મોરબી જિલ્લા પંચાયતમાં 24 મી ફેબ્રુઆરીએ બજેટ બોર્ડ બેઠક મોરબી: ફોર્ટિફિકેશન અભિગમથી કુપોષણ અને એનિમિયા મુક્ત ગુજરાતનો સંકલ્પ સાકાર કરવા સરકાર પ્રયત્નશીલ મોરબીમાં દીકરાના લગ્ન પ્રસંગ નિમિતે જલારામ ધામના સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી સમાજને નવો રાહ ચીંધતો ઝાલા પરિવાર મોરબી જીલ્લાના હજયાત્રીઓ માટે શુક્રવારે વાંકાનેર ખાતે વેક્સીનેશન કેમ્પ મોરબીમાં સુભાષ રોડે દુકાનની પાછળ ટીખળખોરે કચરો સળગાવતા વિકરાળ આગ: ફાયરની ટિમ દોડતી મોરબીના મહેન્દ્રનગર  પાસે ભક્તિનગર-2 સોસાયટીમાં ચાલુ વીજવાયર તૂટીને પડતાં બે વાહન બળીને ખાખ મોરબીમાં ઉમિયાથી દલવાડી સર્કલ જવાના કેનાલની બીજી બાજુના રોડને સીસી રોડ બનાવવા માટે સીએમને કરી રજૂઆત મોરબીમાં મહાશિવરાત્રીના દિવસે સિદ્ધનાથ મહાદેવની ભવ્ય શોભાયાત્રાનું આયોજન
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા શૈક્ષિક મહાસંઘની જિલ્લા-તાલુકા ટીમનું વિસ્તરણ કરાયું


SHARE















મોરબી જિલ્લા શૈક્ષિક મહાસંઘની જિલ્લા-તાલુકા ટીમનું વિસ્તરણ કરાયું

મોરબી જિલ્લાની તમામ શાળાઓમાં પહેલી ઓગસ્ટના રોજ ભારતમાતા પૂજન માટે ડીપીઈઓ દ્વારા પરિપત્ર જારી કરાયો. છે ત્યારે મોરબી કેશવ કુંજ સંઘ કાર્યાલય ખાતે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની જિલ્લા બેઠકમાં સ્વતંત્રતા કા અમૃત મહોત્સવની ઉજવણી માટેનું સાહિત્ય વિતરણ કરાયું હતું અને ત્યાં જિલ્લા તેમજ તાલુકા ટીમમાં નવા હોદેદારોની વરણી કરાઈ હતી

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા હાલ સદસ્યતા અભિયાન તેમજ ૭૫ માં સ્વતંત્રતા અમૃત મહોત્સવની ઉજવણીની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે આગામી પહેલી ઓગસ્ટના રોજ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા સમગ્ર દેશની બે લાખ શાળાઓમાં ગુજરાતની ૨૫ હજાર શાળાઓમાં અને મોરબીની ૫૮૫ શાળાઓમાં સ્વતંત્રતા અમૃત મહોત્સવ અંતર્ગત ભારતમાતા પૂજનનો કાર્યક્રમ કરવાનો હોય જેના માટે ભરતમાતાનો  ફોટો, સ્ટીકરનું વિતરણ કરવામાં આવ્યું, તેમજ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ તરફથી શાળાઓમાં સ્વતંત્રતાના ૭૫ શૂરવીરો પુસ્તક અર્પણ કરવામાં આવનાર છે

આ કાર્યક્રમની સમજ આપતા હિતેશભાઈ ગોપાણી સંગઠન મંત્રી સૌરાષ્ટ્ર સંભાગ અને દિનેશભાઈ વડસોલા અધ્યક્ષ શૈક્ષિક મહાસંઘે જણાવ્યું કે પહેલી ઓગસ્ટના રોજ તમામ શાળાઓમાં પ્રાર્થનાસભામાં ભારતમાતાનું પૂજન કરવું,આરતી ઉતારવી,ભારતમાતાની આરતી ગાવી, વગાડવી, ગામમાં કોઈ સ્વતંત્રતા શહીદ પરિવાર કે સૈનિક પરિવાર રહેતો હોય તો શાળામાં બોલાવી એમનું સન્માન કરવું, સ્વતંત્રતા કા અમૃત મહોત્સવ વિશે ક્રાંતિકારીઓ અને દેશનેતાઓ વિશે વિદ્યાર્થી, શિક્ષક અને આચાર્ય દ્વારા વક્તવ્ય વગેરે કાર્યક્રમો કરી આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરવા જણાવાયું છે

તેમજ જિલ્લા મહાસંઘની વિસ્તૃત કારોબારી હોય તાલુકા-જિલ્લા ટીમમાં નવા હોદેદારોની વરણી કરવામાં આવી જેમાં કરશનભાઈ ડોડીયા કો.ઓર્ડીનેટર સી.આર.સી. મેરૂપર-હળવદ, કિરીટભાઈ દેકાવડીયા મોરબી, રાજેશભાઈ રાઠોડ માળીયા અને હસમુખભાઈ પરમાર વાંકાનેરની રાજ્યના પ્રીતિનિધિ તરીકે નિમણુંક આપવામાં આવેલ, હળવદ શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ તરીકે વાસુદેવભાઈ ભોરણીયા અને મંત્રી તરીકે રાજુભાઈ ગોહિલને જવાબદારી સોંપવામાં આવી અને ધીરજલાલ જાકાસણીયા મોરબી, સુરેશભાઈ પરમાર,નિરવભાઈ બાવરવા,રણજીતભાઈ કટેસિયા વાંકાનેર નટુભાઈ પટેલ, અનિલભાઈ વાઘેલા હળવદ, રાજુભાઈ મેરા ટંકારા વગેરેને જિલ્લા ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો, કૌશિકભાઈ શેરસિયા પોલીસ લાઈન તાલુકા શાળા, અંકિતભાઈ જોષી રંગપર તા.શાળા, જીજ્ઞેશભાઈ રાબડીયા જેતપર તા.શાળા,સુરેશભાઈ પટેલ ચાંચાપર તા.શાળા વગેરેને મોરબી તાલુકા ટીમમાં સમાવેશ કરવામાં આવેલ છે

તો દેવાયતભાઈ ગરચર આચાર્ય ભૂતકોટડા શાળા, નીતિનભાઈ નમેરા હડમતીયા તા.શા. દિનેશભાઈ ગોસરા સાવડી સરૈયા, રાજેશભાઈ કાસુંદ્રા લજાઈ તા.શા.વિજયભાઈ ગોસરા બંગાવડી તા.શાળા વગેરેની ટંકારા તાલુકા ટીમમાં સમાવેશ કરવામાં આવતા તમામનું શુભાષબાબુ પર લખેલ પુસ્તક આપી અભિવાદન કરવામાં આવ્યું અને સંગઠનમાં હરખભેર આવકારવામાં આવ્યા આ પ્રસંગે પ્રદીપભાઈ કુવાડિયા સિનિયર ઉપાધ્યક્ષ જિલ્લા ટીમ-મોરબી હરદેવભાઈ કાનગડ અધ્યક્ષ માળીયા અને ઉપાધ્યક્ષ મોરબી ટીમ,કિરીટભાઈ દેકાવડીયા પ્રતિનિધિ રાજ્ય ટીમ વગેરેએ પ્રાસંગિક ઉદબોધન રજૂ કર્યા હતા, કિરણભાઈ કાચરોલા મંત્રી રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ- મોરબીએ આભાર દર્શન દ્વારા કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો.






Latest News