મોરબીમાં નગર દરવાજા ચોકમાં જૂના બસ સ્ટેશન સુધીના વિસ્તારમાં લારી, ગલ્લા અને પાથરણાના દબાનોને હટાવતી મહાપાલિકા મોરબીમાં દીકરીના પ્રથમ જન્મ દિવસે યુવાન દ્વારા 11,111 બાજરાના રોટલા ગાય માતાને ખવડાવવાનો સંકલ્પ મોરબી જિલ્લા પંચાયતમાં 24 મી ફેબ્રુઆરીએ બજેટ બોર્ડ બેઠક મોરબી: ફોર્ટિફિકેશન અભિગમથી કુપોષણ અને એનિમિયા મુક્ત ગુજરાતનો સંકલ્પ સાકાર કરવા સરકાર પ્રયત્નશીલ મોરબીમાં દીકરાના લગ્ન પ્રસંગ નિમિતે જલારામ ધામના સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી સમાજને નવો રાહ ચીંધતો ઝાલા પરિવાર મોરબી જીલ્લાના હજયાત્રીઓ માટે શુક્રવારે વાંકાનેર ખાતે વેક્સીનેશન કેમ્પ મોરબીમાં સુભાષ રોડે દુકાનની પાછળ ટીખળખોરે કચરો સળગાવતા વિકરાળ આગ: ફાયરની ટિમ દોડતી મોરબીના મહેન્દ્રનગર  પાસે ભક્તિનગર-2 સોસાયટીમાં ચાલુ વીજવાયર તૂટીને પડતાં બે વાહન બળીને ખાખ
Breaking news
Morbi Today

ગતિસીલ ગુજરાત: મોરબીના મહેન્દ્રનગર ગામે ધાયડી વિસ્તારમાં બેટમાં ફેરવાયો !, મુખ્યમંત્રીને રજૂઆત..!


SHARE















ગતિસીલ ગુજરાત: મોરબીના મહેન્દ્રનગર ગામે ધાયડી વિસ્તારમાં બેટમાં ફેરવાયો !, મુખ્યમંત્રીને રજૂઆત..!

ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ એસોસિએશનના જનરલ સેક્રેટરી કાંતિલાલ બાવરવાએ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખીને મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ ધાયડી વિસ્તાર કે જ્યાં છેલ્લા વર્ષોથી વરસાદી પાણી ભરાવાની સમસ્યા છે અને આ કાયમી સમસ્યાનો સ્થાનીક સત્તાધીશો દ્વારા કોઈ નિકાલ લાવવામાં આવતો ન હોય અને ચોમાસા પહેલા પણ આ અંગે રજૂઆત કરવા છતાં કોઈ અસરકારક પગલાં લેવામાં આવેલ ન હોય હાલમાં લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે માટે આ અંગે યોગ્ય વ્યવસ્થા કરવા વધુ એક વખત રજૂઆત કરવામાં આવેલ છે

રજૂઆતમાં કે.ડી.બાવરવાએ જણાવેલ છેકે આ પહેલા પણ આ અંગે લેખીત રજૂઆતો કરવામાં આવી હતી.પરંતુ મુખ્યમંત્રીની સુચના આપવા છતા પણ અહિંના નિર્ભર તંત્રએ કોઈ જ જાતની કાર્યવાહી  કરવામાં આવેલ ન હોવાથી આજે ફક્ત પાંચ ઈંચ જેવા નજીવા વરસાદમાં પણ વરસાદી પાણીના તળાવો ભરેલા છે.જો અન્ય જીલ્લા મુજબ જો મોરબીમાં એકીસાથે ૧૨ ઈચ, ૧૫ ઈચ, કે ૧૮ ઈચ કે તેથી વધુ વરસાદ થાય તો મોરબીનું શું થાય..? જાણમાં આવેલ છે કે આ વરસાદના પાણી તેમજ ગટર વ્યવસ્થા માટે આ ગામને ગ્રાન્ટ ફાળવવામાં માટેનો લેટર આપવામાં આવેલ પરંતુ કોઈ કારણોસર આ ગ્રાન્ટ ફાળવવામાં આવેલ ન હોવાનું સ્થાનિક લોકોનું કહેવું છે.એટલે કે લોકોને મુર્ખ બનાવવામાં આવેલ છે..!

મોરબીના ધારાસભ્ય અને રાજયસરકાના મંત્રી બ્રિજેશ મેરજા પણ આ બાબતે નીરસ હોય તેવુ જણાય છે માટે તાત્કાલિકના ધોરણે આ લોકોના વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તે જરૂરી છે.જો આવું નહિ કરવામાં આવે તો સ્થાનિક રહેવાસીઓને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનાત્મક કાર્યકર્મો આપવાની ફરજ પડશે તેવી ચીમકી ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કે.ડી.બાવરવાએ ઉચ્ચારેલ છે.






Latest News