મોરબીના વીસી ફાટક પાસે અકસ્માત સર્જી વૃદ્ધનું મોત નિપજાવનારની ધરપકડ
મોરબીથી સારવાર માટે રાજકોટ ખસેડાયેલા વૃદ્ધાનું મોત
SHARE
મોરબીથી સારવાર માટે રાજકોટ ખસેડાયેલા વૃદ્ધાનું મોત
મોરબીના જુના મહાજન ચોકની પાસે કબ્રસ્તાન નજીકથી થોડા દિવસો પહેલા બીમાર વૃદ્ધાને સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યા હતા.જ્યાં સારવાર દરમિયાન વૃદ્ધાનું મોત નીપજ્યું હતું અને પોલીસે આ અંગે આગળની તપાસ હાથ ધરી છે.
મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ગત તા.૧-૭ ના બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં ૧૦૮ વડે બીમાર હાલતમાં હસીનાબેન ગુલમહમદ માણેક (ઉમર ૬૦) મૂળ રહે.માળિયા મીંયાણા હાલ રહે. મોરબી કબ્રસ્તાન પાસે વાળાઓને મોરબી સિવિલ ખાતે લાવવામાં આવ્યા હતા જ્યાં પ્રાથમિક સારવાર આપીને તેઓને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા અને ગઈકાલ તા.૧૮-૭ ના સારવાર દરમિયાન હસીનાબેન ગુલમહંમદભાઈ નામના ૬૦ વર્ષીય વૃદ્ધાનું રાજકોટ ખાતે મોત નિપજયુ હતું.જ્યાંથી તપાસ અંગેના કાગળો આવતા હાલમાં એ ડિવિઝન પોલીસ મથકના એ.એમ.ઝાપડિયા દ્વારા આ અંગે નોંધ કરીને મૃતકના વાલી વારસો અંગે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.બીમારી સબબ દવાખાનામાં દાખલ કરાયેલ વૃદ્ધાનું મોત નિપજયુ હોવાનું જાણવા મળેલ છે.
મારામારીમાં ઇજા
મોરબીના નાની કેનાલ પાસે આવેલ ઓમપાર્ક નજીક વાડી વિસ્તારમાં રહેતા નિર્મળાબેન હરેશભાઈ પરમાર નામની ૨૪ વર્ષીય મહિલાને તેના ઘેર મારામારીના બનાવમાં ઇજાઓ પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવી હતી. જ્યારે મોરબીના વાંકાનેર હાઇવે ઉપર મકનસર ગામ નજીક આવેલ પ્રેમજીનગર વિસ્તારમાં રહેતો સંજય સુરેશભાઈ સાવરીયા નામનો દસ વર્ષીય બાળક ઘર નજીક રમતો હતો ત્યાં રમતા રમતા તે અકસ્માતે પડી જતા તેને સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.
વાહન અકસ્માતમાં ઇજા
મોરબીના ઘુંટુ રોડ ઉપર આવેલ મિટકો સીરામીક નજીક રહેતો વિશાલ રામાઆશિષ પાસ્વાન નામનો ૧૮ વર્ષીય યુવાન ઘુંટુ રોડ ઉપર સોના સિરામિક પાસેથી જતો હતો.ત્યાં તેને વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થવાથી તેને સારવાર માટે સદભાવના હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો.બનાવને પગલે તાલુકા પોલીસ મથકના મહિલા એએસઆઇ જિજ્ઞાસાબેન કણસાગરા દ્વારા હાલમાં તપાસ હાથ ધરવામાં આવી છે.