મોરબી શહેરમાં આવેલ જીલ્લા પંચાયત હસ્તકની પ્રથામિક શાળાઓ મહાપાલીકા હસ્તક લેવા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખની માંગ મોરબી જુના અમરાપર શાળામાં વિધાર્થીઓને સરગવાના વૃક્ષો આપી શાળા પ્રવેશ આપ્યો મોરબીના પીપળી ગામે બે કલાકમાં 155 વૃક્ષોનું રોપણ કરાયું મોરબીમાં પીજીવીસીએલ દ્વારા સલામતી સપ્તાહની ઉજવણી કરાશે માળિયા (મી)માં ધો. ૯ ના વિદ્યાર્થીઓના પ્રવેશ પ્રશ્ન બાબતે પાલિકા પ્રમુખની રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ફ્લાયઓવર બ્રિજની કામગીરીની મુલાકાત લેતા કલેક્ટર સ્વપ્નિલ ખરે જો 48 કલાકમાં મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનનો નિર્ણય ન આવે તો આંદરણા ગ્રામ પંચાયતની બોડી મૂકશે સામૂહિક રાજીનામુ ચોમાસુ ખેંચાતા ખેડૂતો ચિંતાતુર: હળવદના બ્રાહ્મણી 2 ડેમમાંથી સિંચાઈનું પાણી આપવા માટે 7 ગામના ખેડૂતોની માંગ
Breaking news
Morbi Today

મોરબીના બગથળા પાસે બાઇક સ્લીપ થતાં આધેડનું મોત


SHARE









મોરબીના બગથળા પાસે બાઇક સ્લીપ થતાં આધેડનું મોત

મોરબી નજીકના બગથળા ગામ થી માણેકવાડા તરફ જતા રસ્તા ઉપરથી બાઇક લઈને પસાર થતા આધેડનું બાઈલ સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને આધેડને ઇજા થઈ હોવાથી તેનું મોત નીપજ્યું હતું હાલમાં અકસ્માત મૃત્યુના બનાવવામાં મૃતક આધેડના દીકરાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી તાલુકાના માણેકવાડા ગામે રહેતા જેન્તીભાઈ પરસોતમભાઈ ચનિયારા જાતે પટેલ (ઉંમર ૫૫) પોતાનું બાઈક નંબર જીજે ૩ ઈડી ૬૬૯૩ લઈને ગત તા.૧૭/૬ ના સાંજના છ વાગ્યાના અરસામાં પોતાના ગામ માણેકવાડા તરફ જઈ રહ્યા હતા ત્યારે બગળા થી માણેકવાડા ગામ તરફ જતા રસ્તા ઉપર આવતા ભગવતી કારખાના સામે તેનું બાઈક કોઈ કારણોસર સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને જયંતીભાઈ ચાનીયારાને માથામાં ગંભીર ઈજા થઈ હોવાથી તેનું મોત નીપજયું હતું જે બનાવમાં હાલમાં મૃતકના દીકરા હિતેશભાઈ જયંતીભાઈ ચાનીયારા જાતે પટેલ (ઉંમર ૩૨)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે મૃતક આધેડની સામે ગુનો નોંધીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News