મોરબીના ગુંગણ ગામ નજીક બાઈક જેસીબી સાથે અથડાતા યુવાનનું મોત મોરબીના ગ્રીન ચોકમાં તાજીયાની ધમાલ લેતી વખતે છરી છાતીમાં ઘુસી જતા અબ્દુલશાને ગંભીર ઈજા, પ્રૌઢ રાજકોટ સિવિલમાં સારવાર હેઠળ  માળીયા મીયાણાના ઘાટીલા ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવતીનું સારવાર દરમિયાન મોત વાંકાનેરના રાતાવીરડા ગામની સીમમાં કારખાનામાં રહેતા ભાભી કેન્ટીનમાંથી જમવાનું લાવેલ ન હોય લાગી આવતા ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારાના ઘૂનડા (સ) ગામે રહેતી પરણીતા રિસામણે બેઠેલ હોય સાળાએ બનેવીને ફોન ઉપર અને છરી બતાવીને આપી જાનથી મારી નાખવાની ધમકી ટંકારાના મીતાણા ગામ પાસે કાર ચાલકે ઉડાવતા પોતાના ખેતરના શેઢે ઊભેલા યુવાનનું મોત મોરબીના લાલપર ગામે ઇશાન કોમ્પ્લેક્ષમાં જુગાર રમતા પાંચ પકડાયા: 1 લાખથી વધુની રોકડ કબજે મોરબીમાં વધુ એક હત્યા : રંગપર નજીક મહિલાનું મર્ડર, છ માસના ટૂંકા ગાળામાં ૧૨ જેટલી હત્યાથી ભયનો માહોલ
Breaking news
Morbi Today

મોરબી શહેરમાં અંઘકાર દૂર નહીં થાય તો લોકોને સાથે રાખીને આંદોલન: મહેશ રાજ્યગુરૂ


SHARE









મોરબી શહેરમાં અંઘકાર દૂર નહીં થાય તો લોકોને સાથે રાખીને આંદોલન: મહેશ રાજ્યગુરૂ

 હિન્દુ ધર્મનો પવિત્ર તહેવારોનો મહિનો શ્રાવણ માસ ચાલી રહીયો છે અને લોકો દેવ દર્શન કરવા જતા હોય છે પણ રાત્રિના કેવી રીતે જવુંએ પ્રજા વિચારે છે કારણ મોરબી નગરપાલિકાની અણઆવડતને કારણે મોરબીની શેરી ગલ્લી અને મેઈન રસ્તા ઉપર લાઈટો બે માસથી બંધ હાલતમાં છે તેવો આક્ષેપ મોરબી શહેર કોંગ્રેસનાં માજી પ્રમુખ મહેશભાઇ રાજ્યગુરુ દ્વારા કરવામા આવેલ છે

મોરબીમાં સામાકાંઠેથી ગામમાં આવવા માટેના બંને પુલ પર લાઈટો બંધ છે. નટરાજ ફાટકથી વેજીટેબલ રોડ પર આંઘકાર છે. તેમજ શનાળા રોડ ઉપર લાઈટો બંધ છે અને રોડ રસ્તા પર ખાડા ખબળા અને પશુધન રોડની વચ્ચે જ બેઠા હોય છે જેને કારણે અકસ્માત પણ થવાની શક્યતા રહે છે. ત્યારે મોટા ઉપાડે જાહેરાત કરેલ કે “રસ્તે રખડતા ઢોરને ઉપાડી લેશુ પણ પરિસ્થિતિ શું છેટે લોકો જાણે જ છે અને  પાલિકામાં ફરિયાદ કરવા જાવ તો કહે લાઈટનો સ્ટોક ખલાસ છે..! આવશે ત્યારે નાંખી જશુ..! તેવું શહેર કોંગ્રેસનાં માજી પ્રમુખ મહેશભાઇ રાજ્યગુરુએ જણાવ્યુ છે અને પાલિકાના ભાજપના બાવન સદસ્ય પોતાના શ્વાર્થ માટે અંદરો અંદર લડે છે અને પરેશાની પ્રજાએ ભોગવી પડે છે તો પાલિકાએ આવતા ચોવીસ કલાકમાં તમામ બંધ લાઈટો છે તે ચાલુ કરી પ્રજાની સુવિધામાં વઘારો કરવો જોઇએ નહીંતર લોકહિત માટે પાલિકાની સામે ગમે ત્યારે પ્રજાને સાથે રાખીને આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી પણ મહેશ રાજ્યગુરૂએ આક્રોશપુર્વક ઉચ્ચારી છે હિન્દુ ધર્મનો પવિત્ર તહેવારોનો મહિનો શ્રાવણ માસ ચાલી રહીયો છે અને લોકો દેવ દર્શન કરવા જતા હોય છે પણ રાત્રિના કેવી રીતે જવુંએ પ્રજા વિચારે છે કારણ મોરબી નગરપાલિકાની અણઆવડતને કારણે મોરબીની શેરી ગલ્લી અને મેઈન રસ્તા ઉપર લાઈટો બે માસથી બંધ હાલતમાં છે તેવો આક્ષેપ મોરબી શહેર કોંગ્રેસનાં માજી પ્રમુખ મહેશભાઇ રાજ્યગુરુ દ્વારા કરવામા આવેલ છે

 

મોરબીમાં સામાકાંઠેથી ગામમાં આવવા માટેના બંને પુલ પર લાઈટો બંધ છે. નટરાજ ફાટકથી વેજીટેબલ રોડ પર આંઘકાર છે. તેમજ શનાળા રોડ ઉપર લાઈટો બંધ છે અને રોડ રસ્તા પર ખાડા ખબળા અને પશુધન રોડની વચ્ચે જ બેઠા હોય છે જેને કારણે અકસ્માત પણ થવાની શક્યતા રહે છે. ત્યારે મોટા ઉપાડે જાહેરાત કરેલ કે “રસ્તે રખડતા ઢોરને ઉપાડી લેશુ પણ પરિસ્થિતિ શું છેટે લોકો જાણે જ છે અને  પાલિકામાં ફરિયાદ કરવા જાવ તો કહે લાઈટનો સ્ટોક ખલાસ છે..! આવશે ત્યારે નાંખી જશુ..! તેવું શહેર કોંગ્રેસનાં માજી પ્રમુખ મહેશભાઇ રાજ્યગુરુએ જણાવ્યુ છે અને પાલિકાના ભાજપના બાવન સદસ્ય પોતાના શ્વાર્થ માટે અંદરો અંદર લડે છે અને પરેશાની પ્રજાએ ભોગવી પડે છે તો પાલિકાએ આવતા ચોવીસ કલાકમાં તમામ બંધ લાઈટો છે તે ચાલુ કરી પ્રજાની સુવિધામાં વઘારો કરવો જોઇએ નહીંતર લોકહિત માટે પાલિકાની સામે ગમે ત્યારે પ્રજાને સાથે રાખીને આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી પણ મહેશ રાજ્યગુરૂએ આક્રોશપુર્વક ઉચ્ચારી છે






Latest News