ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

ગદ્દાર ઉપર નિશાન ટાંક્યુ, હું કોંગ્રેસ સાથે ક્યારેય ગદ્દારી કરીશ નહીઃ લલીત કગથરા


SHARE













મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા આજે ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ લલિત કગથરાને આવકારવા માટે ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યાર બાદ દ્વારકેશ પાર્ટી પ્લોટ ખાતે સભા યોજાઇ હતી જેમાં આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસનાં કાર્યકરોને કોંગ્રેસ માટે કામે લાગી જવા હાકલ કરવામાં આવી હતી અને તેની સાથોસાથ આગેવાનોએ ભાજપ સરકારની સામે અનેક પ્રહારો કર્યા હતા અને થોડા સમય પહેલા કોંગ્રેસ છોડીને ગયેલા ગદ્દર ધારાસભ્ય ઉપર પણ કટાક્ષ કર્યો હતો તેજમ કહ્યુ હતુ કે હું ક્યારે કોંગ્રેસ સાથે ગદ્દારી નહૂ કરુ.

તાજેતરમાં રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં પ્રમુખ ઉપરાંત ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં છ કાર્યકારી પ્રમુખ જાહેર કરવામાં આવેલ છે જેમાં મોરબી જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખ અને ટંકારા પડધરીના ધારાસભ્ય લલિત કગથરાનો પણ સમાવેશ કરવામાં આવેલ છે જેથી કરીને મોરબી જિલ્લા કોંગ્રેસમાં આનંદની લાગણી છે ત્યારે મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ જયંતિભાઈ પટેલ, તાલુકા કોંગ્રેસનાં પ્રમુખ કે.ડી.પડસુંબિયા અને શહેર કોંગ્રેસનાં પ્રમુખ રાજુભાઇ કાવર, મુકેશભાઇ ગામી, અમુભાઇ હુંબલ, ધર્મેન્દ્રભાઇ એરવાડીયા, હેમાંગભાઇ રાવલ, મહેશભાઇ પરજીયા, નયનભાઇ અઘારા, મહેશભાઇ રાજ્યગુરુ, રમેશભાઇ રબારી અલ્પેશ કોઠીયા, દેવેન્દ્રસિંહ જાડેજા, ચિંતન રાજ્યગુરુ સહિતના જિલ્લાના કોંગ્રેસનાં આગેવાનો, હોદેદારો અને કાર્યકરો વિશાળ સંખ્યામાં હાજર રહ્યા હતા 

મોરબીમાં રામધન આશ્રમ (મહેન્દ્રનગર)થી દ્વારકેશ પાર્ટી પ્લોટ સુધી બાઈક રેલી યોજાઇ હતી ત્યારે ધારાસભ્ય લલતી વસોયા, ઋતેવીજભાઇ મકવાણા, કિરીટભાઇ, પ્રભારી રામકિશન ઓઝા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા આ તકે તમામ આગેવાનોએ પ્રાસંગીક પ્રવચન કર્યુ હતુ ત્યારે લલીતભાઈ કગથરાએ સભાને સંબોધન કરતા કહ્યું હતું કે થોડા સમય પહેલા કોંગ્રેસમાંથી ચૂંટાયેલા ધારાસભ્ય એ ગદ્દારી કરીને કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો હતો જોકે હું કોંગ્રેસ સાથે ક્યારેય ગદ્દારી કરીશ નહીં અને કોંગ્રેસના રાષ્ટ્રીય નેતૃત્વ દ્વારા સૌરાષ્ટ્ર માટે થઈને ત્રણ ધારાસભ્યોને કાર્યકારી પ્રમુખ તરીકે જે જવાબદારી સોંપી છે તેને સાર્થક કરવા માટે થઈને આગામી સમયમાં ત્રણેય કાર્યકારી પ્રમુખ દ્વારા સંયુક્ત રીતે સૌરાષ્ટ્રના ગામો ગામ ની યાત્રા કરવામાં આવશે

વધુમાં તેમને કહ્યુ હતુ કે વર્તમાન સમયની અંદર રૂપિયો ડોલર સામે નબળો પડ્યો છે તે સહિત યુવાનોની બેરોજગારી, ઉદ્યોગોકારોને પડતી મુશ્કેલીઓ, ગૃહીણીઓની મુશ્કેલીઓ આ સહિતના મુદ્દાઓને ઉજાગર કરીને આગામી વિધાનસભાની ચૂંટણીમાં પરિણામલક્ષી કામગીરી કાર્યકારી પ્રમુખ સહિત કોંગ્રેસનો પાયાનો કાર્યકર પણ કરશે તેવી આશા તેઓએ વ્યક્ત કરી હતી આ સભામાં શહેર, તાલુકા અને જિલ્લામાંથી કોંગ્રેસના આગેવાનોહોદ્દેદારો અને કાર્યકરો જોડાયા હતા






Latest News