મોરબીમાં રોડના ખાડ બુરવા માટે પાલિકાને સામાજિક કાર્યકરોનું ૧૫ દિવસનું અલ્ટિમેટમ
મોરબી જીલ્લામાં એક જ જગ્યાએ ચીટકી ગયેલા અધિકારી-કર્મચારીની આરટીઆઇ હેઠળ માહિતી માંગવામાં આવી
SHARE
મોરબી જીલ્લામાં એક જ જગ્યાએ ચીટકી ગયેલા અધિકારી-કર્મચારીની આરટીઆઇ હેઠળ માહિતી માંગવામાં આવી
મોરબી જીલ્લાના પુર્વ સલાહકાર અન્ન નાગરીક પુરવઠા પી.પી.જોષીએ કલેકટરને લેખિત રજૂઆત કરીને માહીતી અધિનીયમ -૨૦૦૫ હેઠળ મોરબી જીલ્લામાં છેલ્લા ઘણા વર્ષોથી રેવન્યુ વિભાગમાં એક જ જગ્યાએ રાખવામા આવેલા અધિકારી અને કર્મચારીની માહિતી માંગવામાં આવી છે
હાલમાં જે માહિતી માંગવામાં આવી છે તેમાં કલેક્ટર હસ્તકની કચેરીમા છેલ્લા ત્રણ વર્ષથી વધુ સમયથી એક જ જગ્યાએ ફરજ બજાવતા કર્મચારીની માહીતી માંગવામાં આવી છે જેમાં કલેકટર કચેરી, પ્રાંત અધિકારીની કચેરી, મામલતદાર કચેરીઓનો સમાવેશ થાય છે અને છેલ્લા એક વર્ષમાં કોઇ અધિકારી કર્મચારીની બદલી થઇ હોય તો તેની પણ માહિતી માંગવામાં આવી છે સાથોસાથ બદલી થયેલા કર્મચારી કે અધિકારીને ફરીથી ટુંકાગાળામાં પરત તેની જૂની જગ્યાએ મૂકવામાં આવેલ હોય તો તેની પણ માહિતી માંગી છે અને સરકારના કર્મચારી તેમજ અધિકારીની બદલીનો નિયમ ત્રણ વર્ષનો છે જે નિયમોનુસાર વર્ષ ૨૦૧૮ થી લઇને ૨૦૨૨ સુધીમાં કેટલા કર્મચારીની બદલી કરેલ છે તેની પણ વિગતો માંગવામાં આવેલ છે