માળિયા (મી) ખાતે એસિડ પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત મોરબી જીલ્લામાં આવેલ રામપરા વન્યપ્રાણી અભ્યારણ્યમાં સિહ, દીપડા સહિત ૧૦૦થી વધુ પ્રજાતિના વન્યપ્રાણીઓનો વસવાટ મોરબી નજીક કારખાનામાં આગ લાગતા મશીનરી-શેડમાં 32.72 લાખથી વધુનું નુકસાન મોરબીમાં કરોડોના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યા તેના માટે જવાબદાર કોણ ?: પુષ્પરાજસિંહ જાડેજા મોરબીમાં અજાણ્યા શખ્સે 16 વર્ષના સગીરને છરીનો ઘા ઝીકયો મોરબીના લાલપર નજીક સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા થવાથી આધેડનું મોત મોરબીમાં મંગેતર સાથે રસોઇ બનાવવા બાબતે બોલાચાલી બાદ યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી નજીક કારખાનામાં રહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત: બે દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી
Breaking news
Morbi Today

મોરબીમાં ઘર પાછળ ખુલ્લી જગ્યામાં ઝાડ વાવવા મુદ્દે બે પરિવારો વચ્ચે સામસામે ધબધબાટી


SHARE













મોરબીમાં ઘર પાછળ ખુલ્લી જગ્યામાં ઝાડ વાવવા મુદ્દે બે પરિવારો વચ્ચે સામસામે ધબધબાટી

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ શ્રદ્ધા પાર્ક સોસાયટી વિસ્તારમાં ઘરની પાછળ આવેલી ખુલ્લી જગ્યામાં ઝાડ વાવ્યા બાદ તેની ફરતે લાકડાની વાળ કરવામાં આવી હતી અને જેને લઇને બે પરિવારો વચ્ચે સામ સામે બોલાચાલી થયા બાદ મારામારી સર્જાઇ હતી.જેમાં લાકડાના ધોકા તેમજ લોખંડના પાઇપ અને લોખંડની ટામી વડે થયેલી મારામારીના બનાવમાં પાંચ લોકોને ઈજાઓ તથા સારવારમાં ખસેડાયા હતા અને બાદમાં બંને પક્ષેથી સામ સામે ફરિયાદો નોંધાવવામાં આવતા એ ડિવિઝન પોલીસ દ્વારા ફરિયાદ નોંધીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના નવલખી રોડ ઉપર આવેલ શ્રદ્ધા પાર્ક સોસાયટીમાં ગઈકાલે સામસામી મારામારીનો બનાવ બન્યો હતો.જે બનાવવામાં ઇજાઓ થવાથી રાજુભાઈ પ્રેમજીભાઈ પરમાર સતવારા (૬૦), તુલસીભાઈ રાજેશભાઈ પરમાર (૩૫) અને દ્રષ્ટિ તુલસીભાઈ પરમાર ૧૧ માસ તેમજ સામેવાળા જીતેન્દ્ર જયંતીભાઇ મિયત્રા આહિર (૨૮) ને ઇજાઓ પહોંચતા સારવારમાં ખસેડવામાં આવ્યા હતા.બાદમાં પોલીસને જાણ થતા પોલીસે જઈને તપાસ હાથ ધરતા સામ સામે ફરિયાદો નોંધાવવામાં આવી હતી.જેમાં તુલસીભાઈ રાજુભાઈ પરમાર જાતે સતવારા (૩૫) રહે.શ્રદ્ધા પાર્ક સોસાયટી નવલખી રોડ મોરબી વાળાએ તેઓના ઘર નજીક રહેતા જીતેન્દ્ર જયંતી મિયાત્રા, શીતલબેન જયંતિ મિયાત્રા અને જયંતીભાઈ મિયાત્રા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, તેમના પિતા રાજુભાઈ પ્રેમજીભાઈ પરમાર દ્વારા સામેવાળા જીતેન્દ્રભાઈના ઘરની પાછળની ખુલ્લી જમીનમાં વરસાદી મોસમ હોય વૃક્ષો વાવ્યા હતા અને એ વૃક્ષની ફરતે તેઓએ લાકડાના ખાંભાથી વાળ કરી હતી જે વાળ સામેવાળાઓએ વગર પૂછ્યે કાઢી નાંખતા તે અંગે રાજુભાઈ તેઓને કહેવા માટે ગયા હતા અને તે બાબત જીતેન્દ્રભાઈને સારી ન લાગતાં તેઓએ ફરિયાદી તુલસીભાઇના પિતા રાજુભાઈને ગાળો આપી હતી અને લાકડાના ધોકા વડે તેમજ લોખંડના પાઇપ વડે માર મારવામાં આવ્યો હતો તેમ જ પોતાના પિતાને બચાવવા માટે વચ્ચે પડેલા તુલસીભાઈ અને તુલસીભાઈની પત્ની સોનીબેનને પણ સામેવાળાઓએ માર માર્યો હતો.જેથી હાલ તુલસીભાઈ પરમારની ફરિયાદ ઉપરથી જીતેન્દ્રભાઈ, શીતલબેન અને જયંતીભાઈ મિયાત્રા વિરુદ્ધ પોલીસે મારામારી અંગે ગુનો નોંધ્યો હતો.

જ્યારે સામા પક્ષેથી જીતેન્દ્રભાઈ જયંતીભાઈ મિયાત્રા જાતે આહિર (૨૮) ધંધો ડ્રાઇવિંગ રહે.શ્રદ્ધા પાર્ક સોસાયટી નવલખી રોડ મોરબી એ પોતાના ઘર નજીક રહેતા રાજુભાઈ સતવારા અને તુલસી રાજુભાઇ સતવારા નામના પિતા-પુત્ર ઉપર ફરિયાદ નોંધાવી હતી અને તેમાં તેઓએ જણાવ્યું હતું કે તેઓના ઘરની પાછળ સામાવાળા દ્રારા વૃક્ષ ઉગાડવામાં આવ્યું હતું અને તેની ફરતે લાકડાના ખાંભા લગાવીને વાડ કરી હતી તે વાડ કાઢી નાંખવામાં આવતા કેમ લાકડાના ખાંભા કાઢી નાખ્યા..? તેમ કહીને સામેવાળાઓએ ગાળો આપી હતી અને લોખંડની ટામી વડે પોતાના ઉપર તેમજ સાહેબ શીતલબેન ઉપર હુમલો કર્યો હતો અને માર મારવામાં આવ્યો હતો.બંને પક્ષેથી સામસામે ફરિયાદો નોંધાવવામાં આવતા હાલમાં એ ડિવિઝન પોલીસ મથકના એએસઆઇ એ.એમ.જાપડીયા દ્વારા ફરિયાદો નોંધીને આ અંગે આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે.






Latest News