મોરબીના ચાંચાપર પાસે બાઈક સ્લીપ થઈ જતા ઘવાયેલ યુવાન રાજકોટ ખસેડાયો
મોરબીના એલ.ઇ. ગ્રાઉન્ડના પડતર બિલ્ડીંગમાં યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત
SHARE
મોરબીના એલ.ઇ. ગ્રાઉન્ડના પડતર બિલ્ડીંગમાં યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત
મોરબીના એલ.ઇ. ગ્રાઉન્ડમાં આવેલ પડતર બિલ્ડીંગમાં યુવાને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી મૃતક યુવાનના ભાઈએ મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને યુવાનના મૃતદેહને પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો અને યુવાને ક્યાં કારણોસર આપઘાત કર્યો હતો તે દિશામાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવેલ છે
જાણવા મળતી માહિતી મુજબ મોરબી એલ.ઇ. કોલેજ રોડ ઉપર આવેલ એલ.ઇ. ગ્રાઉન્ડમાં પડતર બિલ્ડીંગની અંદર રોહિતભાઈ રમેશભાઈ વાહોડીયા જાતે દેવીપુજક (ઉંમર ૨૨) નામના યુવાને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી મૃતક યુવાનના ભાઈ અક્ષયભાઈ રમેશભાઈ વાહોડીયા જાતે દેવીપુજક (ઉંમર ૨૪) રહે. સર્કિટ હાઉસ સામે મફતિયાપરા વાળાએ આપઘાતના બનાવવાની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરી હતી જેથી પોલીસે એલ.ઇ. ગ્રાઉન્ડમાં પહોચી હતી ત્યારે બિલ્ડિંગમાં ઉપરના માળે પ્લાસ્ટિકની દોરી બાંધીને યુવાને ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી પોલીસે મૃતક યુવાનના ડેડબોડીને પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડીને યુવાને ક્યાં કારણોસર આપઘાત કરે છે તે દિશામાં તપાસ શરૂ કરી હતી
યુવતી મળી આવી
મોરબી તાલુકાના માણેકવાડા ગામે રહેતા આધેડ રમેશભાઈ ચૌહાણે પોતાની દીકરી ગુમ થઈ હોવા અંગેની થોડા સમય પહેલા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસ દ્વારા યુવતીને શોધવા માટે તપાસ કરવામાં આવતી હતી દરમ્યાન હાલમાં ગુમ થયેલ યુવતી પાયલબેન રમેશભાઈ ચૌહાણ મળી આવી છે અને તેને મોરબીના નવલખી રોડ ઉપર આવેલ રણછોડનગરમાં રહેતા વિજય રમણીકભાઈ પંડ્યા (30) સાથે પ્રેમ સંબંધ હોવાથી તે પોતાની જાતે પોતાના ઘરેથી ચાલી ગઈ હોવાનું તેને પોલીસે જણાવ્યું છે