હળવદના સુંદરગઢ ગામેથી 500 લિટર દેશી દારૂ ભરેલ થાર-બોલેરો સહિત 15 લાખનો મુદામાલ કબ્જે: આરોપીઓની શોધખોળ મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા બાલ સંસ્કાર અને સત્સંગ કેન્દ્રની શરૂઆત હળવદ ખાતે ૧૧ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે મોરબી: બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ 19 મી સુધી ખુલ્લુ રહેશે ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ
Breaking news
Morbi Today

મોરબીમાં પરિણીતાને સંતાન ન થતાં હોવાથી મેણાં ટોણાં મારીને મારવા માટે મજબૂર કરી


SHARE

















મોરબીમાં પરિણીતાને સંતાન ન થતાં હોવાથી મેણાં ટોણાં મારીને મારવા માટે મજબૂર કરી: ગુનો નોંધાયો

મોરબીના દરબારગઢ પાસે આવેલ ખત્રીવાડ વિસ્તારમાં રહેતી પરણીતાએ પોતાના ઘરે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી આપઘાતના આ બનાવમાં મૃતક પરણીતાના પિતાએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેના જમાઈ સહિત ચાર સામે દીકરીને સંતાન ન થતાં હોવાથી મેણાં ટોણાં મારીને તેમજ ઘરકામ બાબતે ત્રાસ આપીને મારવા માટે મજબૂર કરી હોવાની ફરિયાદ નોંધાવી છે જેથી કરીને પોલીસે મહિલાના પતિ સહિત ચાર સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબીમાં દરબારગઢ પાસે આવેલ ખત્રીવાડ શેરી નં-૨ માં રહેતા પ્રકાશભાઈ ગીરીશભાઈ ચૌહાણના પત્ની વર્ષાબેન પ્રકાશભાઈ ચૌહાણ (ઉંમર ૨૨) એ પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો અને આ બનાવમાં મૃતકના પિતા સુરેશભાઈ ભીમજીભાઇ ચાવડા રહે. પખાલી શેરી મોરબી વાળાએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જમાઈ પ્રકાશભાઇ ગીરીશભાઇ ચૌહાણ, યોગેશભાઇ ગીરીશભાઇ ચૌહાણ (જેઠ), કલાવતીબેન ગીરીશભાઇ ચૌહાણા (સાસુ) અને અવનીબેન યોગેશભાઇ ચૌહાણ (જેઠાણી) રહે. બધા ખત્રીવાડ શેરી નં.-૨ કૂષ્ણ મહેલ પાસે વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, અવાર-નવાર ઘરકામ બાબતે તેમજ લગ્ન થયાના ચારેક વર્ષ થયા હોવા છતા તને બાળક કેમ થતુ નથી તેવા મેણા ટોણા મારી જેમ ફાવે તેમ બોલી શારિરીક માનશીક દુખ ત્રાસ આપતા હતા અને ફરીયાદીની દિકરીને મરવા માટે મજબુર કરતા તેને ગળાફાંસો ખાઇ આપઘાત કરેલ છે જેથી પોલીસે હાલમાં મૃતકના પિતાની ફરિયાદ લઈને આઇપીસી ૩૦૬, ૪૯૮(ક), ૫૦૪ અને ૧૧૪ મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે અત્રે ઉલેખનીય છે કે, ગઇકાલે મૃતકના પિતા સુરેશભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે છેલ્લા એક પખવાડીયાથી તેમની દીકરી તેઓના ઘરે હતી અને દસ કલાક પહેલા જ તેને તેના સાસરે લઈ ગયા હતા અને ત્યારબાદ તેને આપઘાત કરી લીધો હતો




Latest News