મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

વાંકાનેરના લેન્ડ ગ્રેબીંગના ગુનામા ઝડપાયેલા આરોપીઓનો જામીન પર છુટકારો


SHARE







વાંકાનેરના લેન્ડ ગ્રેબીંગના ગુનામા ઝડપાયેલા આરોપીઓનો જામીન પર છુટકારો

વાંકાનેરના ચંદ્રપુર ગામે રહેતી મહિલાની માલીકીની ખેતીની જમીન ઉપર મહિલા સહિત ચાર દ્વારા કબ્જો કરી લેવામાં આવેલ હતો જેની ફરિયાદ નોંધાઈ હતી જેના આધારે પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી અને આરોપીઓએ વકીલ મારફતે જમીન મુક્ત થવા માટે અરજી મૂકી હતી ત્યાર બાદ મોરબીની સ્પે. કોર્ટના જજે બંને પક્ષની દલીલ ધ્યાને લઈને આરોપીઓને જામીન મુક્ત કરેલ છે

વાંકાનેરના તાલુકાના ચંદુપુર ગામે રહેતા હનીફાબેન ગુલામહશેન શેરસીયાએ વાંકાનેરના ચંદૂપુર  ગામની ખેતીની જમીન સર્વે નં-૧૧૪ પૈકી ૨ તથા ૩ રજી. વેંચાણ દસ્તાવેજથી ૨૦૨૦ ની સાલમાં ખરીદ કરી હતી તે જમીન ગેરકાયદેસર રીતે પચાવી પાડવા અંગે તે જ ગામના આરોપીઓ સોયબ ગુલાબ, ફૈઝલ ગુલાબ, અહેમદ ગુલાબ તથા તેની માતા રોશનબેન ગુલાબ સામે ગુજરાત લેન્ડ ગ્રેબીંગ તેમજ ગાળો આપી જાનથી મારી નાખવા ધમકી સહિતની ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે સોયબ ગુલાબભાઈ, ફેબ્રુલ ગુલાબભાઈ, એહમદ ગુલાબભાઈ તથા રોશનબેન ગુલાબભાઈની ધરપકડ કરી હતી અને મોરબીની સ્પે. કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા અને આરોપીઓને જેલમા મોકલેલ હતા અને આરોપીઓએ પોતાના વકલી મારફતે જામીન પર છૂટવા જામીન અરજી કરી હતી અને મોરબીની સ્પે. કોર્ટમાં સરકારી વકીલ અને આરોપીઓના વકીલની દલીલો ધ્યાને લઈને મોરબીની સ્પે. કોર્ટના જજ એસ.પી. જોષીએ આરોપીઓને જામીન ઉપર મુકત કરવાનો હુકમ કરેલ છે આ કેસમાં આરોપીના વકીલ તરીકે મોરબીના વકીલ શ્રીમતી પુષ્પાબેન કે. ભટ્ટ તથા કોશિકભાઈ એ. ભટ્ટ રોકાએલ હતા






Latest News