મોરબીમાં ફ્લેટ વેચવાનું કહીને લાખોની છેતરપિંડી કરવાના ગુનામાં પકડાયેલ દંપતીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટીની પ્રેરણાદાયી પહેલ માળીયા (મી) તાલુકામાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ ફાયનાન્સ પેઢીના સંચાલક સહિત 6 આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના વાવડી ગામે દુકાને જઈને મહિલા વેપારીને ધમકાવનાર બંને આરોપીઓએ હાથ જોડીને જાહેરમાં લોકોની માફી માંગી ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત મોરબીના ટીંબડી પાસે મારામારીમાં ઘવાયેલા બે યુવાનો સારવારમાં વાંકાનેરના સરખડીયામાં ઝઘડામાં વચ્ચે પડેલા ભરત બારીયા ઉપર ધોકા અને ધારીયાથી હુમલો મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો
Breaking news
Morbi Today

ગતિસીલ ગુજરાત: મોરબીના મહેન્દ્રનગર ગામે ધાયડી વિસ્તારમાં બેટમાં ફેરવાયો !, મુખ્યમંત્રીને રજૂઆત..!


SHARE













ગતિસીલ ગુજરાત: મોરબીના મહેન્દ્રનગર ગામે ધાયડી વિસ્તારમાં બેટમાં ફેરવાયો !, મુખ્યમંત્રીને રજૂઆત..!

ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ એસોસિએશનના જનરલ સેક્રેટરી કાંતિલાલ બાવરવાએ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખીને મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ ધાયડી વિસ્તાર કે જ્યાં છેલ્લા વર્ષોથી વરસાદી પાણી ભરાવાની સમસ્યા છે અને આ કાયમી સમસ્યાનો સ્થાનીક સત્તાધીશો દ્વારા કોઈ નિકાલ લાવવામાં આવતો ન હોય અને ચોમાસા પહેલા પણ આ અંગે રજૂઆત કરવા છતાં કોઈ અસરકારક પગલાં લેવામાં આવેલ ન હોય હાલમાં લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે માટે આ અંગે યોગ્ય વ્યવસ્થા કરવા વધુ એક વખત રજૂઆત કરવામાં આવેલ છે

રજૂઆતમાં કે.ડી.બાવરવાએ જણાવેલ છેકે આ પહેલા પણ આ અંગે લેખીત રજૂઆતો કરવામાં આવી હતી.પરંતુ મુખ્યમંત્રીની સુચના આપવા છતા પણ અહિંના નિર્ભર તંત્રએ કોઈ જ જાતની કાર્યવાહી  કરવામાં આવેલ ન હોવાથી આજે ફક્ત પાંચ ઈંચ જેવા નજીવા વરસાદમાં પણ વરસાદી પાણીના તળાવો ભરેલા છે.જો અન્ય જીલ્લા મુજબ જો મોરબીમાં એકીસાથે ૧૨ ઈચ, ૧૫ ઈચ, કે ૧૮ ઈચ કે તેથી વધુ વરસાદ થાય તો મોરબીનું શું થાય..? જાણમાં આવેલ છે કે આ વરસાદના પાણી તેમજ ગટર વ્યવસ્થા માટે આ ગામને ગ્રાન્ટ ફાળવવામાં માટેનો લેટર આપવામાં આવેલ પરંતુ કોઈ કારણોસર આ ગ્રાન્ટ ફાળવવામાં આવેલ ન હોવાનું સ્થાનિક લોકોનું કહેવું છે.એટલે કે લોકોને મુર્ખ બનાવવામાં આવેલ છે..!

મોરબીના ધારાસભ્ય અને રાજયસરકાના મંત્રી બ્રિજેશ મેરજા પણ આ બાબતે નીરસ હોય તેવુ જણાય છે માટે તાત્કાલિકના ધોરણે આ લોકોના વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તે જરૂરી છે.જો આવું નહિ કરવામાં આવે તો સ્થાનિક રહેવાસીઓને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનાત્મક કાર્યકર્મો આપવાની ફરજ પડશે તેવી ચીમકી ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કે.ડી.બાવરવાએ ઉચ્ચારેલ છે.






Latest News