મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

ગદ્દાર ઉપર નિશાન ટાંક્યુ, હું કોંગ્રેસ સાથે ક્યારેય ગદ્દારી કરીશ નહીઃ લલીત કગથરા


SHARE







મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા આજે ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ લલિત કગથરાને આવકારવા માટે ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યાર બાદ દ્વારકેશ પાર્ટી પ્લોટ ખાતે સભા યોજાઇ હતી જેમાં આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસનાં કાર્યકરોને કોંગ્રેસ માટે કામે લાગી જવા હાકલ કરવામાં આવી હતી અને તેની સાથોસાથ આગેવાનોએ ભાજપ સરકારની સામે અનેક પ્રહારો કર્યા હતા અને થોડા સમય પહેલા કોંગ્રેસ છોડીને ગયેલા ગદ્દર ધારાસભ્ય ઉપર પણ કટાક્ષ કર્યો હતો તેજમ કહ્યુ હતુ કે હું ક્યારે કોંગ્રેસ સાથે ગદ્દારી નહૂ કરુ.

તાજેતરમાં રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં પ્રમુખ ઉપરાંત ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં છ કાર્યકારી પ્રમુખ જાહેર કરવામાં આવેલ છે જેમાં મોરબી જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખ અને ટંકારા પડધરીના ધારાસભ્ય લલિત કગથરાનો પણ સમાવેશ કરવામાં આવેલ છે જેથી કરીને મોરબી જિલ્લા કોંગ્રેસમાં આનંદની લાગણી છે ત્યારે મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ જયંતિભાઈ પટેલ, તાલુકા કોંગ્રેસનાં પ્રમુખ કે.ડી.પડસુંબિયા અને શહેર કોંગ્રેસનાં પ્રમુખ રાજુભાઇ કાવર, મુકેશભાઇ ગામી, અમુભાઇ હુંબલ, ધર્મેન્દ્રભાઇ એરવાડીયા, હેમાંગભાઇ રાવલ, મહેશભાઇ પરજીયા, નયનભાઇ અઘારા, મહેશભાઇ રાજ્યગુરુ, રમેશભાઇ રબારી અલ્પેશ કોઠીયા, દેવેન્દ્રસિંહ જાડેજા, ચિંતન રાજ્યગુરુ સહિતના જિલ્લાના કોંગ્રેસનાં આગેવાનો, હોદેદારો અને કાર્યકરો વિશાળ સંખ્યામાં હાજર રહ્યા હતા 

મોરબીમાં રામધન આશ્રમ (મહેન્દ્રનગર)થી દ્વારકેશ પાર્ટી પ્લોટ સુધી બાઈક રેલી યોજાઇ હતી ત્યારે ધારાસભ્ય લલતી વસોયા, ઋતેવીજભાઇ મકવાણા, કિરીટભાઇ, પ્રભારી રામકિશન ઓઝા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા આ તકે તમામ આગેવાનોએ પ્રાસંગીક પ્રવચન કર્યુ હતુ ત્યારે લલીતભાઈ કગથરાએ સભાને સંબોધન કરતા કહ્યું હતું કે થોડા સમય પહેલા કોંગ્રેસમાંથી ચૂંટાયેલા ધારાસભ્ય એ ગદ્દારી કરીને કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો હતો જોકે હું કોંગ્રેસ સાથે ક્યારેય ગદ્દારી કરીશ નહીં અને કોંગ્રેસના રાષ્ટ્રીય નેતૃત્વ દ્વારા સૌરાષ્ટ્ર માટે થઈને ત્રણ ધારાસભ્યોને કાર્યકારી પ્રમુખ તરીકે જે જવાબદારી સોંપી છે તેને સાર્થક કરવા માટે થઈને આગામી સમયમાં ત્રણેય કાર્યકારી પ્રમુખ દ્વારા સંયુક્ત રીતે સૌરાષ્ટ્રના ગામો ગામ ની યાત્રા કરવામાં આવશે

વધુમાં તેમને કહ્યુ હતુ કે વર્તમાન સમયની અંદર રૂપિયો ડોલર સામે નબળો પડ્યો છે તે સહિત યુવાનોની બેરોજગારી, ઉદ્યોગોકારોને પડતી મુશ્કેલીઓ, ગૃહીણીઓની મુશ્કેલીઓ આ સહિતના મુદ્દાઓને ઉજાગર કરીને આગામી વિધાનસભાની ચૂંટણીમાં પરિણામલક્ષી કામગીરી કાર્યકારી પ્રમુખ સહિત કોંગ્રેસનો પાયાનો કાર્યકર પણ કરશે તેવી આશા તેઓએ વ્યક્ત કરી હતી આ સભામાં શહેર, તાલુકા અને જિલ્લામાંથી કોંગ્રેસના આગેવાનોહોદ્દેદારો અને કાર્યકરો જોડાયા હતા






Latest News