ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં શેરીમાં કચરો-એઠવાડ નાંખવાની બાબતે સામસામી બહબહાટી


SHARE













મોરબીમાં શેરીમાં કચરો-એઠવાડ નાંખવાની બાબતે સામસામી બહબહાટી

મોરબીના જેલ ચોક સામે આવેલ વિસ્તારમાં પાડોશીઓ વચ્ચે શેરીમાં એઠવાડ તેમજ કચરો ફેંકવા મુદ્દે બોલાચાલી ઝઘડો થયો હતો અને બાદમાં બંને પક્ષેથી સામસામે મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં સામસામે ફરિયાદો નોંધાવાતા પોલીસ દ્વારા આ અંગે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

જાણવા મળતી વિગતો મુજબ મોરબી નગરપાલિકામાં કામ કરતા અને મોરબીના જેલ ચોકની સામે વાલ્મિકીવાસ નજીક વજેપર શેરી નંબર-૬ માં રહેતા અરૂણભાઇ ભીખાભાઈ પરમાર નામના ૫૨ વર્ષીય આધેડે તેમના બાજુમાં રહેતા ભાવેશ પ્રભુભાઇ વાઘેલા અને મનીષ પ્રભુભાઇ વાઘેલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, સામેવાળાઓ તમે શેરીમાં કચરો અને એઠવાડ કેમ નાંખો છો..? તેમ કહીને ઝઘડો કરવા આવ્યા હતા અને બોલાચાલી કરતા હતા અને ગાળો આપતા હતા તેથી અરૂણભાઇએ ગાળો આપવાની ના પાડતાં ભાવેશ દ્વારા તેમને ઠીકાપાટુનો માર મારવામાં આવ્યો હતો જ્યારે મનીષે ધોકા વડે તેમના હાથે કોણીના ભાગે માર મારતા તેઓને ઈજા પહોંચી હતી અને બંને દ્વારા અરુણભાઈ પરમારને જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી હતી.જેથી હાલ ભોગ બનેલ અરૂણભાઈ પરમારે સારવાર લીધા બાદ ફરિયાદ નોંધાવતા આ અંગે ડિવિઝન પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે જેની આગળની તપાસ એએસઆઈ જે.એ.ઝાલા ચલાવી રહ્યા છે.

જ્યારે સામા પક્ષેથી ચેતનાબેન ધનજીભાઈ વાઘેલા નામની ૨૫ વર્ષીય મહિલાએ પણ અરૂણભાઈ પરમાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી અને તેમાં તેઓએ પોલીસને જણાવ્યું હતું કે, શેરીમાં કચરો તેમજ એઠવાડ નાંખવાની તેઓએ અરૂણભાઈને ના પાડી હતી જેથી કરીને તેમને તથા તેમના સાસુ જશુબેન સાથે અરૂણભાઈએ બોલાચાલી કરીને ઝઘડો કર્યો હતો અને બાદમાં ઝપાઝપી કરી ધક્કો મારીને પાડી દેતા સાસુ-વહુને મુઢ ઇજાઓ પહોંચી હતી. હાલ ચેતનાબેન વાઘેલાની ફરિયાદ ઉપરથી પોલીસે અરૂણભાઇ પરમાર વિરુદ્ધ પણ ફરિયાદ નોંધી હતી અને તે અંગે પણ એએસઆઈ જે.એ.ઝાલા આગળની તપાસ ચલાવી રહ્યા છે.

યુવાનનું મોત

મોરબીના ટંકારા તાલુકાના મહેન્દ્રપુર ગામના ઉમિયાનગર વિસ્તારમાં રહેતા પ્રકાશભાઈ કરશનભાઈ મુંદડીયા જાતે પટેલ નામનો ૪૦ વર્ષનો યુવાન કાર ડ્રાઇવ કરીને જતો હતો તે દરમિયાનમાં તેને હાર્ટ એટેક આવી જતા બેભાન હાલતમાં અહીંની સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો.જ્યાં તબીબે જોઇ તપાસીને પ્રકાશભાઈ મુંદડીયાને મૃત જાહેર કર્યા હતા અને આ અંગે એ ડિવિઝન પોલીસ મથકના પ્રદીપભાઈ બોરાણાએ પ્રાથમિક તપાસ કરી બનાવ અંગે ટંકારા પોલીસને જાણ કરી હતી.






Latest News