મોરબીમાં કામ ધંધો ચાલતો ન હોય પૈસાના ટેન્શનમાં ઘરેથી ચાલ્યો ગયેલ યુવાન મળી આવ્યો, માનસિક અસ્થિર યુવાનની પણ ભાળ મળી મોરબીના પેપર મિલ ઉદ્યોગ ઉપર 36 કરોડનું ભારણ વધ્યું, 45 હજાર ટન ઉત્પાદન ઘટ્યું: પ્રમુખ મોરબીમાં સ્વ. શાંતાબેન બરાસરાના સ્મરણાર્થે 17 એપ્રિલે મહા રક્તદાન કેમ્પ યોજાશે મોરબીમાં ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતી નિમિત્તે ભવ્ય રેલી યોજાઇ મોરબી મહાપાલિકાની ચૂંટણી: 8 દિવસમાં અંદાજે 10 કિલો મીટર વિસ્તારમાં પ્રચાર કરીને મત માટે ઉમેદવારે સરેરાશ 17 હજારથી વધુ મતદારોનો કરવાનો જનસંપર્ક ! મોરબીમાં બાળ કિશોર દારૂ ભરેલ કાર લઈને નીકળ્યો !: 5.15 લાખનો મુદામાલ કબ્જે: મહિલા સહિત 3 ની શોધખોળ વાંકાનેરમાં છકડો રિક્ષાના ચાલકે બાઇકને હડફેટે લેતા દંપતીને ગંભીર ઇજા મોરબી નજીક રિક્ષામાંથી પડી જતાં ઇજા પામેલ મહિલાના મોત મામલે રિક્ષા ચાલક સામે ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

વાંકાનેરમાં યોજાનાર જીલ્લા કક્ષાનાં સ્વાતંત્ર્ય દિનની ઉજવણીનું છેલ્લી ઘડીએ સ્થળ કેમ બદલાયું !?


SHARE













વાંકાનેરમાં યોજાનાર જીલ્લા કક્ષાનાં સ્વાતંત્ર્ય દિનની ઉજવણીનું છેલ્લી ઘડીએ સ્થળ કેમ બદલાયું !?

વાંકાનેરમાં આગામી 75 માં સ્વાતંત્ર્ય દિનની જીલ્લા કક્ષાની ઉજવણી થવાની હતી જે કોઈ પણ કારણોસર રદ કરીને તેનું સ્થળ બદલાવીને મોરબી પોલીસ પરેડ ગ્રાઉન્ડ કરવામાં આવેલ છે જેથી કરીને રાજકારણમાં વિવાદનું ઘર બની ગયેલ વાંકાનેરની રાજકિત સ્થિતિને ધ્યાનમાં રાખીને આ ફેરફાર કરવામાં આવ્યો છે કે પછી બીજું કોઈ કારણ છે તેને લઈને હાલમાં વાંકાનેરમાં અનેક તર્ક વિતર્કો વહેતા થયા હતાં. 

વાંકાનેરમાં આગામી 15 ઓગસ્ટ 75 માં સ્વાતંત્ર્ય દિનની જીલ્લા કક્ષાની ઉજવણી કરવાનું આયોજન થયું હતુંઅને આ બાબતે સ્થાનિક પ્રશાસન દ્વારા અમરસિંહજી શાળા ગ્રાઉન્ડ ખાતે તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી હતીપરંતુ છેલ્લી ઘડીએ કોઈ પણ કારણોસર વાંકાનેરમાં જીલ્લા કક્ષાની ઉજવણી રદ કરી મોરબી ખાતે નક્કી કરવામાં આવતા વાંકાનેરમાં શા માટે આ આયોજન રદ કરવામાં આવ્યું તેવા સવાલો ઉઠવા પામ્યા હતાં અને સ્વાતંત્ર્ય પર્વ જેવા દેશ ભક્તિ પર્વની ઉજવણીમાં પણ રાજકીય પ્રશ્નો ઉદભવે છે ! તેવા પણ તર્ક વિતર્કો વહેતા થયા હતાંત્યારે આ મુદ્દે વાંકાનેર પ્રાંત અધિકારીનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે આ મુદ્દે રાજ્ય સરકાર દ્વારા નિર્ણયો લેવામાં આવતાં હોય છે તેમ જણાવ્યું હતુંપરંતુ શા માટે સ્થળ બદલાવવામાં આવ્યું તે બાબત સ્પષ્ટ જવાબ આપેલ નથી ત્યારે આ મુદ્દે વાંકાનેરનાં શહેરીજનોમાં પણ અનેક તર્ક વિતર્કો વહેતા થયા હતાં.






Latest News