મોરબીના વાવડી રોડે ઉબડખાબડ રોડ, ગંદકી, રજડતા ઢોરના પ્રશ્નો કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન: મહિલાઓએ છાજિયા લીધા મોરબીના રામધન આશ્રમના પુલ નજીક અજાણ્યા વાહન  ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો વાંકાનેરમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક સંપન્ન હળવદ તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપી કોર્ટમાંથી જામીન મુક્ત મોરબીમાં ભાગીદારીમાં કારખાનું શરૂ કરનાર રાજકોટના યુવાન સાથે બે ભાગીદાર સહિત કુલ પાંચ વ્યક્તિએ કરી 81.40 લાખની ઠગાઇ હળવદના જુના ઇસનપુર ગામે ચૂંટણીનો ખાર રાખીને વૃદ્ધ સહિત ચાર વ્યક્તિઓને 19 થી વધુ લોકોએ માર માર્યો વાંકાનેરના ઢુવા માટેલ રોડે કોલસો ભરેલ ટ્રક ટ્રેલર પલટી જતાં કેબિનમાં દબાઈ જવાથી યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે રહેતા યુવાનને અમદાવાદના શખ્સે ફોન-મેસેજ કરીને આપી ગુલાબી ગેંગના હાથે મરાવી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

મોરબીના સિરામિક યુનિટમાં ભઠ્ઠીમાં લાગેલી આગથી કારખાનેદાર સહિત આઠ દાઝ્યા : ત્રણને રાજકોટ ખસેડાયા


SHARE

















મોરબીના સિરામિક યુનિટમાં ભઠ્ઠીમાં લાગેલી આગથી કારખાનેદાર સહિત આઠ દાઝ્યા : ત્રણને રાજકોટ ખસેડાયા

મોરબીના જેતપર રોડ ઉપર રંગપર ગામ નજીક આવેલ કારખાનામાં પ્રોપેન ગેસ પાઇપ લાઇન વાટે ભઠ્ઠીમાં પહોંચાડવા માટેની કામગીરી ચાલુ હતી તે દરમિયાનમાં કોઈ કારણોસર ગેસ ભઠ્ઠીના બર્નર સુધી પહોંચી જતા આગ લાગી ગઈ હતી જેમાં કારખાનેદાર સહિત કુલ આઠ લોકો દાજી જવાથી તેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જે પૈકી ત્રણની હાલત નાજુક જણાતા રાજકોટ લઈ જવાયા હોવાનું જાણવા મળે છે.

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ જેતપર રોડ ઉપર રંગપર ગામ પાસે આવેલા ઇટાકોન સીરામીકમાં ગઇકાલ તા.૬-૭ ના સાંજે ચારેક વાગ્યે આગ લાગવાનો બનાવ બન્યો હતો.જેમાં ભઠ્ઠીમાં લાગેલી આગના લીધે કારખાનેદાર સહિત આઠ લોકો દાજી ગયા હતા.જેમાં રવિભાઇ આદ્રોજા (૨૯), કેવલ વરમોરા, જીતેન્દ્ર વામજા (૪૦), તરુણ ઈશ્વર મારવાણીયા (૪૧), પરેશ જયંતિ વરમોરા (૩૨), અરવિંદ દયારામભાઈ, અમરશી યાદવ (૨૪) અને ભાવેશ મનહર વાઘડિયા (૩૧) ને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા અને જે પૈકી પરેશ વરમોરા, જીતેન્દ્ર વામજા અને રવિ આદ્રોજાની હાલત ગંભીર જણાતા તેઓને વધુ સારવાર માટે હાલ રાજકોટ લઈ જવાયા હોવાનું જાણવા મળેલ છે.

વધુમાં સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ હાલ ગુજરાત ગેસના ભાવમાં વધારાને લઈને તેની અવેજમાં સીરામીક ઉદ્યોગમાં પ્રોપેન ગેસનો વપરાશ વધ્યો છે. પ્રોપેન ગેસની કેપ્સુલમાંથી પાઇપલાઇન વાટે ગેસને ભઠ્ઠી સુધી પહોંચાડવાની કામગીરી ચાલુ હતી ત્યારે પાઇપલાઇનમાં પાણી છે કે કેમ તે ચેક કરવા દરમિયાન કોઈ કારણસર પ્રોપેન ગેસ લીકેજ થયો હતો અને ગેસ બર્નર સુધી પહોંચી ગયો હતો અને બર્નરમાં આગ લાગી જવાના લીધે ઉપરોક્ત અકસ્માત સર્જાયો હતો અને આગ લાગવાની આ ઘટના બની હતી.જેમાં કારખાનેદાર સહિત આઠ લોકો દાજી જતા તેઓને મોરબી બાદ આઠ પૈકીના ત્રણને રાજકોટ ખસેડાયા હોવાનું હાલ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.




Latest News