માળીયા (મી)ના મોટા દહીસરામાં પેટમાં દુખાવો ઊપડતાં સારવારમાં ખસેડાયેલા યુવાનનું બેભાન અવસ્થામાં જ મોત
મોરબીના રોહીદાસપરામાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત
SHARE
મોરબીના રોહીદાસપરામાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત
મોરબી શહેરના વીસીપરા વિસ્તારની અંદર આવેલ રોહીદાસપરા શેરી નં-૩ ની અંદર રહેતા યુવાને કોઈ કારણોસર પોતાના ઘરે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને મૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને યુવાને ક્યાં કારણોસર આપઘાત કરેલ છે તે દિશામાં તપાસ શરૂ કરી હતી
જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી શહેરના વીસીપરા વિસ્તારની અંદર આવેલ રોહીદાસપરા શેરી નં-૩ માં રહેતા વિજયભાઈ ગુલાબભાઈ જોગેલ (ઉંમર ૨૨) પોતાના ઘરે હતો ત્યારે કોઈ કારણોસર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને મૃતક યુવાન વિજયભાઈના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો અને ત્યારબાદ આપઘાતના આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરીને યુવાને ક્યાં કારણોસર આપઘાત કરેલ છે તે દિશામાં તપાસ શરૂ કરી હતી
ઝેરી દવા પી જતા વૃદ્ધ સારવારમાં