ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં કેન્સરની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી લેતા યુવાનનું મોત


SHARE













મોરબીમાં કેન્સરની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી લેતા યુવાનનું મોત

મોરબીના માળીયા હાઈવે ઉપર ટીંબડી ગામના પાટિયા નજીક ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડાયેલ યુવાનનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાનું જાણવા મળેલ છે.મૃતક યુવાનને કેન્સરની બીમારી હોવાથી તેણે ઉપરોકત પગલું ભર્યુ હોવાનું પ્રાથમિક પોલીસ તપાસમાં ખુલ્યું છે. 

મોરબી તાલુકા પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના માળીયા હાઈવે ઉપર આવેલ ટીંબડી ગામના પાટિયા પાસે હસમુખ જેન્તીભાઈ કવૈયા જાતે લુહાર (ઉમર ૩૮) રહે.રણછોડનગર મોરબી નામના યુવાને ઝેરી દવા પી લીધી હતી. તા.૧૩-૮ ના બપોરના બારેક વાગ્યાના અરસામાં હસમુખે ઝેરી દવા પી લીધી હોય તેને સારવાર માટે સિવિલે ખસેડાયો હતો અને ત્યાં આજે તા.૧૪ ના સવારના સમયે હસમુખ કવૈયાનું સારવાર દરમિયાન મોત નિપજયુ હતુ. બનાવની જાણ થતાં મોરબી તાલુકા પોલીસ મથકના એમ.એલ.બારૈયાએ તપાસ શરૂ કરી હતી જેમાં ખૂલ્યું હતું કે મૃતક હસમુખભાઈ કવૈયાને કેન્સરની બીમારી હોય તે બીમારીને લઇને તેણે કંટાળી જઇને ઉપરોક્ત અંતિમ પગલું ભરી લેતા તેનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું છે.

મજુર સારવારમાં

મોરબીમાં હળવદ રોડ ઉપર ઉંચી માંડલ ગામ પાસે આવેલ લક્ષગ્રેસ સીરામીક નામના યુનિટના સ્ટાફ કવાટરમાં રહીને ત્યાં જ મજુરી કામ કરતા હારૂભાઇ બિલાવલ નામના ૨૧ વર્ષીય યુવાનનો જમણો હાથ મશીનના કન્વ્યેનર બેલ્ટમાં આવી જતા તેને વધુ સારવાર માટે મોરબી બાદ રાજકોટ ખસેડાયો હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે. જ્યારે માળીયા મીંયાણાનો રહેવાસી સદામહુસેન દિલાવર મોવર નામનો ૨૬ વર્ષીય યુવાન બાઈક લઈને લક્ષ્મીનગર ગામમી પાસેથી જતો હતો ત્યારે રસ્તામાં તેના બાઇકની આડે કુતરૂ ઉતરતા અકસ્માતમાં માથાના ભાગે ઇજાઓ સાથે સદ્દામહુસૈનને અત્રેની આયુષ હોસ્પિટલે સારવારમાં ખસેડાયો હતો.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ






Latest News