ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીથી સારવાર માટે રાજકોટ ખસેડાયેલા વૃદ્ધાનું મોત


SHARE













મોરબીથી સારવાર માટે રાજકોટ ખસેડાયેલા વૃદ્ધાનું મોત

મોરબીના જુના મહાજન ચોકની પાસે કબ્રસ્તાન નજીકથી થોડા દિવસો પહેલા બીમાર વૃદ્ધાને સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યા હતા.જ્યાં સારવાર દરમિયાન વૃદ્ધાનું મોત નીપજ્યું હતું અને પોલીસે આ અંગે આગળની તપાસ હાથ ધરી છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ગત તા.૧-૭ ના બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં ૧૦૮ વડે બીમાર હાલતમાં હસીનાબેન ગુલમહમદ માણેક (ઉમર ૬૦) મૂળ રહે.માળિયા મીંયાણા હાલ રહે. મોરબી કબ્રસ્તાન પાસે વાળાઓને મોરબી સિવિલ ખાતે લાવવામાં આવ્યા હતા જ્યાં પ્રાથમિક સારવાર આપીને તેઓને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા અને ગઈકાલ તા.૧૮-૭ ના સારવાર દરમિયાન હસીનાબેન ગુલમહંમદભાઈ નામના ૬૦ વર્ષીય વૃદ્ધાનું રાજકોટ ખાતે મોત નિપજયુ હતું.જ્યાંથી તપાસ અંગેના કાગળો આવતા હાલમાં એ ડિવિઝન પોલીસ મથકના એ.એમ.ઝાપડિયા દ્વારા આ અંગે નોંધ કરીને મૃતકના વાલી વારસો અંગે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.બીમારી સબબ દવાખાનામાં દાખલ કરાયેલ વૃદ્ધાનું મોત નિપજયુ હોવાનું જાણવા મળેલ છે.

મારામારીમાં ઇજા

મોરબીના નાની કેનાલ પાસે આવેલ ઓમપાર્ક નજીક વાડી વિસ્તારમાં રહેતા નિર્મળાબેન હરેશભાઈ પરમાર નામની ૨૪ વર્ષીય મહિલાને તેના ઘેર મારામારીના બનાવમાં ઇજાઓ પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવી હતી. જ્યારે મોરબીના વાંકાનેર હાઇવે ઉપર મકનસર ગામ નજીક આવેલ પ્રેમજીનગર વિસ્તારમાં રહેતો સંજય સુરેશભાઈ સાવરીયા નામનો દસ વર્ષીય બાળક ઘર નજીક રમતો હતો ત્યાં રમતા રમતા તે અકસ્માતે પડી જતા તેને સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના ઘુંટુ રોડ ઉપર આવેલ મિટકો સીરામીક નજીક રહેતો વિશાલ રામાઆશિષ પાસ્વાન નામનો ૧૮ વર્ષીય યુવાન ઘુંટુ રોડ ઉપર સોના સિરામિક પાસેથી જતો હતો.ત્યાં તેને વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થવાથી તેને સારવાર માટે સદભાવના હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો.બનાવને પગલે તાલુકા પોલીસ મથકના મહિલા એએસઆઇ જિજ્ઞાસાબેન કણસાગરા દ્વારા હાલમાં તપાસ હાથ ધરવામાં આવી છે.






Latest News