મોરબીમાં આમ આદમી પાર્ટી દ્વારા વડાપ્રધાને કરેલા નિવેદનનો અનોખો વિરોધ કરાયો
મોરબીના નાની વાવડી ગામે ભગવતી પાર્કમાં ગટરની ગંદકીથી લોકો ત્રાહિમામ: સરપંચનું ઉદ્ધત વર્તન
SHARE
મોરબીના નાની વાવડી ગામે ભગવતી પાર્કમાં ગટરની ગંદકીથી લોકો ત્રાહિમામ: સરપંચનું ઉદ્ધત વર્તન
મોરબીના નાની વાવડી ગામે આવેલ ભગવતી પાર્ક સોસાયટીમાં ગટરનું ગંદુ પાણી રોડ પર દુર્ગંધ મારે છે. અને ગટર ચોકઅપ થઈ ગયેલ છે જેથી કરીને સોસાયટીમાં રહેતા લોકોને બહાર નીકળવું તો દૂરની વાત છે પરંતુ તેના ઘરમાં રહેવું પણ મુશ્કેલ બની ગયું છે અને બાળકો, વૃદ્ધો, મહિલાઓને રોગ થવાનો ભય છે. તો પણ ગટરના ગંદાનો યોગે નિકાલ કરવા માટે કોઈ કામ કરવામાં આવી રહ્યું નથી અને મચ્છરનો ઉપદ્રવ ખૂબ જ વધી ગયો છે ત્યારે નાની વાવડી ગામના સરપંચ અને સભ્યોને જાણ કરવામાં આવતા સમસ્યાનું નિરાકરણ લાવવાને બદલે ઉધતાઈ ભર્યું વર્તન કરીને “આ વિસ્તાર અમારામાં આવતો નથી, તમારે જવું હોય ત્યાં જાવ” એવું કહી દીધું હતું જેથી લોકોમાં ભારે રોષની લાગણી છે અને જો પંચાયતમાં આવિસ્તાર ન આવતો હોય તો કોનામાં આવે છે તે સૌથી મોટો સવાલ છે અને જેનામાં આ વિસ્તાર આવતો હોય તેના દ્વારા ગટરની ગંદકીને દૂર કરવામાં આવે તેવી માંગ છે