ટંકારાના છતર ગામના જેઠાણી-દેરાણી સહિત 7 પદયાત્રીઓને વિરમગામ નજીક ટ્રક ચાલકે કચડી નાખ્યા મોરબીમાં નજીવી રકમ માટે મિત્રનું મર્ડર કરી ૨૪ વર્ષથી ફરાર આરોપી પકડાયો મોરબીના યુવાશક્તિ ફાઉન્ડેશન-જડેશ્વર જીવદયા ગ્રુપ દ્વારા જીવદયાનો અનોખો પ્રયાસ મોરબીના આમરણ ગામે જુદીજુદી ત્રણ સંસ્થા દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો મોરબી આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાની કુશળતાએ વૃદ્ધનું જીવન બચાવ્યુ છેલ્લા એક માહિનામાં મોરબીના પ્રત્યેક સિરામિક ઉદ્યોગકારને 50 લાખથી 1.5 કરોડનું નુકશાન: મનોજભાઇ એરવાડીયા મોરબી મહાપાલિકાની ચુંટણીમાં પક્ષ-અપક્ષ સહિત 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા: બુધવારે ચિત્ર સ્પષ્ટ થશે મોરબીના શનાળા ગામ પાસે કારના સર્વિસ સ્ટેશનમાં આગ લાગતા દોડધામ
Breaking news
Morbi Today

મોરબીના શનાળા રોડે ગંદકી દૂર કરીને સુવિધા વધારવા માટે ચીફ ઓફિસરને રજૂઆત


SHARE













મોરબીના શનાળા રોડે ગંદકી દૂર કરીને સુવિધા વધારવા માટે ચીફ ઓફિસરને રજૂઆત

મોરબીના શનાળા રોડ પર આવેલ વોકળામાં વરસાદી પાણીનો ચોમાસામાં નિકાલ થાય છે અને બાકીના મહિનાઓમાં ત્યાં ગંદકી હોય છે જેથી કરીને આ ગંદકીને કાયમી ધોરણે દૂર કરવા માટે અને લોકોની સુવિધામાં વધારો કરવા માટે ત્યાં પાર્કિંગ અને લઘુશંકા કરવા માટેની વ્યવસ્થા કરવામાં આવે તેવી મોરબી વૈદ સભાના પ્રમુખ દ્વારા ચીફ ઓફીસરને રજૂઆત કરવામાં આવી છે

મોરબી વૈધસભાના પ્રમુખ ડો. બી.કે. લહેરૂ દ્વારા ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, શનાળા રોડે ગુરુ દત્તાત્રેય મંદિર સામેના વોકળામાં વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવે છે જેથી કરીને દર વર્ષે ચોમાસામાં ત્યાંની દીવાલ તોડવામાં આવે છે  અને ફરી પછી દીવાલ બનાવવામાં આવે છે જેથી કરીને વારંવાર દીવાલ તોડવાને બદલે ત્યાંની ગંદકી દૂર કરવામાં આવે અને લોકોની સુવિધામાં વધારો થાય તેવી વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે જેમાં તેમણે જણાવ્યુ છે કે, વોકળા ઉપર  સ્લેબ ભરીને ત્યાં વાહન પાર્કિંગ અને લઘુશંકા કરવા માટેની વ્યવસ્થા કરવામાં આવે તે દર વર્ષે કરવામાં આવતો ખર્ચ બંધ થઈ જશે ને લોકોની સુવિધામાં વધારો થશે






Latest News