વાંકાનેરના જેતપરડા ગામે માસુમ સેવા ફાઉન્ડેશ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો મોરબીમાં હિન્દુ સામ્રાજ્ય દિવસ નિમિત્તે રવિવારે ભવ્ય બાઇક મશાલ રેલીનું આયોજન મોરબીના ગુંગણ ગામ નજીક બાઈક જેસીબી સાથે અથડાતા યુવાનનું મોત મોરબીના ગ્રીન ચોકમાં તાજીયાની ધમાલ લેતી વખતે છરી છાતીમાં ઘુસી જતા અબ્દુલશાને ગંભીર ઈજા, પ્રૌઢ રાજકોટ સિવિલમાં સારવાર હેઠળ  માળીયા મીયાણાના ઘાટીલા ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવતીનું સારવાર દરમિયાન મોત વાંકાનેરના રાતાવીરડા ગામની સીમમાં કારખાનામાં રહેતા ભાભી કેન્ટીનમાંથી જમવાનું લાવેલ ન હોય લાગી આવતા ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારાના ઘૂનડા (સ) ગામે રહેતી પરણીતા રિસામણે બેઠેલ હોય સાળાએ બનેવીને ફોન ઉપર અને છરી બતાવીને આપી જાનથી મારી નાખવાની ધમકી ટંકારાના મીતાણા ગામ પાસે કાર ચાલકે ઉડાવતા પોતાના ખેતરના શેઢે ઊભેલા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાંથી રોકડા અઢી લાખ અને ગાડી લઈને નીકળેલા યુવાને આવું કેમ કયું ?


SHARE









મોરબીમાંથી રોકડા અઢી લાખ અને ગાડી લઈને નીકળેલા યુવાને આવું કેમ કયું ?

મોરબી શહેરના સનાળા રોડ ઉપર અવધ-૪ પાસે શ્રીકુંજ સોસાયટીમાં રહેતો યુવાન પોતાના ઘરેથી રોકડા અઢી લાખ રૂપિયા અને તેની ગાડી લઈને નીકળી ગયેલ હતો અને ત્યારબાદ તે ગુમ થઈ ગયો છે જેથી ગુમ થયેલા યુવાનના પત્નીએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેના પતિ ગુમ થયા હોવાની ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે યુવાનને શોધવા માટે કવાયત શરૂ કરી હતી અને હજુ સુધી ગુમ થયેલા યુવાનનો કોઈ પત્તો લાગેલ નથી જો કે, યુવાન તેના ઘરેથી જે ગાડી લઈને ગયો હતો તેને તે ગાડી રાજકોટમાં વેચી નાખી છે અને હાલમાં તે યુવાનનો મોબાઈલ ફોન પણ સ્વિચ ઓફ છે જેથી યુવાને શોધવા જુદીજુદી દિશામાં તપાસ ચાલુ છે

મોરબી શહેરના શનાળા રોડ ઉપર ગુજરાત હાઉસિંગ બોર્ડની પાછળના ભાગમાં આવેલ અવધ-૪ સોસાયટી પાસે કેનાલ રોડે શ્રીકુંજ સોસાયટીમાં રહેતા ગીતાબેન પ્રબોધભાઈ કાલરીયા (૪૮) એ તેઓના પતિ પ્રબોધભાઈ રવજીભાઈ કાલરીયા (૪૮) પોતાના ઘરેથી ગત તા. ૧૬/૭ ના રોજ સવારે સાડા દસ વાગ્યે રોકડા રૂપિયા અઢી લાખ અને તેની ગાડી લઈને નીકળ્યા છે અને ત્યાર બાદ તા ૧૭ ના સાંજે સાડા છ વાગ્યા સુધી કોઈ જગ્યાએથી મળી આવ્યા ન હતા. જેથી ગીતાબેને તેઓના પતિ ગુમ થયા હોવા અંગેની મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુમસુધા ફરિયાદ નોંધાવી હતી જેના આધારે ગુમા થયેલા યુવાનને શોધવા માટે તપાસ કરી રહેલા એ.એમ.ઝાપડિયા સાથે વાત કરતાં તેને જણાવ્યુ હતું કે, ગુમ થયેલા પ્રબોધભાઈ રવજીભાઈ કાલરીયાનો હજુ કોઈ જગ્યાએથી પોતતો લાગેલ નથી અને તે ઘરેથી નીકળ્યો હતો ત્યારે જે ગાડી લઈને ગયો હતો તે રાજકોટમાં કાર મેળામાં વેચી નાખી છે અને તેનો મોબાઈલ પણ સ્વિચ ઓફ આવે છે જો કે, તેના પરિવારજનોના કહેવા મુજબ આવું કરવા પાછળ કોઈ કારણ હાલમાં દેખાતું નથી જેથી પોલીસે યુવાનને શોધવા માટે જુદીજુદી દિશામાં તપાસના ઘોડા દોડાવ્યા છે






Latest News