માળીયા (મી)ના નાનભેલા- મોટાદહીંસરાના રોડના કામમાં લોમલોલની સીએમને રજૂઆત
વાંકાનેરના લેન્ડ ગ્રેબીંગના ગુનામા ઝડપાયેલા આરોપીઓનો જામીન પર છુટકારો
SHARE
વાંકાનેરના લેન્ડ ગ્રેબીંગના ગુનામા ઝડપાયેલા આરોપીઓનો જામીન પર છુટકારો
વાંકાનેરના ચંદ્રપુર ગામે રહેતી મહિલાની માલીકીની ખેતીની જમીન ઉપર મહિલા સહિત ચાર દ્વારા કબ્જો કરી લેવામાં આવેલ હતો જેની ફરિયાદ નોંધાઈ હતી જેના આધારે પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી અને આરોપીઓએ વકીલ મારફતે જમીન મુક્ત થવા માટે અરજી મૂકી હતી ત્યાર બાદ મોરબીની સ્પે. કોર્ટના જજે બંને પક્ષની દલીલ ધ્યાને લઈને આરોપીઓને જામીન મુક્ત કરેલ છે
વાંકાનેરના તાલુકાના ચંદુપુર ગામે રહેતા હનીફાબેન ગુલામહશેન શેરસીયાએ વાંકાનેરના ચંદૂપુર ગામની ખેતીની જમીન સર્વે નં-૧૧૪ પૈકી ૨ તથા ૩ રજી. વેંચાણ દસ્તાવેજથી ૨૦૨૦ ની સાલમાં ખરીદ કરી હતી તે જમીન ગેરકાયદેસર રીતે પચાવી પાડવા અંગે તે જ ગામના આરોપીઓ સોયબ ગુલાબ, ફૈઝલ ગુલાબ, અહેમદ ગુલાબ તથા તેની માતા રોશનબેન ગુલાબ સામે ગુજરાત લેન્ડ ગ્રેબીંગ તેમજ ગાળો આપી જાનથી મારી નાખવા ધમકી સહિતની ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે સોયબ ગુલાબભાઈ, ફેબ્રુલ ગુલાબભાઈ, એહમદ ગુલાબભાઈ તથા રોશનબેન ગુલાબભાઈની ધરપકડ કરી હતી અને મોરબીની સ્પે. કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા અને આરોપીઓને જેલમા મોકલેલ હતા અને આરોપીઓએ પોતાના વકલી મારફતે જામીન પર છૂટવા જામીન અરજી કરી હતી અને મોરબીની સ્પે. કોર્ટમાં સરકારી વકીલ અને આરોપીઓના વકીલની દલીલો ધ્યાને લઈને મોરબીની સ્પે. કોર્ટના જજ એસ.પી. જોષીએ આરોપીઓને જામીન ઉપર મુકત કરવાનો હુકમ કરેલ છે આ કેસમાં આરોપીના વકીલ તરીકે મોરબીના વકીલ શ્રીમતી પુષ્પાબેન કે. ભટ્ટ તથા કોશિકભાઈ એ. ભટ્ટ રોકાએલ હતા