મોરબીની અવની ચોકડી પાસે રસ્તા ઉપર વહેતી નદી !: કોંગ્રેસ પ્રમુખ સ્થળ ઉપર દોડી ગયા
મોરબીની શાકમાર્કેટના વેપારીઓએ પાલિકાના પદાધિકારીઓનું કર્યું સન્માન
SHARE
મોરબીની શાકમાર્કેટના વેપારીઓએ પાલિકાના પદાધિકારીઓનું કર્યું સન્માન
મોરબી શહેરની મધ્યમાં આવેલ શાકમાર્કેટમાં દર વર્ષે ચોમાસામાં ગટરની ગંદકી ભરાવાના પ્રશ્નો ઊભા થતા હતા જેને ઉકેલવા માટે થઈને ગત ચોમાસા દરમિયાન સ્થાનિક વેપારીઓ દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી હતી ત્યારબાદ તે કામગીરીને નગરપાલિકા દ્વારા પૂર્ણ કરવામાં આવી હતી જેથી આ વખતે ચોમાસામાં અત્યાર સુધી પડેલા વરસાદમાં વરસાદી પાણી શાકમાર્કેટની અંદર ક્યાંય ભરાયેલ નથી અને પાછળના ભાગમાં પણ જ્યાં દુકાનો આવેલ છે ત્યાં પાણી ભરાતા હતા ત્યાં પણ વરસાદી પાણી ભરાયુ નથી જેથી કરીને સ્થાનિક વેપારીઓ દ્વારા મોરબી નગરપાલિકાના ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, ચેરમેન દેવાભાઈ અવાડિયા, ચેરમેન ભાવિકભાઈ જારીયા, ચેરમેન પ્રકાશભાઈ ચબાડ, કલ્પેશભાઈ રવેશીય, ચતુરભાઈ દેત્રોજા સહિતના આગેવાનોને ત્યાં શાકમાર્કેટ પાસે બોલાવીને તેઓને ફુલહાર કરીને તેઓનું વર્ષો જૂનો પ્રશ્ન ઉકેલવા માટે થઈને સન્માન કર્યું હતું