કચ્છ લોકસભા પરિવાર-સમાજ નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન ગુજરાત વિધાનસભા સત્ર ચાલુ હોય માર્ચ માહિનામાં મોરબી જિલ્લા સંકલનની બેઠક મોકૂફ કચ્છના ગુનેરી ગામે સાસંદની હાજરીમાં રંગોત્સવની ઉજવણી કરાશે મોરબી : રવાપર ગ્રામ પંચાયત નજીક બાઇકમાંથી પડી જતા વૃદ્ધા સારવારમાં સિંઘમ: મોરબી જિલ્લામાં રેડ કરવા ગયેલ પોલીસ ઉપર હુમલો કરનાર બુટલેગરના પરિવારે સરકારી ખરાબમાં બનાવેલ મકાન પોલીસ પ્રોટેકશન સાથે તોડી પડાયું મોરબી જિલ્લા તેજોરી કચેરી દ્વારા સો વર્ષ પુરા કરનાર પેન્શનરના પેન્શનમાં સો ટકાનો વધારો કરાયો; અન્ય પેન્શનરની હયાતીની ખરાઈ કરી પેન્શન ચૂકવાયું મોરબીનાં ગ્રામ્ય વિસ્તારમાંથી સગીરાનું અપહરણ: શોધખોળ મોરબી નજીકથી બોલેરો ગાડીમાં કુરતાપૂર્વક બાંધીને 3 પાડીને લઈ જનારા શખ્સ સામે ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

મોરબીના નર્મદા બાલ ઘર દ્વારા ૨૫  જેટલી શાળાઓને આપવામાં આવ્યા 3D પ્રિન્ટર


SHARE











મોરબીના નર્મદા બાલ ઘર દ્વારા ૨૫  જેટલી શાળાઓને આપવામાં આવ્યા 3D પ્રિન્ટર

મોરબીના નર્મદા બાલ ઘર દ્વારા વિજ્ઞાન-ટેકનોલોજી શિક્ષણ વધુમાં વધુ બાળકોને મળે તેના માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે ત્યારે નર્મદા બાલ ઘર દ્વારા મોરબીમાં સાર્થક વિદ્યા મંદિર ખાતે જુદીજુદી સ્કૂલને નિઃશુલ્ક 3D પ્રિન્ટર આપવા માટેનો કાર્યક્ર્મ રાખવામા આવ્યો હતો અને આ કાર્યક્ર્મમાં પ્રથમ ચરણમાં ૨૫  જેટલી શાળાઓને 3D પ્રિન્ટર આપવામાં આવેલ છે અને આ ટેકનોલોજી વિદ્યાર્થીઓને શીખવવા માટે નર્મદા બાલ ઘર તરફથી એક પોર્ટલ દ્વારા દરેક સ્કૂલને નિઃશુલ્ક જોડવામાં આવી છે અને 3D પ્રિન્ટર ઉપરાંત ભવિષ્યમાં ડ્રોન, AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) પ્રોડક્ટ વગેરે ટેકનોલોજી ઉપર કાર્ય કરવામાં આવશે અને મોરબીને ભારતનું સિલિકોન વેલી બનાવવા તરફના આ પ્રયત્નમાં મોરબી દ્વારા સહકાર મળી રહ્યો છે આ તકે આઈઆઈટીઇ ના વાઇસ ચાન્સેલર ડો. હર્ષદભાઈ પટેલ, ડો. બલવંતભાઈ જાની, ડો. અનામિક શાહ, ડો. નારાયણ દેસાઇ, ઉદ્યોગકાર કિરીટભાઇ વાસા, શશિકાંતભાઈ, સાર્થક વિદ્યા મંદિરના સંચાલક કિશોરભાઈ શુકલ, મહેશભાઇ બોપલિયા તેમજ સંજયભાઈ પટેલ સહિતના હાજર રહ્યા હતા અને કાર્યક્ર્મને સફળ બનાવવા માટે નર્મદા બાલ ઘરની ટિમ તેમજ સાર્થક વિદ્યા મંદિરના પ્રમોદસિંહ રાણા સહિતના સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી








Latest News