ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મૌન આંદોલનને રોકનાર સામે બળપ્રયોગ કરનાર પોલીસ સામે સુઓમોટો કરવા હાઇકોર્ટના ચીફ જસ્ટીસને મોરબીના રમેશભાઈ રબારીની રજૂઆત


SHARE













મૌન આંદોલનને રોકનાર સામે બળપ્રયોગ કરનાર પોલીસ સામે સુઓમોટો કરવા હાઇકોર્ટના ચીફ જસ્ટીસને મોરબીના રમેશભાઈ રબારીની રજૂઆત

સરકાર સામે પ્રજાનાં પ્રાણપ્રશ્ન, અન્યાય સામે અવાજ ઉઠાવતા પ્રજાજનો પર જે તે વિસ્તારમાં પોલીસ તંત્ર દ્વારા અસહ્ય આપતીજનક વ્યવહાર કરીને ભારે મોટા પ્રમાણમાં બળ પ્રયોગ કરી આંદોલનકર્તા લોકોને મારકુટ અને પકડી લઈને પરેશાન કરવામાં આવી રહ્યા છે અને પ્રજાનો અવાજ રજુ કરવા દેતા નથી જેથી કરીને સુઓમોટો કરવા માટે હાઇકોર્ટના ચીફ જસ્ટીસને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ માલધારી સેલના ઉપપ્રમુખ રમેશભાઇ બી. રબારીએ હાલમાં હાઇકોર્ટના ચીફ જસ્ટીસને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, સરકાર સામે પ્રજાનાં પ્રશ્ન અને અસંતોષ મુદે કરવામાં આવતા આંદોલનમાં રાજયના પોલીસદળના અમાનવીય વ્યવહાર અંગે સુઓમોટો કરવામાં આવે તે જરૂરી છે વધુમાં તેને જણાવ્યુ છે કે, રાજયમાં પોલીસનું કામ કાયદો અને વ્યવસ્થા જાળવવાનું છે ત્યારે પોલીસ પોતે જ રાજકિય પક્ષનાં પીઠુઓ હોઈ તેમ વર્તન કરી શાંત અને મૌન વિરોધ કરતા લોકોને વિરોધ કરતા અટકાવી રહેલ છે. ત્યારે લોકશાહી શાસનમાં મોન આંદોલન કરવાનો લોકોને અબાધિત અધિકાર છે આ લોકો તોફાન કરતા નથી છતાં જે તે પોલીસ આવા પ્રજાલક્ષી કાર્યક્રમ બળપુર્વક દબાવી લોકોને ભારે હેરાન કરે છે અને પોલીસના જવાબદાર અધિકારીઓ પણ રજુઆત સાંભળતા ન હોઈ એક રીતે લોકશાહીનું હનન થતુ જણાય છે આ લોકોને શાંતિથી રજુઆત કરવાનો મુળભુત હકક દબાવતા હોઈ રાજય પોલીસદળ, સરકારી તંત્ર અને શાસક પક્ષ ભા.જ.પ.ના જ આગેવાન હોઈ તેવો અમાનુષી વ્યવહાર કરી રહ્યા છે અને આ ઉપરાંત રાજય સરકાર અને પોલીસ દ્વારા આવા કાર્યક્રમો યોજવા દેવા માટે મનઘડત જાહેરનામા બહાર પાડવામાં આવે છે આ સંજોગોમાંથી લોકોને મુકત કરાવવા સુઓમોટો દાખલ કરી ત્વરીત પગલા લેવા માટે હાઇકોર્ટના ચીફ જસ્ટીસને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ






Latest News