મોરબીમાં એપાર્ટમેન્ટનું નબળું બાંધકામ કરનાર બિલ્ડરને રીપેરીંગ કરવા ગ્રાહક તકરાર કોર્ટનો હુકમ
મોરબીમાં રોડના ખાડ બુરવા માટે પાલિકાને સામાજિક કાર્યકરોનું ૧૫ દિવસનું અલ્ટિમેટમ
SHARE
મોરબીમાં રોડના ખાડ બુરવા માટે પાલિકાને સામાજિક કાર્યકરોનું ૧૫ દિવસનું અલ્ટિમેટમ
મોરબીને મયુર નગરી કહેવાતુ પરંતુ આજે મોરબી ખાડા નગરી તરીકે ઓળખાય છે કેમ કે, મોટાભાગના રોડ રસ્તા ઉપર લોકોની કમર તૂટી જાય તેવા ખાડા પડી ગયા છે જેથી કરીને આ ખાડાને રીપેર કરવાની સામાજિક કાર્યકરો દ્વારા સીએમને રજૂઆત કરવામાં આવી છે
મોરબીના સામાજીક કાર્યકર રાજુભાઇ દવે, અશોક ખરચરીયા, જગદીશ બાંભણીયા દ્વારા સીએમને રજૂઆત કરવામાં આવી છે જેમાં તેમણે જણાવ્યુ છે કે, મોરબી જીલ્લાના નેશનલ હાઇવેથી લઈને શહેરના રોડ રસ્તા ભાંગીને ભુક્કો થઈ ગયા છે ખાસ કરીને રવાપર રોડ, નગરપાલીકા કચેરી પાસેનો રોડ, કલેકટર બંગલા પાસેનો રોડ, શનાળા રોડ, પરા બજાર સહિતના રસ્તામાં ઠેરઠેર ખાડા પડી ગયા છે અને આ ખાડ બુરવા માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવે છે જો કે, તે કયા ચાઉં થઇ જાય છે તે તપાસનો વિષય છે મોરબીના લોકોની સુખાકારી માટે સરકારી ગ્રાન્ટ ઉપરાંત લોકો દ્વારા કરોડો રૂપિયાનો ટેક્સ પણ પાલિકામાં ભરવામાં આવે છે તો પણ લોકોને સારા રોડ રસ્તાની સુવિધાઓ પણ મળતી નથી અને જેટલા પણ રોડ બને છે તેમાં ઈજનેરોને સાથે રાખીને કોઈ જગ્યાએ પાણીના નિકાલ સહિતની કામગીરી કરવામાં આવતી નથી જેથી રોડ ટકતા નથી અને લોકોની હાલાકી દૂર થતી નથી ખાસ કરીને જીલ્લામાં માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓએ દ્વારા જયારે કામ ચાલુ હોય છે ત્યારે કોઇ ધ્યાન આપવામાં આવતું નથી જેથી કરીને નબળી કામગીરી કોન્ટ્રાકટર દ્વારા કરવામાં આવે છે ત્યારે હાલમાં સીએમને જે રજૂઆત કરવામાં આવી છે તેને ધ્યાને લઈને જો ૧૫ દિવસમાં કામગીરી ન થઇ તો પ્રજાને સાથે રાખીને પાલિકાને તાળા બંધી કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે