મોરબી: રવાપર તાલુકા શાળાના ધો.8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમરોહ યોજાયો વાંકાનેરના સમથેરવા ગામની સીમ હત્યા કરાયેલ યુવાનના વાલી-વારસની શોધખોળ ચાલુ મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ: 511 ફોર્મ ઉપાડ્યા, હજુ ભરાયા માત્ર 75, ભાજપના સત્તાવાર ઉમેવદારો જાહેર ન કરાતા અવઢવ મોરબી મહાનગરપાલિકા ચૂંટણી: પૂર્વ પ્રમુખ લલીતભાઈ કામરીયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી મોરબી તાલુકા પોલીસે નવ વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડ્યો મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ: ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની ટંકારાના લજાઈ પાસેનો બનાવ: મારી પત્ની તારા લીધે મારા છોકરા અને મને મૂકીને જતી રહી કહીને યુવાને કરી નાખી મહિલાની હત્યા ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં પરિણીતાના આપઘાતના બનાવમાં પતિ-જેઠની ધરપકડ


SHARE











મોરબીમાં પરિણીતાના આપઘાતના બનાવમાં પતિ-જેઠની ધરપકડ

મોરબીની ખત્રીવાડમાં પરણીતાએ કરેલા આપઘાતના બનાવમાં મૃતકના પિતાએ નોંધાવેલ ફરિયાદના આધારે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા હાલમાં મૃતક મહિલાના પતિ અને જેઠની ધરપકડ કરેલ છે અને બાકીના આરોપીઓને પકડવા માટે તજવીજ ચાલી રહી છે

મોરબીમાં આવેલ ખત્રીવાડમાં પ્રકાશભાઈ ગીરીશભાઈ ચૌહાણના પત્ની વર્ષાબેન પ્રકાશભાઈ ચૌહાણ (ઉંમર ૨૨) એ ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો જે બનાવમાં મૃતક મહિલાના મોરબીની પખાલી શેરીમાં રહેતા પિતા સુરેશભાઈ ભીમજીભાઇ ચાવડાએ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જમાઈ પ્રકાશભાઇ ગીરીશભાઇ ચૌહાણ, યોગેશભાઇ ગીરીશભાઇ ચૌહાણ (જેઠ), કલાવતીબેન ગીરીશભાઇ ચૌહાણા (સાસુ) અને અવનીબેન યોગેશભાઇ ચૌહાણ (જેઠાણી) રહે. બધા ખત્રીવાડ શેરી નં.-૨ વાળાની સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને જણાવ્યુ હતુ કે, અવાર-નવાર ઘરકામ બાબતે તેમજ લગ્ન થયાના ચારેક વર્ષ થયા હોવા છતા તને બાળક કેમ થતુ નથી તેવા મેણા ટોણા મારીને દુખત્રાસ આપતા હતા જેથી ફરિયાદીની દીકરીએ આપઘાત કરી લીધો હતો અને પોલીસે મૃતકના પિતાની ફરિયાદ લઈને આઇપીસી ૩૦૬, ૪૯૮(ક), ૫૦૪ અને ૧૧૪ મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ હતા આ ગુનામાં પોલીસે હાલમાં પ્રકાશભાઇ ગીરીશભાઇ ચૌહાણ (૩૩) અને યોગેશભાઇ ગીરીશભાઇ ચૌહાણ (૩૬) રહે. ખત્રીવાડ શેરી નં.-૨ વાળાની ધરપકડ કરેલ છે

યુવાન સારવારમાં
માટેલ રોડ ઉપર આવેલ સદભાવ સીરામીક નજીક રહેતા અને મજૂરી કામ કરતા ગોરખસિંગ ગૌરીસિંગ નામનો મજૂર કામ કરી રહ્યો હતો દરમિયાન તેને સાપ કરડી જતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યારે હળવદના ઇન્દ્રાણા ગામ પાસે બાઈક સ્લીપ થઈ જવાથી બાઈકમાં બેઠેલા વનીબેન કુંભારિયા જાતે ભરવાડ નામના ૩૯ વર્ષીય મહિલાને ઈજાઓ થવાથી તેઓને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા. તેમજ મોરબીના રવાપર કેનાલ રોડ ઉપર બાઈક સ્લીપ થઈ જવાથી તે બાઈકમાં બેઠેલા નંદનીબેન કેતનભાઇ ચાવડા નામની યુવતીને ઈજાઓ થવાથી તેને પણ સારવારમાં ખસેડવામાં આવી હતી.

આધેડ સારવારમાં
માળિયા મીયાણા નજીકના બોડકી ગામના રહેવાસી રમેશ વસ્તાભાઈ સુવારીયા નામના ૫૦ વર્ષીય આધેડ મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ઉમિયા સર્કલ પાસેથી બાઈક લઈને જતા હતા ત્યારે રસ્તામાં તેનું બાઇક સ્લીપ થઈ ગયું હતું જેથી રમેશભાઈને સારવારમાં ખસેડાયા હતા. તો મોરબીના બેલા (આમરણ) ગામના રહેવાસી અશ્વિનભાઈ રામજીભાઈ કાસુન્દ્રા નામનો ૩૦ વર્ષે યુવાન વિનય વિદ્યામંદિર સ્કૂલ તરફથી પરત પોતાના ઘર તરફ જતો હતો ત્યારે રસ્તામાં વીરપડા ગામના પાટીયા નજીક તેના બાઇક આડે કૂતરૂ આડુ ઉતરતા બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી ઇજા પામેલા અશ્વિનભાઈને સારવાર માટે મોરબી ખસેડાયા હતા.






Latest News