મોરબીમાં સુભાષ રોડે દુકાનની પાછળ ટીખળખોરે કચરો સળગાવતા વિકરાળ આગ: ફાયરની ટિમ દોડતી મોરબીના મહેન્દ્રનગર  પાસે ભક્તિનગર-2 સોસાયટીમાં ચાલુ વીજવાયર તૂટીને પડતાં બે વાહન બળીને ખાખ મોરબીમાં ઉમિયાથી દલવાડી સર્કલ જવાના કેનાલની બીજી બાજુના રોડને સીસી રોડ બનાવવા માટે સીએમને કરી રજૂઆત મોરબીમાં મહાશિવરાત્રીના દિવસે સિદ્ધનાથ મહાદેવની ભવ્ય શોભાયાત્રાનું આયોજન વલ્લભીપુરના પચ્છેગામ ગામે આયોજિત ત્રિવેણી કાર્યક્રમમાં મોરબી સહિત 20 જિલ્લાના ધર્મપ્રેમી લોકોને જોડાવા ગાયત્રી આશ્રમના સંત લાલબાપુનું જાહેર આમંત્રણ હળવદના વેગડવાવ ફાટક પાસે ટ્રાફિક સહિતની સમસ્યા ઉકેલવાની દિશામાં આગળ વધતું તંત્ર બાટલો ફાટયો: મોરબીમાં ફરીયાદ નિવારણના કાર્યક્રમ 30 અરજી કરી તો પણ કામ ન થતાં હવે કચેરીને તાળાબંધીની ચીમકી ઉચ્ચારી મોરબીના સોખડા ગામના પાટીયા પાસે ટેન્કર ચાલકે બેદરકારીપૂર્વક લેતા ટ્રક સાથે અકસ્માત થતા વાહનમાં નુકસાન, કોઈ જાનહાનિ નહીં
Breaking news
Morbi Today

મોરબીમાંથી રોકડ-ગાડી લઈને ગુમ થયેલા યુવાને કર્યો ચોંકાવનાર ખૂલાશો !


SHARE















મોરબીમાંથી રોકડ-ગાડી લઈને ગુમ થયેલા યુવાને કર્યો ચોંકાવનાર ખૂલાશો !

મોરબી શહેરના સનાળા રોડ ઉપર અવધ-૪ પાસે શ્રીકુંજ સોસાયટીમાં રહેતો યુવાન પોતાના ઘરેથી રોકડા અઢી લાખ રૂપિયા અને તેની ગાડી લઈને નીકળી ગયેલ હતો અને ત્યારબાદ તે ગુમ થઈ ગયો છે જેથી યુવાનની પત્નીએ પતિ ગુમ થયા હોવાની ફરિયાદ નોંધાવી હતી જે યુવાન હાલમાં મળી આવેલ છે અને કામધંધો ન હોવાથી પત્ની મેણાં ટોણાં મારતી હોવાથી તે ઘરેથી ચાલ્યો ગયો હતો તેવું યુવાને પોલીસને જણાવ્યુ છે

મોરબી શહેરના શનાળા રોડ ઉપર ગુજરાત હાઉસિંગ બોર્ડની પાછળના ભાગમાં આવેલ અવધ-૪ સોસાયટી પાસે કેનાલ રોડે શ્રીકુંજ સોસાયટીમાં રહેતા ગીતાબેન પ્રબોધભાઈ કાલરીયાએ તેઓના પતિ પ્રબોધભાઈ રવજીભાઈ કાલરીયા (૪૮) પોતાના ઘરેથી તા. ૧૬/૭ ના રોજ સવારે સાડા દસ વાગ્યે રોકડા રૂપિયા અઢી લાખ અને તેની ગાડી લઈને નીકળ્યા છે અને ત્યાર બાદ તેના પતિ ગુમ થયા હોવા અંગેની મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુમસુધા ફરિયાદ નોંધાવી હતી જેના આધારે ગુમા થયેલા યુવાનને શોધવા માટે તપાસ કરવામાં આવી રહી હતી તેવામાં ગુમ થયેલ પ્રબોધભાઈ રવજીભાઈ કાલરીયા મળી આવેલ છે ત્યારે આ આંગે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના એ.એમ.ઝાપડિયા સાથે વાત કરતાં તેને જણાવ્યુ હતું કે, ગુમ થયેલા પ્રબોધભાઈ રવજીભાઈ કાલરીયા કામધંધો કરતાં ન હતો જેથી કરીને પત્ની મેણાં ટોણાં મારતી હતી જે તેને મનોમન લાગી આવ્યું હતું અને તે ઘરેથી ચાલ્યા ગયા હતા અને મોરબીથી નીકળીને તે અમદાવાદ ખાતે તેના સબંધીના ઘરે ગયા હતા જો કે, સબંધીને પ્રબોધભાઈ મોરબીથી ગુમ થયા છે તેવી જાણ કરી હતી જેથી કરીને તેના મોટાભાઇ ત્યાં જઈને તેને મોરબી લઈને આવ્યા છે જો કે, હાલમાં પ્રબોધભાઈ તેના મોટાભાઈનાં ઘરે જ રહે છે..!






Latest News