ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં વહિવટી તંત્ર દ્વારા વરસાદી સીઝનમાં  સાવચેતીની માર્ગદર્શિકા બહાર પડાઈ


SHARE













મોરબી જીલ્લામાં વહિવટી તંત્ર દ્વારા વરસાદી સીઝનમાં  સાવચેતીની માર્ગદર્શિકા બહાર પડાઈ

હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવેલ છે. જેમાં મોરબી જિલ્લા માટે પણ ભારે વરસાદની આગાહી આપવામાં આવેલ છે, જેના કારણે જિલ્લામાં આવેલ ડેમ, નદી- નાળા,તળાવો ઓવરફલો થવાની શકયતાઓ રહેલ છે.

ગત વર્ષોમાં લોકો દ્વારા ગફલતમાં રહી ખોટા સાહસ કરી પાણીમાં ન્હાવા પડાવાથી, પાણીમાં ડુબી જવાથી, વરસાદી પાણીના પ્રવાહમાંથી પસાર થવાના જોખમી પ્રયાસ કરવાના કારણે, તણાઈ જવાના કારણે માનવ મૃત્યુના બનાવો બનેલ છે. આ ઉપરાંત આકાશી  વીજળી પડવાના કારણે પણ માનવ તેમજ પશુ મૃત્યુના બનાવો બનેલ છે. આ અનુસંધાને મોરબી જિલ્લા વહિવટી તંત્ર દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે કે, વરસાદની ઋતુમાં લોકોએ ગફલતમાં ન રહેવું. પાણી ભરાયેલ હોય તેવા સ્થળે પ્રવેશ કરવો નહીં કે ન્હાવા પડવુ નહી, બાળકોને પણ આવા પાણીથી દૂર રાખવા તથા બીન-જરૂરી સાહસ કરી પાણીના પ્રવાહમાં વાહનો સાથે કે ચાલીને પસાર થવું નહી.

આકાશી  વીજળીથી બચવા માટે ભારતના હવામાન વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલ ''DAMINI'' એપ મોબાઈલમાં પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી આપના વિસ્તારમાં  વીજળી પડવા થવાની શકયતાઓ અંગે અગાઉથી જાણકારી મળી રહેશે. અને ભારે વરસાદ/પુર/ચોમાસા દરમિયાન કોઈ અઘટિત બનાવ બને તો તાત્કાલીક મામલતદાર કચેરી તાલુકા, પંચાયત કચેરી તથા તાલુકા કક્ષાના કંટ્રોલરૂમ ખાતે અથવા જિલ્લા કક્ષાનાં કંટ્રોલરૂમ ખાતે ફોન નં. ૦૨૮૨૨ ૨૪૩૩૦૦ ઉપર તુરંત જાણ કરવા મોરબી જિલ્લા વહિવટી તંત્ર દ્વારા જાહેર જનતાને અનુરોઘ કરવામાં આવે છે.






Latest News