મોરબીમાં ગાંજાના ગુનામાં પકડાયેલ આરોપી જામીન મુક્ત વાંકાનેર નજીક પોલીસના બાઇકને ઉડાવીને દારૂ ભરેલ ક્રેટા લઈ લઈને નાસી ગયેલ શખ્સ ધોળા દિવસે રાણેકપર ગામે વાહનમાંથી 1814 બોટલ દારૂ-61 બિયરના ટીન રેઢા મૂકીને ફરાર ! વાંકાનેરમાં ઘરમાંથી 935 ગ્રામ ગાંજાના જથ્થા સાથે આરોપીની ધરપકડ વાંકાનેરમાં મોબાઈલની દુકાનમાં ટી-20 ક્રિકેટ મેચ ઉપર જુગાર રમતા એક પકડાયો, એકની શોધખોળ મોરબીમાં મોબાઈલથી વરલીના આંકડા લેતા એક પકડાયો, એકની શોધખોળ: ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા બે પકડાયા મોરબી સિરામિક ઉદ્યોગમાં ગેસની સપ્લાઈ-ભાવ મુદે ગુજરાત ગેસ કંપનીના એમડી-અધિકારીઓએ સાથે મિટિંગ યોજાઇ હળવદના માનસર પાસે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા માથું છૂંદાઈ જવાથી શ્રમિક યુવાનનું મોત વાંકાનેર નજીક ટ્રેન આડે પડતું મૂકીને અજાણ્યા યુવાને કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીના ખોખરા હનુમાનજી ધામ ખાતે મંત્રી ધમેન્‍દ્રસિંહ જાડેજાની હાજરીમાં વન મહોત્સવ ઉજવાશે


SHARE













મોરબીના ખોખરા હનુમાનજી ધામ ખાતે મંત્રી ધમેન્‍દ્રસિંહ જાડેજાની હાજરીમાં વન મહોત્સવ ઉજવાશે

મોરબી નજીકના બેલા-રંગપર પાસે આવેલ ખોખરા હનુમાનજી ધામ તા.૧૪/૦૮ ના રોજ શનિવારે રાજય કક્ષાના અન્ન નાગરિક પુરવઠા મંત્રી ધમેન્‍દ્રસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાના ૭૨માં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. અને સવારે ૯:૧૫ કલાકે આયોજિત આ કાર્યક્રમમાં મંત્રી ધમેન્‍દ્રસિંહ જાડેજાના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવશે

આ તકે સાંસદઓ,ધારાસભ્યઓ, મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઇ સિહોરા, અધિક અગ્ર મુખ્ય વન સંરક્ષક એસ.કે શ્રીવાસ્તવ, કલેકટર જે.બી.પટેલ, જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, જિલ્લા પોલીસવડા એસ.આર ઓડેદરા, નાયબ વન સંરક્ષક ચિરાગ અમીન સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે  મોરબીને હરિયાળું બનાવવા શ્રી ખોખરા હનુમાનજી ધામ ખાતે વિવિધ વૃક્ષો વાવી પર્યાવરણના જતનનો સંકલ્પ લેશે.

સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે

ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ૧૫ મી ઓગસ્ટ સ્વાતંત્ર્યદિનની પૂર્વ સંધ્યાએ તા.૧૪/૦૮ ના સાંજે ૬ કલાકે એપીએમસી, મોરબી ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમ નિહાળવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેર જનતાને આમંત્રણ પાઠવવામાં આવે છે.

 






Latest News