ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

ટંકારામાં કારખાનેદાર પાસેથી માલ માટે ૧૭ લાખનુ ઓનલાઈન એડવાન્સ પેમેટ કરાવીને છેતરપિંડી


SHARE













ટંકારામાં કારખાનેદાર પાસેથી માલ માટે ૧૭ લાખનુ ઓનલાઈન એડવાન્સ પેમેટ કરાવીને છેતરપિંડી

ટંકારાના અમરપર રોડ ઉપર આવેલ કારખાનાના માલિકે પી.વી.સી. રેજીનના મટીરીયલ્સ માટે ૧૭ લાખનુ ઓનલાઈન એડવાન્સ પેમેટ કરાવ્યુ હતું ત્યાર બાદ આરોપીઓએ માલ નહીં મોકલાવતા ભોગ બનેલા યુવાને હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે જેથી કરીને પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ ટંકારાની લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતા ધર્મેશભાઈ કુવરજીભાઈ સીરજા (૩૯)એ હાલમાં બીશનકુમાર ભોલુભાઈ ચંદેર અને રાકેશકુમાર તથા તપાસમા જેના નામ સામે આવે તે તમામ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેનું ટંકારા અમરાપર રોડ સુર્યજીત ઇંન્ડીયા વિનાયલ એલ.એલ.પી. નામનું કારખાનું આવેલ છે અને બંને આરોપીઓએ તેને મોબાઈલ નં ૮૪૦૧૦૩૦૮૭૮ તથા ૯૯૦૪૬૧૫૮૩૪ ઉપર ધંધા માટે વાત કરી હતી અને બન્ને આરોપીઓએ ફરીયાદીનો વિશ્વાસ કેળવી તેને પી.વી.સી. રેજીનના મટીરીયલ્સ માટે ૧૭ લાખનુ ઓનલાઈન એડવાન્સ પેમેટ કરવા માટે કહ્યું હતું અને ફરિયાદી યુવાને માલ માટે ગત તા. ૧૨/૦૪/૨૦૨૨ ના રોજ પેમેન્ટ કરી આપ્યું હતું તો પણ આરોપીઓએ પીવીસી રેજીન મટીરીયલ્સ નહી પહોચાડી તેની સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી છે અને હજુ સુધી પીવીસી રેજીન મટીરીયલ્સ મોકલાવ્યું નથી જેથી કરીને યુવાને ફરિયાદ નોંધાવતાં પોલીસે આઇ.પી.સી. કલમ- ૪૦૬, ૪૨૦, ૧૧૪ મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે અત્રે ઉલેખનીય છે કે, ફરિયાદીએ જાતે આઇઓનેક્સ પ્લાસ્ટના જવાબદાર વ્યકતી આરોપી બીશનકુમાર ભોલુભાઈ ચંદેર તથા તેની કંપનીના સેલ્સ એક્ઝીક્યુટીવ રાકેશકુમાર સાથે પીવીસી રેજીન મટીરીયલ્સ માટે પુછપરછ કરી હતી અને તેઓએ ફરિયાદીને પીવીસી રેજીન મટીરીયલ્સ મોકલવાનો વિશ્વાસ આપ્યો હતો જેથી તેને રોકડા રૂપિયા ઓનલાઈનથી મોકલાવ્યા હતા અને બાદમાં આરોપીએ માલ નહિ મોકલાવતા ફરિયાદીએ તેના પાર્ટનરો સાથે ચર્ચા કરીને ટંકારા પોલીસ સ્ટેશને ફરીયાદ નોંધાવી છે






Latest News