મોરબીમાં કોમર્શિયલ વ્યવહાર પેટેની લેણી રકમના દીવાની દાવાના કેસમાં વ્યાજ સહિત લેણી રકમ ચૂકવવા કોર્ટનો હુકમ માળીયા (મી) હળવદ રોડ ઉપર આવેલ ધૈર્ય હોટલે મિત્રો સાથે નાસ્તો કરવા ગયેલા યુવાનની છરીનો ઘા ઝીકિને હત્યા: મોરબીની ફાયનાન્સ પેઢી સુધી તપાસનો રેલો આવે તેવા સંકેત મોરબીમાં રહેતા આધેડના મોબાઇલમાં આવેલ એપીકે ફાઇલ ઓપન કરતાંની સાથે જ બેન્ક એકાઉન્ટમાંથી 3 લાખ ઉપાડી ગયા મોરબીના લખધીરપુર રોડે આવેલ કારખાનામાં મશીનના પટ્ટામાં ફસાઈ જતાં ઇજા પામેલા સગીરનું મોત મોરબીના વૃદ્ધની કડીયાણા નજીક આવેલ વાડીમાંથી 1 લાખના કોપર વાયરની ચોરી હળવદમાં જમીન લે-વેચના ભાગીદારને દલાલી આપી દીધી હોવા છતાં વધુ 5 લાખ માંગીને જાનથી મારી નાખવાની ધમકી ટંકારના પાલિકાની પહેલી ચૂંટણીમાં મતદારો ઘટતી પ્રાથમિક સુવિધાઓને ધ્યાને રાખીને કરશે મતદાન: ભાજપ-કોંગ્રેસ સહિતના ઉમેદવારોના જીતના દાવા મોરબીના સાઇબર ફ્રોડના ગુનામાં પકડાયેલ આરોપીના જામીન મંજૂર
Breaking news
Morbi Today

મોરબીની શાકમાર્કેટના વેપારીઓએ પાલિકાના પદાધિકારીઓનું કર્યું સન્માન


SHARE













મોરબીની શાકમાર્કેટના વેપારીઓએ પાલિકાના પદાધિકારીઓનું કર્યું સન્માન

મોરબી શહેરની મધ્યમાં આવેલ શાકમાર્કેટમાં દર વર્ષે ચોમાસામાં ગટરની ગંદકી ભરાવાના પ્રશ્નો ઊભા થતા હતા જેને ઉકેલવા માટે થઈને ગત ચોમાસા દરમિયાન સ્થાનિક વેપારીઓ દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી હતી ત્યારબાદ તે કામગીરીને નગરપાલિકા દ્વારા પૂર્ણ કરવામાં આવી હતી જેથી આ વખતે ચોમાસામાં અત્યાર સુધી પડેલા વરસાદમાં વરસાદી પાણી શાકમાર્કેટની અંદર ક્યાંય ભરાયેલ નથી અને પાછળના ભાગમાં પણ જ્યાં દુકાનો આવેલ છે ત્યાં પાણી ભરાતા હતા ત્યાં પણ વરસાદી પાણી ભરાયુ નથી જેથી કરીને સ્થાનિક વેપારીઓ દ્વારા મોરબી નગરપાલિકાના ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, ચેરમેન દેવાભાઈ અવાડિયા, ચેરમેન ભાવિકભાઈ જારીયા, ચેરમેન પ્રકાશભાઈ ચબાડ, કલ્પેશભાઈ રવેશીય, ચતુરભાઈ દેત્રોજા સહિતના આગેવાનોને ત્યાં શાકમાર્કેટ પાસે બોલાવીને તેઓને ફુલહાર કરીને તેઓનું વર્ષો જૂનો પ્રશ્ન ઉકેલવા માટે થઈને સન્માન કર્યું હતું






Latest News