ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં રોડના ખાડ બુરવા માટે પાલિકાને સામાજિક કાર્યકરોનું ૧૫ દિવસનું અલ્ટિમેટમ


SHARE













મોરબીમાં રોડના ખાડ બુરવા માટે પાલિકાને સામાજિક કાર્યકરોનું ૧૫ દિવસનું અલ્ટિમેટમ

મોરબીને મયુર નગરી કહેવાતુ પરંતુ આજે મોરબી ખાડા નગરી તરીકે ઓળખાય છે કેમ કે, મોટાભાગના રોડ રસ્તા ઉપર લોકોની કમર તૂટી જાય તેવા ખાડા પડી ગયા છે જેથી કરીને આ ખાડાને રીપેર કરવાની સામાજિક કાર્યકરો દ્વારા સીએમને રજૂઆત કરવામાં આવી છે

મોરબીના સામાજીક કાર્યકર રાજુભાઇ દવે, અશોક ખરચરીયા, જગદીશ બાંભણીયા દ્વારા સીએમને રજૂઆત કરવામાં આવી છે જેમાં તેમણે જણાવ્યુ છે કે, મોરબી જીલ્લાના નેશનલ હાઇવેથી લઈને શહેરના રોડ રસ્તા ભાંગીને ભુક્કો થઈ ગયા છે ખાસ કરીને રવાપર રોડ, નગરપાલીકા કચેરી પાસેનો રોડ, કલેકટર બંગલા પાસેનો રોડ, શનાળા રોડ, પરા બજાર સહિતના રસ્તામાં ઠેરઠેર ખાડા પડી ગયા છે અને આ ખાડ બુરવા માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવે છે જો કે, તે કયા ચાઉં થઇ જાય છે તે તપાસનો વિષય છે મોરબીના લોકોની સુખાકારી માટે સરકારી ગ્રાન્ટ ઉપરાંત લોકો દ્વારા કરોડો રૂપિયાનો ટેક્સ પણ પાલિકામાં ભરવામાં આવે છે તો પણ લોકોને  સારા રોડ રસ્તાની સુવિધાઓ પણ મળતી નથી અને જેટલા પણ રોડ બને છે તેમાં ઈજનેરોને સાથે રાખીને કોઈ જગ્યાએ પાણીના નિકાલ સહિતની કામગીરી કરવામાં આવતી નથી જેથી રોડ કતા નથી અને લોકોની હાલાકી દૂર થતી નથી ખાસ કરીને જીલ્લામાં માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓએ દ્વારા જયારે કામ ચાલુ હોય છે ત્યારે કોઇ ધ્યાન આપવામાં આવતું નથી જેથી કરીને નબળી કામગીરી કોન્ટ્રાકટર દ્વારા કરવામાં આવે છે ત્યારે હાલમાં સીએમને જે રજૂઆત કરવામાં આવી છે તેને ધ્યાને લઈને જો ૧૫ દિવસમાં કામગીરી ન થઇ તો પ્રજાને સાથે રાખીને પાલિકાને તાળા બંધી કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે






Latest News