મોરબી: રવાપર તાલુકા શાળાના ધો.8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમરોહ યોજાયો વાંકાનેરના સમથેરવા ગામની સીમ હત્યા કરાયેલ યુવાનના વાલી-વારસની શોધખોળ ચાલુ મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ: 511 ફોર્મ ઉપાડ્યા, હજુ ભરાયા માત્ર 75, ભાજપના સત્તાવાર ઉમેવદારો જાહેર ન કરાતા અવઢવ મોરબી મહાનગરપાલિકા ચૂંટણી: પૂર્વ પ્રમુખ લલીતભાઈ કામરીયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી મોરબી તાલુકા પોલીસે નવ વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડ્યો મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ: ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની ટંકારાના લજાઈ પાસેનો બનાવ: મારી પત્ની તારા લીધે મારા છોકરા અને મને મૂકીને જતી રહી કહીને યુવાને કરી નાખી મહિલાની હત્યા ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત
Breaking news
Morbi Today

મોરબીના નર્મદા બાલ ઘર દ્વારા ૨૫  જેટલી શાળાઓને આપવામાં આવ્યા 3D પ્રિન્ટર


SHARE











મોરબીના નર્મદા બાલ ઘર દ્વારા ૨૫  જેટલી શાળાઓને આપવામાં આવ્યા 3D પ્રિન્ટર

મોરબીના નર્મદા બાલ ઘર દ્વારા વિજ્ઞાન-ટેકનોલોજી શિક્ષણ વધુમાં વધુ બાળકોને મળે તેના માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે ત્યારે નર્મદા બાલ ઘર દ્વારા મોરબીમાં સાર્થક વિદ્યા મંદિર ખાતે જુદીજુદી સ્કૂલને નિઃશુલ્ક 3D પ્રિન્ટર આપવા માટેનો કાર્યક્ર્મ રાખવામા આવ્યો હતો અને આ કાર્યક્ર્મમાં પ્રથમ ચરણમાં ૨૫  જેટલી શાળાઓને 3D પ્રિન્ટર આપવામાં આવેલ છે અને આ ટેકનોલોજી વિદ્યાર્થીઓને શીખવવા માટે નર્મદા બાલ ઘર તરફથી એક પોર્ટલ દ્વારા દરેક સ્કૂલને નિઃશુલ્ક જોડવામાં આવી છે અને 3D પ્રિન્ટર ઉપરાંત ભવિષ્યમાં ડ્રોન, AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) પ્રોડક્ટ વગેરે ટેકનોલોજી ઉપર કાર્ય કરવામાં આવશે અને મોરબીને ભારતનું સિલિકોન વેલી બનાવવા તરફના આ પ્રયત્નમાં મોરબી દ્વારા સહકાર મળી રહ્યો છે આ તકે આઈઆઈટીઇ ના વાઇસ ચાન્સેલર ડો. હર્ષદભાઈ પટેલ, ડો. બલવંતભાઈ જાની, ડો. અનામિક શાહ, ડો. નારાયણ દેસાઇ, ઉદ્યોગકાર કિરીટભાઇ વાસા, શશિકાંતભાઈ, સાર્થક વિદ્યા મંદિરના સંચાલક કિશોરભાઈ શુકલ, મહેશભાઇ બોપલિયા તેમજ સંજયભાઈ પટેલ સહિતના હાજર રહ્યા હતા અને કાર્યક્ર્મને સફળ બનાવવા માટે નર્મદા બાલ ઘરની ટિમ તેમજ સાર્થક વિદ્યા મંદિરના પ્રમોદસિંહ રાણા સહિતના સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી






Latest News