મોરબીમાં સુભાષ રોડે દુકાનની પાછળ ટીખળખોરે કચરો સળગાવતા વિકરાળ આગ: ફાયરની ટિમ દોડતી મોરબીના મહેન્દ્રનગર  પાસે ભક્તિનગર-2 સોસાયટીમાં ચાલુ વીજવાયર તૂટીને પડતાં બે વાહન બળીને ખાખ મોરબીમાં ઉમિયાથી દલવાડી સર્કલ જવાના કેનાલની બીજી બાજુના રોડને સીસી રોડ બનાવવા માટે સીએમને કરી રજૂઆત મોરબીમાં મહાશિવરાત્રીના દિવસે સિદ્ધનાથ મહાદેવની ભવ્ય શોભાયાત્રાનું આયોજન વલ્લભીપુરના પચ્છેગામ ગામે આયોજિત ત્રિવેણી કાર્યક્રમમાં મોરબી સહિત 20 જિલ્લાના ધર્મપ્રેમી લોકોને જોડાવા ગાયત્રી આશ્રમના સંત લાલબાપુનું જાહેર આમંત્રણ હળવદના વેગડવાવ ફાટક પાસે ટ્રાફિક સહિતની સમસ્યા ઉકેલવાની દિશામાં આગળ વધતું તંત્ર બાટલો ફાટયો: મોરબીમાં ફરીયાદ નિવારણના કાર્યક્રમ 30 અરજી કરી તો પણ કામ ન થતાં હવે કચેરીને તાળાબંધીની ચીમકી ઉચ્ચારી મોરબીના સોખડા ગામના પાટીયા પાસે ટેન્કર ચાલકે બેદરકારીપૂર્વક લેતા ટ્રક સાથે અકસ્માત થતા વાહનમાં નુકસાન, કોઈ જાનહાનિ નહીં
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગર ગામે ફોનમાં વધુ વાત કરવાની ના પાડતા ગળેફાંસો ખાઇ ગયેલ યુવતી સારવારમાં


SHARE















મોરબીના મહેન્દ્રનગર ગામે ફોનમાં વધુ વાત કરવાની ના પાડતા ગળેફાંસો ખાઇ ગયેલ યુવતી સારવારમાં

મોરબીના સામાકાંઠે આવેલ મહેન્દ્રનગર ગામે ગણેશનગર વિસ્તારમાં રહેતી યુવતીને ઘરે ગળેટુંપો આવી જતા દવાખાને સારવારમાં લઇ જવાઇ હતી.જયાં દવાખાતે જણાવવામાં આવ્યુ હતુ કે યુવતી કામકાજ કરી રહી હતી તે દરમિયાન ટેબલ ફેનમાં તેનો દુપટ્ટો આવી જતા ગળેટુંપો લાગી જતા તેણીને સારવારમાં ખેંચાડવામાં આવેલ છે.જોકે પોલીસે તપાસ કરતા અન્ય બનાવ ખુલ્યો હતો.

બી ડિવિઝન પોલીસના જણાવ્યા પ્રમાણે મહેન્દ્રનગરના ગણેશનગરમાં રહેતા રાજલબેન લાલજીભાઈ રામજીયાણી જાતે કચ્છી પટેલ નામની યુવતીને શહેરના સામાકાંઠે આવેલ સમર્પણ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવી હતી.ટેબલ ફેનમાં દુપટ્ટ આવી જવાથી ઘરે ગળેટુંપો લાગી ગયો હોવાનું પ્રથમ જણાવવામાં આવ્યુ હતુ.જોકે બી ડિવિઝન પોલીસ મથકના એ.આર.સારદીયા દ્વારા પ્રાથમિક તપાસ કરવામાં આવતા તપાસ દરમિયાન ખુલ્યું હતું કે રાજલબેન ઘરકામ કરતા ન હોય તે બાબતે તેમજ વધુ પડતા ફોન ઉપર વાતચીત કરતા રહેતા હોય તે બાબતે માવતર દ્વારા ઠપકો આપવામાં આવ્યો હતો તે બાબતનું માઠુ લાગી આવતા તેણીએ ઉપરોકત પગલું ભરી લીધું હતું..!

મારામારીમાં ઇજા

મોરબીના લાતી પ્લોટ મેઇન રોડ નજીક રહેતા ક્રિપાલસિંહ નેહાલસિંહ ટોક નામના ૨૨ વર્ષના યુવાનને મોરબીના સામાકાંઠે ઘુંટુ રોડ ઉપર સ્મશાન નજીક મારામારીના બનાવવામાં ઈજા પહોંચી હતી જેથી તેને સારવારમાં ખસેડાયો હતો અને બનાવવાની જાણ થતા બી ડિવિઝન પોલીસ મથકના અશોકભાઈ સારદીયા દ્વારા આ અંગે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.જ્યારે મોરબીના લાલપર ગામ નજીક આવેલ શ્રી રામ સીરામીક પાસે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં લાલપરના નેલ્સન ગોડાઉન નજીક રહેતા રોહિત પરમતલાલ (૨૨) અને ભારતીયચંદ મુકુંદી પરમતલાલ (૨૬) નામના બે યુવાનોને ઇજાઓ પહોંચતા બંનેને સિવિલે સારવાર માટે ખસેડ્યા હતા.જેથી તાલુકા પોલીસ મથકના જે.એમ.જાડેજા દ્વારા આ અંગે આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.

દવા પી લેતા સારવારમાં

મોરબીના સામાકાંઠે ભડીયાદ રોડ ઉપર આવેલ સુભાષનગર વિસ્તારમાં રહેતા રીંકલબેન વાલજીભાઈ મુછડીયા નામની ૨૧ વર્ષીય યુવતીએ તેના ઘેર કોઈ અજાણી દવા પી લેતા તેણીને અહીંની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવી હતી અને બનાવની જાણ થતા બી ડિવિઝન પોલીસ મથકના પ્રફુલભાઈ પરમાર દ્વારા આ અંગે આગળની તપાસ હાથ ધરવામાં આવી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળેલ છે.






Latest News