મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ મોરબી જીલ્લામાં ચાંદીપુરા વાયરસ ન ફેલાય તે માટે માર્ગદર્શિકા જાહેર: લોકોને સાવચેતી રાખવા માટે અનુરોધ મોરબી જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને રોગચાળા અટકાયતી કામગીરી બાબતે બેઠક યોજાઈ મોરબીના વાવડી રોડે ઉબડખાબડ રોડ, ગંદકી, રજડતા ઢોરના પ્રશ્નો કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન: મહિલાઓએ છાજિયા લીધા મોરબીના રામધન આશ્રમના પુલ નજીક અજાણ્યા વાહન  ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો વાંકાનેરમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક સંપન્ન હળવદ તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપી કોર્ટમાંથી જામીન મુક્ત
Breaking news
Morbi Today

મોરબીના બગથળા પાસે બાઇક સ્લીપ થતાં આધેડનું મોત


SHARE

















મોરબીના બગથળા પાસે બાઇક સ્લીપ થતાં આધેડનું મોત

મોરબી નજીકના બગથળા ગામ થી માણેકવાડા તરફ જતા રસ્તા ઉપરથી બાઇક લઈને પસાર થતા આધેડનું બાઈલ સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને આધેડને ઇજા થઈ હોવાથી તેનું મોત નીપજ્યું હતું હાલમાં અકસ્માત મૃત્યુના બનાવવામાં મૃતક આધેડના દીકરાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી તાલુકાના માણેકવાડા ગામે રહેતા જેન્તીભાઈ પરસોતમભાઈ ચનિયારા જાતે પટેલ (ઉંમર ૫૫) પોતાનું બાઈક નંબર જીજે ૩ ઈડી ૬૬૯૩ લઈને ગત તા.૧૭/૬ ના સાંજના છ વાગ્યાના અરસામાં પોતાના ગામ માણેકવાડા તરફ જઈ રહ્યા હતા ત્યારે બગળા થી માણેકવાડા ગામ તરફ જતા રસ્તા ઉપર આવતા ભગવતી કારખાના સામે તેનું બાઈક કોઈ કારણોસર સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને જયંતીભાઈ ચાનીયારાને માથામાં ગંભીર ઈજા થઈ હોવાથી તેનું મોત નીપજયું હતું જે બનાવમાં હાલમાં મૃતકના દીકરા હિતેશભાઈ જયંતીભાઈ ચાનીયારા જાતે પટેલ (ઉંમર ૩૨)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે મૃતક આધેડની સામે ગુનો નોંધીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી




Latest News