા કરવામા આવેલ છે

મોરબીમાં સામાકાંઠેથી ગામમાં આવવા માટેના બંને પુલ પર લાઈટો બંધ છે. નટરાજ ફાટકથી વેજીટેબલ રોડ પર આંઘકાર છે. તેમજ શનાળા રોડ ઉપર લાઈટો બંધ છે અને રોડ રસ્તા પર ખાડા ખબળા અને પશુધન રોડની વચ્ચે જ બેઠા હોય છે જેને કારણે અકસ્માત પણ થવાની શક્યતા રહે છે. ત્યારે મોટા ઉપાડે જાહેરાત કરેલ કે “રસ્તે રખડતા ઢોરને ઉપાડી લેશુ પણ પરિસ્થિતિ શું છેટે લોકો જાણે જ છે અને  પાલિકામાં ફરિયાદ કરવા જાવ તો કહે લાઈટનો સ્ટોક ખલાસ છે..! આવશે ત્યારે નાંખી જશુ..! તેવું શહેર કોંગ્રેસનાં માજી પ્રમુખ મહેશભાઇ રાજ્યગુરુએ જણાવ્યુ છે અને પાલિકાના ભાજપના બાવન સદસ્ય પોતાના શ્વાર્થ માટે અંદરો અંદર લડે છે અને પરેશાની પ્રજાએ ભોગવી પડે છે તો પાલિકાએ આવતા ચોવીસ કલાકમાં તમામ બંધ લાઈટો છે તે ચાલુ કરી પ્રજાની સુવિધામાં વઘારો કરવો જોઇએ નહીંતર લોકહિત માટે પાલિકાની સામે ગમે ત્યારે પ્રજાને સાથે રાખીને આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી પણ મહેશ રાજ્યગુરૂએ આક્રોશપુર્વક ઉચ્ચારી છે હિન્દુ ધર્મનો પવિત્ર તહેવારોનો મહિનો શ્રાવણ માસ ચાલી રહીયો છે અને લોકો દેવ દર્શન કરવા જતા હોય છે પણ રાત્રિના કેવી રીતે જવુંએ પ્રજા વિચારે છે કારણ મોરબી નગરપાલિકાની અણઆવડતને કારણે મોરબીની શેરી ગલ્લી અને મેઈન રસ્તા ઉપર લાઈટો બે માસથી બંધ હાલતમાં છે તેવો આક્ષેપ મોરબી શહેર કોંગ્રેસનાં માજી પ્રમુખ મહેશભાઇ રાજ્યગુરુ દ્વારા કરવામા આવેલ છે

 

મોરબીમાં સામાકાંઠેથી ગામમાં આવવા માટેના બંને પુલ પર લાઈટો બંધ છે. નટરાજ ફાટકથી વેજીટેબલ રોડ પર આંઘકાર છે. તેમજ શનાળા રોડ ઉપર લાઈટો બંધ છે અને રોડ રસ્તા પર ખાડા ખબળા અને પશુધન રોડની વચ્ચે જ બેઠા હોય છે જેને કારણે અકસ્માત પણ થવાની શક્યતા રહે છે. ત્યારે મોટા ઉપાડે જાહેરાત કરેલ કે “રસ્તે રખડતા ઢોરને ઉપાડી લેશુ પણ પરિસ્થિતિ શું છેટે લોકો જાણે જ છે અને  પાલિકામાં ફરિયાદ કરવા જાવ તો કહે લાઈટનો સ્ટોક ખલાસ છે..! આવશે ત્યારે નાંખી જશુ..! તેવું શહેર કોંગ્રેસનાં માજી પ્રમુખ મહેશભાઇ રાજ્યગુરુએ જણાવ્યુ છે અને પાલિકાના ભાજપના બાવન સદસ્ય પોતાના શ્વાર્થ માટે અંદરો અંદર લડે છે અને પરેશાની પ્રજાએ ભોગવી પડે છે તો પાલિકાએ આવતા ચોવીસ કલાકમાં તમામ બંધ લાઈટો છે તે ચાલુ કરી પ્રજાની સુવિધામાં વઘારો કરવો જોઇએ નહીંતર લોકહિત માટે પાલિકાની સામે ગમે ત્યારે પ્રજાને સાથે રાખીને આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી પણ મહેશ રાજ્યગુરૂએ આક્રોશપુર્વક ઉચ્ચારી છે






Latest News