વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો મોરબી નજીક ડબલ સવારી બાઇકને ક્રેટા ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત બે વ્યક્તિ સારવારમાં ટંકારાના ભૂતકોટડા ગામે વાડીની ઓરડીની બાજુમાંથી દારૂની 13 બોટલ સાથે એક પકડાયો મોરબીની તિરૂપતિ સોસાયટીમાં આધેડે જીવન ટુંકાવ્યુ, સરસ્વતી સોસાયટીમાં ઘરના બાથરૂમમાં મહિલાએ જીવન ટુંકાવ્યુ
Breaking news
Morbi Today

મોરબીમાંથી રોકડ-ગાડી લઈને ગુમ થયેલા યુવાને કર્યો ચોંકાવનાર ખૂલાશો !


SHARE













મોરબીમાંથી રોકડ-ગાડી લઈને ગુમ થયેલા યુવાને કર્યો ચોંકાવનાર ખૂલાશો !

મોરબી શહેરના સનાળા રોડ ઉપર અવધ-૪ પાસે શ્રીકુંજ સોસાયટીમાં રહેતો યુવાન પોતાના ઘરેથી રોકડા અઢી લાખ રૂપિયા અને તેની ગાડી લઈને નીકળી ગયેલ હતો અને ત્યારબાદ તે ગુમ થઈ ગયો છે જેથી યુવાનની પત્નીએ પતિ ગુમ થયા હોવાની ફરિયાદ નોંધાવી હતી જે યુવાન હાલમાં મળી આવેલ છે અને કામધંધો ન હોવાથી પત્ની મેણાં ટોણાં મારતી હોવાથી તે ઘરેથી ચાલ્યો ગયો હતો તેવું યુવાને પોલીસને જણાવ્યુ છે

મોરબી શહેરના શનાળા રોડ ઉપર ગુજરાત હાઉસિંગ બોર્ડની પાછળના ભાગમાં આવેલ અવધ-૪ સોસાયટી પાસે કેનાલ રોડે શ્રીકુંજ સોસાયટીમાં રહેતા ગીતાબેન પ્રબોધભાઈ કાલરીયાએ તેઓના પતિ પ્રબોધભાઈ રવજીભાઈ કાલરીયા (૪૮) પોતાના ઘરેથી તા. ૧૬/૭ ના રોજ સવારે સાડા દસ વાગ્યે રોકડા રૂપિયા અઢી લાખ અને તેની ગાડી લઈને નીકળ્યા છે અને ત્યાર બાદ તેના પતિ ગુમ થયા હોવા અંગેની મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુમસુધા ફરિયાદ નોંધાવી હતી જેના આધારે ગુમા થયેલા યુવાનને શોધવા માટે તપાસ કરવામાં આવી રહી હતી તેવામાં ગુમ થયેલ પ્રબોધભાઈ રવજીભાઈ કાલરીયા મળી આવેલ છે ત્યારે આ આંગે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના એ.એમ.ઝાપડિયા સાથે વાત કરતાં તેને જણાવ્યુ હતું કે, ગુમ થયેલા પ્રબોધભાઈ રવજીભાઈ કાલરીયા કામધંધો કરતાં ન હતો જેથી કરીને પત્ની મેણાં ટોણાં મારતી હતી જે તેને મનોમન લાગી આવ્યું હતું અને તે ઘરેથી ચાલ્યા ગયા હતા અને મોરબીથી નીકળીને તે અમદાવાદ ખાતે તેના સબંધીના ઘરે ગયા હતા જો કે, સબંધીને પ્રબોધભાઈ મોરબીથી ગુમ થયા છે તેવી જાણ કરી હતી જેથી કરીને તેના મોટાભાઇ ત્યાં જઈને તેને મોરબી લઈને આવ્યા છે જો કે, હાલમાં પ્રબોધભાઈ તેના મોટાભાઈનાં ઘરે જ રહે છે..!






Latest News