મોરબીના શનાળા રોડે ગંદકી દૂર કરીને સુવિધા વધારવા માટે ચીફ ઓફિસરને રજૂઆત
SHARE
મોરબીના શનાળા રોડે ગંદકી દૂર કરીને સુવિધા વધારવા માટે ચીફ ઓફિસરને રજૂઆત
મોરબીના શનાળા રોડ પર આવેલ વોકળામાં વરસાદી પાણીનો ચોમાસામાં નિકાલ થાય છે અને બાકીના મહિનાઓમાં ત્યાં ગંદકી હોય છે જેથી કરીને આ ગંદકીને કાયમી ધોરણે દૂર કરવા માટે અને લોકોની સુવિધામાં વધારો કરવા માટે ત્યાં પાર્કિંગ અને લઘુશંકા કરવા માટેની વ્યવસ્થા કરવામાં આવે તેવી મોરબી વૈદ સભાના પ્રમુખ દ્વારા ચીફ ઓફીસરને રજૂઆત કરવામાં આવી છે
મોરબી વૈધસભાના પ્રમુખ ડો. બી.કે. લહેરૂ દ્વારા ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, શનાળા રોડે ગુરુ દત્તાત્રેય મંદિર સામેના વોકળામાં વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવે છે જેથી કરીને દર વર્ષે ચોમાસામાં ત્યાંની દીવાલ તોડવામાં આવે છે અને ફરી પછી દીવાલ બનાવવામાં આવે છે જેથી કરીને વારંવાર દીવાલ તોડવાને બદલે ત્યાંની ગંદકી દૂર કરવામાં આવે અને લોકોની સુવિધામાં વધારો થાય તેવી વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે જેમાં તેમણે જણાવ્યુ છે કે, વોકળા ઉપર સ્લેબ ભરીને ત્યાં વાહન પાર્કિંગ અને લઘુશંકા કરવા માટેની વ્યવસ્થા કરવામાં આવે તે દર વર્ષે કરવામાં આવતો ખર્ચ બંધ થઈ જશે ને લોકોની સુવિધામાં વધારો થશે