મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબી શહેર તેમજ હાઇવે વિસ્તાર ઉપર રજડતા ઢોરની સમસ્યા અંગે કલેકટરને રજૂઆત


SHARE







મોરબી શહેર તેમજ હાઇવે વિસ્તાર ઉપર રજડતા ઢોરની સમસ્યા અંગે કલેકટરને રજૂઆત

હાલમાં વરસાદી મોસમ ચાલુ હોય અને તેને લઈને શહેરમાં ઠેર ઠેર ગંદકીના થર જમ્યા છે જેને લઇને ઢોર મુખ્ય માર્ગો ઉપર બેસી જતા હોવાની સમસ્યા હાલ મોરબી સીટીમાં જોવા મળી રહી છે.મોરબીના સીટી વિસ્તારમાં તો આ રઝડતા ઢોરની સમસ્યા છે જ તે રીતે જ મોરબીના હળવદ-ઘુંટુ રોડ ઉપર તેમજ અન્ય હાઇવે વિસ્તાર તેમજ સર્વિસ રોડ ઉપર પણ અને મુખ્ય માર્ગો ઉપર ઢોર આવી જતા હોય આ અંગે યોગ્ય પગલા ભરવામાં આવે તે માટે કલેકટરને લેખિત રજૂઆત કરવામાં આવેલ છે.

મોરબીના જાગૃત નાગરિક અને અન્ન અને નાગરિક પુરવઠા સલાહકાર સમિતિના પૂર્વ સલાહકાર પી.પી.જોશી દ્વારા હાલમાં જિલ્લા કલેકટરને લેખિતમાં રજૂઆત કરી જણાવવામાં આવેલ છે કે તાજેતરમાં વરસાદી માહોલના વચ્ચે શહેરના મોટાભાગના વિસ્તારમાં ગંદકીને લીધે મુખ્ય માર્ગો ઉપર ઢોર આવી જતા હોય છે અને તેને લીધે વાહન ચાલકોને વાહન ચલાવવામાં મુસ્કેલી ઉભી થતી હોય છે અને અકસ્માત સર્જાવાનો ભય રહે છે તે રીતે જ મોરબીના સામાકાંઠે હળવદ રોડ ઉપર સહિતના આસપાસના વિસ્તારમાં અને અન્ય હાઇવેના સર્વિસ રોડ વિસ્તારોમાં પણ મુખ્ય માર્ગો ઉપર ઢોર આવી જતા હોય લોકોને તેમજ ખાસ કરીને વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કર્યો કરવો પડી રહ્યો હોય આ અંગે યોગ્ય પગલાં લેવામાં આવે તે જરૂરી છે.તેઓએ વધુમાં જણાવેલ છેકે મોરબીના સામાકાંઠે હળવદ-ધુંટુ રોડ કે જે અમદાવાદ તરફ જવા માટેનો મેઇન હાઇવે છે.જે મહેન્દ્રનગર ચોકડીથી ઘુંટુ સુધી અસંખ્ય ખુંટીયા રખડે છે અને અવારનવાર નાના મોટા અકસ્માત પણ થાય છે અને લોકોના વાહનમાં પણ નુકશાની થાય છે.આવા ખુંટીયા રાત્રીના સમયે રોડ ઉપર આરામથી બેઠા હોય છે.જયારે સામેથી વાહન આવતું હોય ત્યારે મોટર સાયકલ ચાલકને આ ખુંટીયા દેખાતા નથી જેથી ઘણીવાર નાનામોટા અકસ્માતો પણ થાય છે.પરંતુ આ ફરીયાદ કોની સામે લખાવી તે પ્રશ્ન ઉપસ્થિત થાય છે.તો આ તમામ રઝડતા ખુંટીયાઓને પકડીને મોરબી નગરપાલીકા સંચાલીત પંચાસર રોડ ઉપર આવેલ નંદી ધરમાં કે અન્યત્ર રાખવામાં આવે તો આ પ્રશ્ન હલ થાય તેમ છે. તેમજ આ રોડ ઉપર અસંખ્ય બિનવારસુ ગાય પણ રખડે છે તેને પકડીને ગાશાળા કે પાંજરાપોળમાં મુકવામાં આવે તે પણ જરુરી છે. 






Latest News