મોરબીમાં એસી રીપેરીંગના કામમાંથી મજૂરને છુટો કરતા દુકાનદાર ઉપર હુમલો..!
મોરબીમાં સિરામીકના કારખાનામાં ખોટ આવતા યુવા ઉદ્યોગપતિ ઘર મૂકીને ચાલ્યો ગયેલ !
SHARE
મોરબીમાં સિરામીકના કારખાનામાં ખોટ આવતા યુવા ઉદ્યોગપતિ ઘર મૂકીને ચાલ્યો ગયેલ !
મોરબી નજીકના રવાપર ગામે આવેલ ગોલ્ડન માર્કેટની પાછળના ભાગમાં એકતા ટાવરમાં રહેતો યુવ સિરામિક ઉદ્યોગપતિ પોતાના ઘરેથી કોઈને કશું કહ્યા વગર ચાલ્યો ગયો હતો અને તેના મોબાઈલ પણ ઘરે મૂકીને ગયો હતો જેથી યુવાન ગુમ થયો હોવા અંગેની મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુમસુધા ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને હાલમાં યુવાન મળી આવેલ છે અને ચાલુ કરેલા કારખાનામાં ખોટ ગઈ હોવાથી તે કોઈને કશું જ કહ્યા વગર ઘરેથી ચાલ્યો ગયો હતો તેવું તેને મોરબી પોલીસને જણાવ્યુ છે
મોરબીના રવાપર ગામે ગોલ્ડન માર્કેટની પાછળ આવેલા એકતા ટાવરમાં રહેતા અશોકભાઈ નાનજીભાઈ પાડલીયા (૩૬) પોતાના ઘરેથી ગત તા.૮ ના રોજ સવારે આઠ વાગ્યાના અરસામાં કોઈને કશું કહ્યા વગર નીકળ્યા હતા અને આ યુવાન ઘરેથી ગયો ત્યારે તેના મોબાઇલને પણ ઘરે જ મૂકીને ગયો હતો અને ઘરેથી ગયા પછી યુવાન ઘરે પરત આવેલ ન હતો જેથી તેના યુવાન ગુમ થઈ ગયેલ હોવાની પ્રકાશભાઈ કુંવરજીભાઈ ભાડજા (૩૭) રહે. ઉમિયાનગર વાળાએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અશોકભાઈ નાનજીભાઈ પાડલીયા ગુમ થયા હોવા અંગેની ગુમશુધા ફરિયાદ કરી હતી જેના આધારે પોલીસે ગુમ થઈ ગયેલા યુવા સિરામિક ઉદ્યોગપતિને શોધવા માટે કવાયત શરૂ કરેલ હતી અને આ કેસની તપાસ કરતાં મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના એન.એસ. મેસવાણિયા સાથે વાત કરતાં તેને જણાવ્યુ હતું કે, યુવાન હાલમાં મળી આવેલ છે અને તેને લખધીરપૂર રોડ ઉપર આવેલ ગ્લેર સિરામિક કારખાનુ ચાલુ કર્યું હતું તેમાં ખોટ આવતા તે ઘરેથી ચાલ્યા ગયા હતા તેવું તેને જણાવ્યુ છે









