મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી કૃષિ મંત્રીએ કરેલી જાહેરાતના ધજાગરા ?: મોરબીના જેતપર ગામે આજની તારીખે પણ ખાનગી કંપનીના વીજ પોલ ઊભા કરવાનું કામ ચાલુ! મોરબીમાં સ્પામાં કામ કરતા લોકોના બાયોડેટા ન આપવા સબબ બે સ્પા સંચાલકો સામે કાર્યવાહી, માટેલ અને ઢુવાથી બે બાઈકની ચોરી વાંકાનેરના રાતીદેવડી ગામે નોનવેજની લારીએ ગયેલ યુવાનને જાતિ પ્રત્યે હડધુત કરી ધોકા-પાઇપ વડે માર માર્યો,વાંકાનેરના કાશીપર ગામે પિતા-પુત્ર ઉપર હુમલો મોરબીમાં હિન્દુ-મુસ્લિમ છોકરા-છોકરીના લગ્ન કરાવી આપવાનું કહી યુવાન ઉપર હુમલો, સામસામે ફરિયાદ નોંધાઇ મોરબી : પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના છેલ્લા ૨ હપ્તા જમા ન થતા રજુઆત મોરબીના ગ્રીન ચોકમાં તાજીયાની ધમાલ લેતી વખતે છરી છાતીમાં ઘુસી જતા અબ્દુલશાનું સારવાર દરમિયાન મોત મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં સિરામિક ટ્રેડર્સ એસો. દ્વારા કાર રેલી યોજાઈ, બે-ત્રણ દિવસમાં આંદોલનનો સુખદ અંત આવે તેવી શકયતા
Breaking news
Morbi Today

મોરબીના નર્મદા બાલ ઘર દ્વારા ૨૫  જેટલી શાળાઓને આપવામાં આવ્યા 3D પ્રિન્ટર


SHARE









મોરબીના નર્મદા બાલ ઘર દ્વારા ૨૫  જેટલી શાળાઓને આપવામાં આવ્યા 3D પ્રિન્ટર

મોરબીના નર્મદા બાલ ઘર દ્વારા વિજ્ઞાન-ટેકનોલોજી શિક્ષણ વધુમાં વધુ બાળકોને મળે તેના માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે ત્યારે નર્મદા બાલ ઘર દ્વારા મોરબીમાં સાર્થક વિદ્યા મંદિર ખાતે જુદીજુદી સ્કૂલને નિઃશુલ્ક 3D પ્રિન્ટર આપવા માટેનો કાર્યક્ર્મ રાખવામા આવ્યો હતો અને આ કાર્યક્ર્મમાં પ્રથમ ચરણમાં ૨૫  જેટલી શાળાઓને 3D પ્રિન્ટર આપવામાં આવેલ છે અને આ ટેકનોલોજી વિદ્યાર્થીઓને શીખવવા માટે નર્મદા બાલ ઘર તરફથી એક પોર્ટલ દ્વારા દરેક સ્કૂલને નિઃશુલ્ક જોડવામાં આવી છે અને 3D પ્રિન્ટર ઉપરાંત ભવિષ્યમાં ડ્રોન, AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) પ્રોડક્ટ વગેરે ટેકનોલોજી ઉપર કાર્ય કરવામાં આવશે અને મોરબીને ભારતનું સિલિકોન વેલી બનાવવા તરફના આ પ્રયત્નમાં મોરબી દ્વારા સહકાર મળી રહ્યો છે આ તકે આઈઆઈટીઇ ના વાઇસ ચાન્સેલર ડો. હર્ષદભાઈ પટેલ, ડો. બલવંતભાઈ જાની, ડો. અનામિક શાહ, ડો. નારાયણ દેસાઇ, ઉદ્યોગકાર કિરીટભાઇ વાસા, શશિકાંતભાઈ, સાર્થક વિદ્યા મંદિરના સંચાલક કિશોરભાઈ શુકલ, મહેશભાઇ બોપલિયા તેમજ સંજયભાઈ પટેલ સહિતના હાજર રહ્યા હતા અને કાર્યક્ર્મને સફળ બનાવવા માટે નર્મદા બાલ ઘરની ટિમ તેમજ સાર્થક વિદ્યા મંદિરના પ્રમોદસિંહ રાણા સહિતના સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી






Latest News