ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબી શહેર તેમજ હાઇવે વિસ્તાર ઉપર રજડતા ઢોરની સમસ્યા અંગે કલેકટરને રજૂઆત


SHARE













મોરબી શહેર તેમજ હાઇવે વિસ્તાર ઉપર રજડતા ઢોરની સમસ્યા અંગે કલેકટરને રજૂઆત

હાલમાં વરસાદી મોસમ ચાલુ હોય અને તેને લઈને શહેરમાં ઠેર ઠેર ગંદકીના થર જમ્યા છે જેને લઇને ઢોર મુખ્ય માર્ગો ઉપર બેસી જતા હોવાની સમસ્યા હાલ મોરબી સીટીમાં જોવા મળી રહી છે.મોરબીના સીટી વિસ્તારમાં તો આ રઝડતા ઢોરની સમસ્યા છે જ તે રીતે જ મોરબીના હળવદ-ઘુંટુ રોડ ઉપર તેમજ અન્ય હાઇવે વિસ્તાર તેમજ સર્વિસ રોડ ઉપર પણ અને મુખ્ય માર્ગો ઉપર ઢોર આવી જતા હોય આ અંગે યોગ્ય પગલા ભરવામાં આવે તે માટે કલેકટરને લેખિત રજૂઆત કરવામાં આવેલ છે.

મોરબીના જાગૃત નાગરિક અને અન્ન અને નાગરિક પુરવઠા સલાહકાર સમિતિના પૂર્વ સલાહકાર પી.પી.જોશી દ્વારા હાલમાં જિલ્લા કલેકટરને લેખિતમાં રજૂઆત કરી જણાવવામાં આવેલ છે કે તાજેતરમાં વરસાદી માહોલના વચ્ચે શહેરના મોટાભાગના વિસ્તારમાં ગંદકીને લીધે મુખ્ય માર્ગો ઉપર ઢોર આવી જતા હોય છે અને તેને લીધે વાહન ચાલકોને વાહન ચલાવવામાં મુસ્કેલી ઉભી થતી હોય છે અને અકસ્માત સર્જાવાનો ભય રહે છે તે રીતે જ મોરબીના સામાકાંઠે હળવદ રોડ ઉપર સહિતના આસપાસના વિસ્તારમાં અને અન્ય હાઇવેના સર્વિસ રોડ વિસ્તારોમાં પણ મુખ્ય માર્ગો ઉપર ઢોર આવી જતા હોય લોકોને તેમજ ખાસ કરીને વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કર્યો કરવો પડી રહ્યો હોય આ અંગે યોગ્ય પગલાં લેવામાં આવે તે જરૂરી છે.તેઓએ વધુમાં જણાવેલ છેકે મોરબીના સામાકાંઠે હળવદ-ધુંટુ રોડ કે જે અમદાવાદ તરફ જવા માટેનો મેઇન હાઇવે છે.જે મહેન્દ્રનગર ચોકડીથી ઘુંટુ સુધી અસંખ્ય ખુંટીયા રખડે છે અને અવારનવાર નાના મોટા અકસ્માત પણ થાય છે અને લોકોના વાહનમાં પણ નુકશાની થાય છે.આવા ખુંટીયા રાત્રીના સમયે રોડ ઉપર આરામથી બેઠા હોય છે.જયારે સામેથી વાહન આવતું હોય ત્યારે મોટર સાયકલ ચાલકને આ ખુંટીયા દેખાતા નથી જેથી ઘણીવાર નાનામોટા અકસ્માતો પણ થાય છે.પરંતુ આ ફરીયાદ કોની સામે લખાવી તે પ્રશ્ન ઉપસ્થિત થાય છે.તો આ તમામ રઝડતા ખુંટીયાઓને પકડીને મોરબી નગરપાલીકા સંચાલીત પંચાસર રોડ ઉપર આવેલ નંદી ધરમાં કે અન્યત્ર રાખવામાં આવે તો આ પ્રશ્ન હલ થાય તેમ છે. તેમજ આ રોડ ઉપર અસંખ્ય બિનવારસુ ગાય પણ રખડે છે તેને પકડીને ગાશાળા કે પાંજરાપોળમાં મુકવામાં આવે તે પણ જરુરી છે. 






Latest News