ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીના શ્રી જુના દેવળીયા કુમાર પ્રા.શાળા તેમજ રત્નમણી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ જવાહર નાવોદય પરિક્ષામા ઉત્તીર્ણ


SHARE













મોરબીના શ્રી જુના દેવળીયા કુમાર પ્રા.શાળા તેમજ રત્નમણી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ જવાહર નાવોદય પરિક્ષામા ઉત્તીર્ણ

દર વર્ષે જવાહર નવોદય વિદ્યાલય દ્વારા ધોરણ ૬ માટેની પ્રવેશ પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે. આ પરીક્ષા ધોરણ ૫ માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ આપી શકે છે. આ પરીક્ષા ઉત્તીર્ણ કરનારને કેન્દ્ર સરકાર તરફથી જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ ૬ થી ૧૨ સુધી ગુણવત્તાયુક્ત શિક્ષણ, પોષણયુક્ત ભોજન તેમજ હોસ્ટેલની સુવિધા તદ્દન ફ્રી હોય છે. આ વર્ષે જવાહર નવોદય વિદ્યાલયની પ્રવેશ પરીક્ષામાં જુના દેવળીયા ગામની સરકારી શાળા શ્રી જુના દેવળીયા કુમાર પ્રાથમિક શાળાનો વિદ્યાર્થી દલસણિયા ધ્વનિત અનિલભાઈ ઉત્તીર્ણ થયો છે.તેમજ મોટીબરાર ગામની રત્નમણી પ્રાથમિક શાળાનો વિદ્યાર્થી ખડોલા દક્ષ કિર્તનભાઈ પણ ઉત્તીર્ણ થયો છે.જવાહર નવોદયની આ અતિ કઠિન મનાતી પરીક્ષામાં ઉજ્જવળ દેખાવ કરીને બંને વિદ્યાર્થીઓએ પોતાના માતા-પિતા, ગામ અને પ્રાથમિક શાળાઓનું ગૌરવ વધાર્યું છે.

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ

૯ જુલાઈ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનો સ્થાપના દિવસ હતો.૭૪ માં સ્થાપના દિવસ નિમિતે રાષ્ટ્રીય વિદ્યાર્થી દિવસ નિમિત્તે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના જિલ્લા સંયોજક વિશ્વરાજસિંહ જાડેજાએ સૌ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી.મોરબી જિલ્લામાં ૯ જુલાઈ વિદ્યાર્થી દિવસ નિમિતે આગામી દિવસોમાં વિવિધ કાર્યક્રમો યોજાશે તેમજ નગર કારોબારીની ઘોષણા પણ કરાશે તેમ યાદીમાં જણાવાયેલ છે.






Latest News