મોરબીના કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્રારા રાહતદરે ઔષધીય તેમજ અન્ય રોપાઓનું વિતરણ
SHARE
કિસ્શોર
મોરબીના કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્રારા રાહતદરે ઔષધીય તેમજ અન્ય રોપાઓનું વિતરણ
દરવર્ષે મોરબીનાં લોકોને આયુર્વેદ તરફ વાળવા માટે ઔષધીય રોપાઓ જૂનાગઢ તથા તેના આસપાસના એરિયામાંથી ખરીદીને મોરબીનાં લોકો માટે કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્રારા રાહતભાવથી રોપાઓનું વિતરણ કરવામાં આવે છે.આ વર્ષે પણ રોપાઓ લાવવામાં આવ્યા છે.જેમા હરડે, બહેડા, લીંડી પીપર વેલ, સિંદુરી, સાદડ અર્જુન, ફાલસા, રગત રોહિદો, આસિત્રો કરમદા, કોઠા, આંકોલ, પુત્રજીવા, ચરેલ, કાચનાર, ચણોઠી, અરીઠા, શિવલિંગી, સીસમ, અશોક, ખાખરો, ફણસ, વિકડો, માલણ, આમળા, પબડી, કડાયો, એલોવેરા, ઓક, પારિજાત, કપિલો, નગોડ, બ્રાહ્મણી વેલ, અરડૂસી, ગૂગળ વિગેરે.આ દરેક ઔષધીય રોપા રૂા.૨૦ ની ટોકન કિંમતે આપવામાં આવશે.રોપા લેવા આવતી સમયે વાહન અને જો વધુ રોપાઓ લેવાના હોય તો મદદગાર વ્યક્તિની વ્યવસ્થા કરીને આવવાનું રહેશે.રોપા વિતરણ તા.૧૦ જુલાઈને રવિવારે સવારે ૮ થી ૧ વાગ્યા સુધી કર્તવ્ય જીવદયા કેન્દ્ર માધવ ગૌશાળા પેહલ હરિ ૐ સ્ટોન પાસે રવાપર ઘુનડા રોડ ખાતે કરાશે.વધુ માહિતી માટે મો.૭૫૭૪૮ ૮૫૭૪૭ ઉપર સંપર્ક કરવો.રોપા વિતરણ થકી જે પણ નફો થશે તે તમામ રકમ કર્તવ્ય જીવદયા કેન્દ્રમાં જ અબોલ જીવોની સેવામાં વાપરવામાં આવશે.