મોરબીના ગુંગણ ગામ નજીક બાઈક જેસીબી સાથે અથડાતા યુવાનનું મોત મોરબીના ગ્રીન ચોકમાં તાજીયાની ધમાલ લેતી વખતે છરી છાતીમાં ઘુસી જતા અબ્દુલશાને ગંભીર ઈજા, પ્રૌઢ રાજકોટ સિવિલમાં સારવાર હેઠળ  માળીયા મીયાણાના ઘાટીલા ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવતીનું સારવાર દરમિયાન મોત વાંકાનેરના રાતાવીરડા ગામની સીમમાં કારખાનામાં રહેતા ભાભી કેન્ટીનમાંથી જમવાનું લાવેલ ન હોય લાગી આવતા ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારાના ઘૂનડા (સ) ગામે રહેતી પરણીતા રિસામણે બેઠેલ હોય સાળાએ બનેવીને ફોન ઉપર અને છરી બતાવીને આપી જાનથી મારી નાખવાની ધમકી ટંકારાના મીતાણા ગામ પાસે કાર ચાલકે ઉડાવતા પોતાના ખેતરના શેઢે ઊભેલા યુવાનનું મોત મોરબીના લાલપર ગામે ઇશાન કોમ્પ્લેક્ષમાં જુગાર રમતા પાંચ પકડાયા: 1 લાખથી વધુની રોકડ કબજે મોરબીમાં વધુ એક હત્યા : રંગપર નજીક મહિલાનું મર્ડર, છ માસના ટૂંકા ગાળામાં ૧૨ જેટલી હત્યાથી ભયનો માહોલ
Breaking news
Morbi Today

વાંકાનેરના લેન્ડ ગ્રેબીંગના ગુનામા ઝડપાયેલા આરોપીઓનો જામીન પર છુટકારો


SHARE









વાંકાનેરના લેન્ડ ગ્રેબીંગના ગુનામા ઝડપાયેલા આરોપીઓનો જામીન પર છુટકારો

વાંકાનેરના ચંદ્રપુર ગામે રહેતી મહિલાની માલીકીની ખેતીની જમીન ઉપર મહિલા સહિત ચાર દ્વારા કબ્જો કરી લેવામાં આવેલ હતો જેની ફરિયાદ નોંધાઈ હતી જેના આધારે પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી અને આરોપીઓએ વકીલ મારફતે જમીન મુક્ત થવા માટે અરજી મૂકી હતી ત્યાર બાદ મોરબીની સ્પે. કોર્ટના જજે બંને પક્ષની દલીલ ધ્યાને લઈને આરોપીઓને જામીન મુક્ત કરેલ છે

વાંકાનેરના તાલુકાના ચંદુપુર ગામે રહેતા હનીફાબેન ગુલામહશેન શેરસીયાએ વાંકાનેરના ચંદૂપુર  ગામની ખેતીની જમીન સર્વે નં-૧૧૪ પૈકી ૨ તથા ૩ રજી. વેંચાણ દસ્તાવેજથી ૨૦૨૦ ની સાલમાં ખરીદ કરી હતી તે જમીન ગેરકાયદેસર રીતે પચાવી પાડવા અંગે તે જ ગામના આરોપીઓ સોયબ ગુલાબ, ફૈઝલ ગુલાબ, અહેમદ ગુલાબ તથા તેની માતા રોશનબેન ગુલાબ સામે ગુજરાત લેન્ડ ગ્રેબીંગ તેમજ ગાળો આપી જાનથી મારી નાખવા ધમકી સહિતની ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે સોયબ ગુલાબભાઈ, ફેબ્રુલ ગુલાબભાઈ, એહમદ ગુલાબભાઈ તથા રોશનબેન ગુલાબભાઈની ધરપકડ કરી હતી અને મોરબીની સ્પે. કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા અને આરોપીઓને જેલમા મોકલેલ હતા અને આરોપીઓએ પોતાના વકલી મારફતે જામીન પર છૂટવા જામીન અરજી કરી હતી અને મોરબીની સ્પે. કોર્ટમાં સરકારી વકીલ અને આરોપીઓના વકીલની દલીલો ધ્યાને લઈને મોરબીની સ્પે. કોર્ટના જજ એસ.પી. જોષીએ આરોપીઓને જામીન ઉપર મુકત કરવાનો હુકમ કરેલ છે આ કેસમાં આરોપીના વકીલ તરીકે મોરબીના વકીલ શ્રીમતી પુષ્પાબેન કે. ભટ્ટ તથા કોશિકભાઈ એ. ભટ્ટ રોકાએલ હતા






Latest News