હળવદમાં દોઢ વર્ષનો દીકરાની કનડગતથી કંટાળીને ઝેરી દવા પી લેનાર પરિણીતાનું મોત
મોરબીના શ્રી સ્વામિનારાયણ ગુરુકુલના બાળકોના હસ્તે અનાથાશ્રમ અને વૃદ્ધાશ્રમમાં કીટ વિતરણ
SHARE
મોરબીના શ્રી સ્વામિનારાયણ ગુરુકુલના બાળકોના હસ્તે અનાથાશ્રમ અને વૃદ્ધાશ્રમમાં કીટ વિતરણ
શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ-મોરબીના બાળકોને અનાથાશ્રમ અને વૃદ્ધાશ્રમની મુલાકાતે લઈ જવામાં આવ્યા હતા.જ્યાં પૂ.નીલકંઠદાસજી સ્વામી, પૂ. નિર્ગુણજીવનદાસજી સ્વામી, શિક્ષકો અને બાળકો દ્વારા નાસ્તા તથા જીવનજરૂરી ચીજવસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતુ.આ સાથે વૃદ્ધો તથા અનાથ બાળકો સાથે વાર્તાલાપ કરવામાં આવ્યો હતો. શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ દ્વારા દર વર્ષે બાળકોન અનાથાશ્રમ અને વૃદ્ધાશ્રમની મુલાકાતે લઈ જવામાં આવે છે અને બાળકોને વિવિધ સેવાકીય પ્રવૃત્તિમાં જોડીને પ્રેરિત કરવામાં આવે છે અને બાળકોમાં સેવાની અને પરોપકારની ભાવના જાગે તે હેતુસર નાસ્તો તેમજ જરૂરી ચીજવસ્તુઓ બાળકોના હાથે અર્પણ કરવામાં આવે છે.બાળકો પોતાની પોકેટમનીમાંથી પૈસાની બચત કરીનમ જરૂરિયાતમંદ લોકોને મદદ કરે છે.શિક્ષણની સાથે સંસ્કાર આપતી આ શાળા દ્વારા વારંવાર આવી સેવાકીય અને પ્રેરણાદાયી પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે.