મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબીના ઇન્દિરાનગરમાં જુગાર રમતા ચાર  શખ્સ ૨૦૪૫૦ ની રોકડ સાથે ઝડપાયા


SHARE















મોરબીના ઇન્દિરાનગરમાં જુગાર રમતા ચાર  શખ્સ ૨૦૪૫૦ ની રોકડ સાથે ઝડપાયા

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ઇન્દિરાનગરમાં જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સો મળી આવ્યા હતા જેથી પોલીસે તેઓની પાસેથી ૨૦૪૫૦ રૂપિયાની રોકડ કબજે કરી હતી અને તેની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં મહેન્દ્રનગરની બાજુમાં આવેલ ઇન્દિરાનગરમાં મંગલમ વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે બી ડિવિઝન પોલીસની ટીમે ત્યાં રેડ કરી હતી ત્યારે સંજય ઉર્ફે ચનો સવજીભાઈ કુંવરિયા (ઉંમર ૨૫), રોહિતભાઈ કેશુભાઈ કુંવરિયા (ઉમર ૨૩), અજયભાઈ નથુભાઈ સાલાણી (ઉમર ૨૪) અને અમીત નવઘણભાઈ આંત્રેસા (ઉંમર ૨૫) રહે. બધા મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેઓની પાસેથી ૨૦૫૪૦ ની રોકડ કબજે કરી હતી અને તેની સામે જુગાર ધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

અકસ્માતમાં ઇજા

મોરબી શહેરની ઘાંચી શેરીમાં રહેતા મકબુલભાઈ ઇસાકભાઈ સેડાત મોરબીના ખાખરાળા ગામ થી પીપળીયા ચોકડી તરફ એકટીવા લઈને જતા હતા ત્યારે રસ્તામાં તેનું એક્ટિવા સ્લીપ થઈ જવાથી મકબુલભાઈને માથામાં ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીના સાવસર પ્લોટમાં આવેલ આયુષ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને અકસ્માતના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી હતી

અકસ્માતમાં ઇજા

મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી પસાર થતા રમેશભાઈ કરસનભાઈ અગેચાણીયા (ઉંમર ૩૨) રહે. ત્રાજપર વાળા પડી ગયા હતા જેથી તેને ઇજા થઈ હતી માટે આ યુવાનને સારવારમાં પ્રથમ મોરબી સિવિલ હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ ગયા છે અને અકસ્માતના આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવેલ છે






Latest News