ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીના બગથળા પાસે બાઇક સ્લીપ થતાં આધેડનું મોત


SHARE













મોરબીના બગથળા પાસે બાઇક સ્લીપ થતાં આધેડનું મોત

મોરબી નજીકના બગથળા ગામ થી માણેકવાડા તરફ જતા રસ્તા ઉપરથી બાઇક લઈને પસાર થતા આધેડનું બાઈલ સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને આધેડને ઇજા થઈ હોવાથી તેનું મોત નીપજ્યું હતું હાલમાં અકસ્માત મૃત્યુના બનાવવામાં મૃતક આધેડના દીકરાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી તાલુકાના માણેકવાડા ગામે રહેતા જેન્તીભાઈ પરસોતમભાઈ ચનિયારા જાતે પટેલ (ઉંમર ૫૫) પોતાનું બાઈક નંબર જીજે ૩ ઈડી ૬૬૯૩ લઈને ગત તા.૧૭/૬ ના સાંજના છ વાગ્યાના અરસામાં પોતાના ગામ માણેકવાડા તરફ જઈ રહ્યા હતા ત્યારે બગળા થી માણેકવાડા ગામ તરફ જતા રસ્તા ઉપર આવતા ભગવતી કારખાના સામે તેનું બાઈક કોઈ કારણોસર સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને જયંતીભાઈ ચાનીયારાને માથામાં ગંભીર ઈજા થઈ હોવાથી તેનું મોત નીપજયું હતું જે બનાવમાં હાલમાં મૃતકના દીકરા હિતેશભાઈ જયંતીભાઈ ચાનીયારા જાતે પટેલ (ઉંમર ૩૨)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે મૃતક આધેડની સામે ગુનો નોંધીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News