મોરબી જિલ્લાના ૮૮ વિસ્તારમાં પરવાનગી વગર ડ્રોન ઉડાડવા ઉપર મનાઈ
મોરબીના શનાળા રોડ સહિત વિસ્તારમાં રસ્તાઓની સુધારણાની યુદ્ધના ધોરણે કામગીરી
SHARE
મોરબીના શનાળા રોડ સહિત વિસ્તારમાં રસ્તાઓની સુધારણાની યુદ્ધના ધોરણે કામગીરી
મોરબી શહેરમાં વરસાદના કારણે ઘણા રોડ રસ્તામાં નુકશાન થયું છે ત્યારે વરસાદ બાદ લોકોનું જીવન ફરી યથાવત થઈ રહ્યું હોય લોકોને કોઈ પણ સમસ્યા ન પડે તે માટે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા રોડનીઉ મરામત શરૂ કરવામાં આવી છે
મોરબીના શનાળા રોડ, ભક્તિનગર સર્કલ, ઉમિયા સર્કલ, સિવિલ હોસ્પિટલ, શાક માર્કેટ, નગર દરવાજા ચોક, પોસ્ટ ઓફિસ, શક્તિ ચોક, વી.સી.હાઈસ્કુલ, નટરાજ ફાટક, ત્રાજપર ચોકડી વગેરે આંતરિક શહેરી રસ્તાઓ અને અન્ય બહારના રસ્તાઓ પર પણ રોડ સુધારણાની કામગીરી કરવામાં આવી રહી છે. શહેરની અંદર જ્યાં જ્યાં રસ્તાઓને નુકશાન પહોંચ્યુ છે ત્યારે તંત્ર દ્વારા રાત- દિવસ જોયા વિના રી-સર્ફેસીંગ તેમજ રોડ સુધારણા દ્વારા એ રસ્તાઓને ફરી વાહન વ્યવહાર માટે સુગમ બનાવવા પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે. અને દિવસે તો રોડ સુધારણાની આ કામગીરી કરવામાં આવે જ છે પરંતુ રસ્તાઓ પર ટ્રાફિક સમસ્યા ન થાય તે માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા રાતના સમયે પણ આ કામગીરી કરવામાં આવી રહી છે









