માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબીના શ્રી જુના દેવળીયા કુમાર પ્રા.શાળા તેમજ રત્નમણી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ જવાહર નાવોદય પરિક્ષામા ઉત્તીર્ણ


SHARE

















મોરબીના શ્રી જુના દેવળીયા કુમાર પ્રા.શાળા તેમજ રત્નમણી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ જવાહર નાવોદય પરિક્ષામા ઉત્તીર્ણ

દર વર્ષે જવાહર નવોદય વિદ્યાલય દ્વારા ધોરણ ૬ માટેની પ્રવેશ પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે. આ પરીક્ષા ધોરણ ૫ માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ આપી શકે છે. આ પરીક્ષા ઉત્તીર્ણ કરનારને કેન્દ્ર સરકાર તરફથી જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ ૬ થી ૧૨ સુધી ગુણવત્તાયુક્ત શિક્ષણ, પોષણયુક્ત ભોજન તેમજ હોસ્ટેલની સુવિધા તદ્દન ફ્રી હોય છે. આ વર્ષે જવાહર નવોદય વિદ્યાલયની પ્રવેશ પરીક્ષામાં જુના દેવળીયા ગામની સરકારી શાળા શ્રી જુના દેવળીયા કુમાર પ્રાથમિક શાળાનો વિદ્યાર્થી દલસણિયા ધ્વનિત અનિલભાઈ ઉત્તીર્ણ થયો છે.તેમજ મોટીબરાર ગામની રત્નમણી પ્રાથમિક શાળાનો વિદ્યાર્થી ખડોલા દક્ષ કિર્તનભાઈ પણ ઉત્તીર્ણ થયો છે.જવાહર નવોદયની આ અતિ કઠિન મનાતી પરીક્ષામાં ઉજ્જવળ દેખાવ કરીને બંને વિદ્યાર્થીઓએ પોતાના માતા-પિતા, ગામ અને પ્રાથમિક શાળાઓનું ગૌરવ વધાર્યું છે.

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ

૯ જુલાઈ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનો સ્થાપના દિવસ હતો.૭૪ માં સ્થાપના દિવસ નિમિતે રાષ્ટ્રીય વિદ્યાર્થી દિવસ નિમિત્તે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના જિલ્લા સંયોજક વિશ્વરાજસિંહ જાડેજાએ સૌ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી.મોરબી જિલ્લામાં ૯ જુલાઈ વિદ્યાર્થી દિવસ નિમિતે આગામી દિવસોમાં વિવિધ કાર્યક્રમો યોજાશે તેમજ નગર કારોબારીની ઘોષણા પણ કરાશે તેમ યાદીમાં જણાવાયેલ છે.




Latest News