મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીમાંથી રોકડા અઢી લાખ અને ગાડી લઈને નીકળેલા યુવાને આવું કેમ કયું ?


SHARE







મોરબીમાંથી રોકડા અઢી લાખ અને ગાડી લઈને નીકળેલા યુવાને આવું કેમ કયું ?

મોરબી શહેરના સનાળા રોડ ઉપર અવધ-૪ પાસે શ્રીકુંજ સોસાયટીમાં રહેતો યુવાન પોતાના ઘરેથી રોકડા અઢી લાખ રૂપિયા અને તેની ગાડી લઈને નીકળી ગયેલ હતો અને ત્યારબાદ તે ગુમ થઈ ગયો છે જેથી ગુમ થયેલા યુવાનના પત્નીએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેના પતિ ગુમ થયા હોવાની ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે યુવાનને શોધવા માટે કવાયત શરૂ કરી હતી અને હજુ સુધી ગુમ થયેલા યુવાનનો કોઈ પત્તો લાગેલ નથી જો કે, યુવાન તેના ઘરેથી જે ગાડી લઈને ગયો હતો તેને તે ગાડી રાજકોટમાં વેચી નાખી છે અને હાલમાં તે યુવાનનો મોબાઈલ ફોન પણ સ્વિચ ઓફ છે જેથી યુવાને શોધવા જુદીજુદી દિશામાં તપાસ ચાલુ છે

મોરબી શહેરના શનાળા રોડ ઉપર ગુજરાત હાઉસિંગ બોર્ડની પાછળના ભાગમાં આવેલ અવધ-૪ સોસાયટી પાસે કેનાલ રોડે શ્રીકુંજ સોસાયટીમાં રહેતા ગીતાબેન પ્રબોધભાઈ કાલરીયા (૪૮) એ તેઓના પતિ પ્રબોધભાઈ રવજીભાઈ કાલરીયા (૪૮) પોતાના ઘરેથી ગત તા. ૧૬/૭ ના રોજ સવારે સાડા દસ વાગ્યે રોકડા રૂપિયા અઢી લાખ અને તેની ગાડી લઈને નીકળ્યા છે અને ત્યાર બાદ તા ૧૭ ના સાંજે સાડા છ વાગ્યા સુધી કોઈ જગ્યાએથી મળી આવ્યા ન હતા. જેથી ગીતાબેને તેઓના પતિ ગુમ થયા હોવા અંગેની મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુમસુધા ફરિયાદ નોંધાવી હતી જેના આધારે ગુમા થયેલા યુવાનને શોધવા માટે તપાસ કરી રહેલા એ.એમ.ઝાપડિયા સાથે વાત કરતાં તેને જણાવ્યુ હતું કે, ગુમ થયેલા પ્રબોધભાઈ રવજીભાઈ કાલરીયાનો હજુ કોઈ જગ્યાએથી પોતતો લાગેલ નથી અને તે ઘરેથી નીકળ્યો હતો ત્યારે જે ગાડી લઈને ગયો હતો તે રાજકોટમાં કાર મેળામાં વેચી નાખી છે અને તેનો મોબાઈલ પણ સ્વિચ ઓફ આવે છે જો કે, તેના પરિવારજનોના કહેવા મુજબ આવું કરવા પાછળ કોઈ કારણ હાલમાં દેખાતું નથી જેથી પોલીસે યુવાનને શોધવા માટે જુદીજુદી દિશામાં તપાસના ઘોડા દોડાવ્યા છે






Latest News