મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં જાતે જ બ્લેડ વડે હાથની નસ કાપી લેતા પરિણિતા સારવારમાં


SHARE







મોરબીમાં જાતે જ બ્લેડ વડે હાથની નસ કાપી લેતા પરિણિતા સારવારમાં

મોરબીના મુનનગર પાસે આવેલ સતનામ નગરમાં રહેતા દિવ્યાબેન જયદીપભાઇ પટેલ નામની ૨૨ વર્ષીય પરિણિતાએ જાતે જ બ્લેડ વડે પોતાના હાથની નસ કાપી લેતા તેણીને સારવાર માટે અહીંની નક્ષત્ર હોસ્પિટલમાં સાવરાર માટે લાવવામાં આવી હતી.બનાવને પગલે એ ડિવિઝન પોલીસને જાણ થતા એચ.એમ.ચાવડા તેમજ રાયટર સંજયભાઇ દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા ખુલ્યુ હતું કે પરિણીતા દિવ્યાબેન વારંવાર માવતરે જતા હોય પતિ દ્વારા વારંવાર માવતરે ન જવા માટે જણાવવામાં આવ્યું હતું તેથી તે બાબતે સામાન્ય ઝઘડો થતા ગુસ્સામાં આવીને તેઓએ ઉપરોક્ત પગલુ ભરી લીધું હતું..! જ્યારે મોરબી તાલુકાના વાઘપર ગામે ખેતરમાં રમી રહેલ નર્મીબેન કેવલભાઈ કૈડા નામની ૧૦ વર્ષની બાળકીને સાપ કરડી જતા તેણીને અત્રેની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવી હતી.

મારામારીમાં ઈજા થતા સારવારમાં

મોરબીના સામાકાંઠે મહેન્દ્રસિંહજી હોસ્પિટલ સામે આવેલ આઠ ઓરડી વિસ્તારમાં રહેતા મહાવીર મનોજભાઈ રાઠોડ નામના ૧૬ વર્ષીય યુવાનને ઇજાઓ થવાથી તેને સારવાર માટે સામાકાંઠા આવેલ સમર્પણ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો.સામાકાંઠે આવેલ ત્રાજપર ગામે સમાજની વાડી પાસે મારામારીના બનાવવામાં માથાના ભાગે સળીયો લાગતા મહાવીર રાઠોડને સારવારમાં ખસેડાયો હોવાનો પોલીસ સુત્રો દ્વારા જાણવા મળેલ છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબી તાલુકાના માણેકવાડા ગામના રહેવાસી મોહનભાઈ ભીમજીભાઇ રાઠોડ નામના ૭૧ વર્ષીય વૃદ્ધ પોતાનું લુના મોપેડ લઈને બગથળા નજીકથી જતા હતા ત્યારે અજાણ્યા બાઈક ચાલકે તેઓને હડફેટે લેતા મોહનભાઈને ઇજાઓ થવાથી સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.






Latest News