મોરબીમાંથી રોકડા અઢી લાખ અને ગાડી લઈને નીકળેલા યુવાને આવું કેમ કયું ?
મોરબીમાં વગર વરસાદે કન્યા છાત્રાલય રોડ ઉપર ગટર-વરસાદી પાણીથી લોકો ત્રાહિમામ
SHARE
મોરબીમાં વગર વરસાદે કન્યા છાત્રાલય રોડ ઉપર ગટર-વરસાદી પાણીથી લોકો ત્રાહિમામ
મોરબી શહેર અને જિલ્લામાં છેલ્લા થોડા દિવસોથી જરમરરિયો વરસાદ વરસી રહ્યો છે તેમ છતાં પણ કેટલાક વિસ્તારોની અંદર વગર વરસાદે વરસાદી પાણીના વહેણ રસ્તા ઉપરથી વહી રહ્યા છે આવો જ ઘાટ મોરબી શહેરના સનાળા રોડની પાછળના ભાગમાં આવેલ કન્યા છાત્રાલય રોડ ઉપર જોવા મળી રહ્યો છે અને ત્યાં બનતા નવા બાંધકામોના સેલરમાં તેમજ ખાડાઓની અંદર વરસાદી પાણી ભરાઈ ગયું હોવાથી તે પાણીનો નિકાલ ડીઝલ મશીન મૂકીને કાતો ગટરમાં અથવા તો મુખ્ય માર્ગ ઉપર કરવામાં આવી રહ્યો છે જેથી કરીને વગર વરસાદે છેલ્લા ઘણા દિવસોથી મોરબીના છાત્રાલય રોડ ઉપર ગટરના ગંદા પાણી અને વરસાદના પાણી વહી રહ્યા છે જેથી કરીને આ વિસ્તારમાં આવેલ શાળા કોલેજમાં આવતા જતા વિદ્યાર્થીઓ તેમના વાલીઓ અને ઉપરોક્ત વિસ્તારમાં રહેતા લોકોને ના છૂટકે ગટરના ગંદા પાણી અને વરસાદી પાણીમાંથી પસાર થવું પડે છે જેથી સ્થાનિક લોકો દ્વારા એવી માંગ કરવામાં આવી છે કે વરસાદી પાણી અને ગટરના પાણી જે રસ્તા ઉપર વહી રહ્યા છે તેનો યોગ્ય રીતે નિકાલ કરવામાં આવે અને લોકોને આ ગંદકીની પીડામાંથી મુક્તિ અપાવવામાં આવે તે જરૂરી છે નહીં તો ગટરના ગંદા પાણીના કારણે રોગચાળો ફેલાય તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે