મોરબીના રાજપર ગામે કાલે રઘુવંશી ક્રાંતિ મંચ દ્વારા રઘુવંશી એકતા મહાસંમેલન યોજાશે
SHARE
મોરબીના રાજપર ગામે કાલે રઘુવંશી ક્રાંતિ મંચ દ્વારા રઘુવંશી એકતા મહાસંમેલન યોજાશે
મોરબીના રાજપર ગામે આવેલ પટેલ સમાજ વાડી ખાતે તા.૧૭ ના રોજ રઘુવંશી ક્રાંતિ મંચ દ્વારા રઘુવંશી એકતા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં બહારગામથી જ્ઞાતિ અગ્રણીઓ તેમજ સમાજ શ્રેષ્ઠીઓ સહિતના લોકો મોટી સંખ્યામાં જોડાશે
મોરબીમાં કાલે રવિવારના રોજ સાંજે ૬ કલાકે રઘુવંશી ક્રાંતિ મંચ દ્વારા રઘુવંશી એકતા મહાસંમેલન તથા મહાપ્રસાદ (નાત જમણ) નુ અનેરુ આયોજન કરવામા આવેલ છે. રઘુવંશી મહાસંમેલનને ગામેગામથી બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે ત્યારે વિવિધ શહેરો તેમજ મથકો પરથી રઘુવંશી અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. જેથી વ્યવસ્થાના ભાગરૂપે ચોમાસુ હોવાથી વોટરપ્રુફ ડોમ તૈયાર કરવામાં આવેલ છે આ સંમેલન પટેલ સમાજ વાડી, રાજપર ખાતે યોજાશે આ તકે બહારગામ થી આવનાર મહાનુભવોએ મોરબીમા કોઈ પણ જાતની તકલીફ ન પડે તે માટે મોરબી લોહાણા સમાજ અગ્રણી વિવેકભાઈ મીરાણી (૯૬૩૮૮ ૯૯૯૦૯) અને ભાવીનભાઈ સેજપાલ (૮૫૧૧૧ ૧૧૪૪૪) નો સંપર્ક કરવા જણાવ્યુ છે અને વિવેકભાઈ તરફથી દરેક આગેવાનો માટે વ્યવસ્થા કરવામા આવશે









