ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબી-માળિયા તાલુકામાં વરસાદના પાણી રોકવામાં આવે તો ખેડૂતો-લોકોને ઘણો ફાયદો: કે.ડી બાવરવા


SHARE













મોરબી-માળિયા તાલુકામાં વરસાદના પાણી રોકવામાં આવે તો ખેડૂતો-લોકોને ઘણો ફાયદો: કે.ડી બાવરવા

મોરબી અને માળિયા તાલુકામાં વરસાદના પાણીના નિકાલ મોટાભાગની જગ્યાએ બંધ કરી દેવામાં આવેલ છે જેથી કરીને આ તમામ વહેણોને ઉડી તેમજ પહોળી કરીને તળાવો ભરવા તેમજ પાણી સંગ્રહ કરવા યોગ્ય કરવાની ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી દ્વારા સીએમને રજૂઆત કરવામાં આવેલ છે

સરકાર દ્વારા લોકોને સ્વ ઉપયોગી માટે કે ઔધ્યોગિક ઉપયોગ માટેના બોર કરવા હોય તો પણ એનઓસી ફરજીયાત કરેલ છે અને ૧૦,૦૦૦ ની ફી પણ નક્કી કરેલ છે પરંતુ વરસાદના પાણી દરિયામાં વહી જતા હોય છે તેની સરકારને કોઈ ચિંતા નથી વરસાદ વરસતા વરસાદનું પાણી જે નદી, વોકળા, વહેણોમાં થઇને દરિયામાં વહી જય છે. તે પાણીને રોકવા અને તેને યોગ્ય જગ્યાએ વળીને સંગ્રહ કરવા માટે સરકાર કાંઈ જ કરતી નથી તેવું ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવાએ જણાવ્યુ છે અને આ મુદે તેમણે સીએમને રજૂઆત કરેલ છે

તેમણે કરેલી રજૂઆતમાં જણાવ્યુ છે કે, મોરબી જીલ્લામાં ઘણા ગામ તળાવો તેમજ સીમ તળાવો આવેલ છે. આ તળાવોમાં પાણી લાવતી વહેણોની યોગ્ય સાર સંભાળના અભાવે તેમાં પાણી વહી શકે તેવું રહ્યું નથી તેમજ અમુક ગામોને જોડતા રસ્તાઓ તેમજ સીમ રસ્તાઓ મારફતે પણ પાણી ચાલતું હોય છે. ત્યા દબાણ  થવાથી તેમજ માટીનું પુરાણ થવાથી પાણીના રસ્તા સાંકડા થઇ ગયેલ છે. જેને પહોળા અને સરખા કરવા માંગ કરી છે તેમજ તળાવોને સુઝલામ સુફલામ જેવા સારા નામે ભ્રષ્ટાચાર કરવાનું માધ્યમ બનાવવામાં આવેલ છે. આગાઉ મોરબી જીલ્લામાં ભ્રષ્ટાચારનું એક મોટું કૌભાંડ બહાર પાડવામાં આવેલ છે અને તેમાં મોટા માથાઓની સંડોવણીઓ પણ બહાર આવેલ હતી અને એક ધારાસભ્યને જેલવાસ પણ ભોગવવો પડેલ હતો.

 જો સરકારને પાણી બચાવવાની ચિંતા હોય તો બધા જ તળાવોને ખરેખર ઊંડા કરીને તેના પાળાઓની  મજબૂતી કરવામાં આવે તે જરૂરી છે અને આ આયોજન ખુબજ સરળ અને ખુબ જ ઓછા ખર્ચે જમીન સંપાદનની ઝંઝટ વગર આ કામ થઈ શકે તેમ છે જો  મોરબીના નાની વાવડી, જેપુર, ખાખરાળા, બરવાળા, લુટાવદર, પીપળીયા, ચચાવદરડા, તરઘરી, મોટા દહીસરા, લક્ષ્મીવાસ અને ત્યાંથી વવાણિયા પાસે દરિયામાં વરસાદી પાણી ભળી જાય છે. તેવી જ રીતે ગોરખીજડિયા, વનાળીયા, ખાખરાળા, ખેવારીયા, મહેંન્દ્ર ગઢ, સરવડ, મોટા ભેલા, ભાવપર, થઇને દરિયામાં વરસાદી પાણી ભળી જય છે. તેને રોકવામાં આવે તો ખેડૂતોને સિંચાઈ માટે અને લોકો પીવાના પાણી માટે ઘણો ફાયદો થાય તેમ છે






Latest News