હળવદ શૈક્ષિક મહાસંઘ દ્વારા નવા હોદેદારોનો આવકાર કાર્યક્રમ યોજાયો
SHARE
હળવદ શૈક્ષિક મહાસંઘ દ્વારા નવા હોદેદારોનો આવકાર કાર્યક્રમ યોજાયો
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ પ્રેરિત અને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ હળવદ દ્વારા ગુરુ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમના મુખ્ય અતિથિ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન પ્રવીણભાઈ સોનગ્રા હાજર રહ્યા હતા અને તેઓએ શાળામાં શિક્ષકની ભૂમિકા વિષે ઉદબોધન કર્યું હતું અને મુખ્ય વક્તા ભક્તિનંદન સ્વામીએ વક્તવ્યમાં પોતાની આગવી અને હળવી શૈલીમાં ગુરુનું મહત્વ અને વિદ્યાર્થીઓમાં નૈતિક મૂલ્યોનું સંવર્ધન થાય અને રાષ્ટ્ર નિર્માણનું દાયિત્વ શિક્ષકોના શિરે છે એવી સુંદર અને સચોટ વાત કહી હતી આ કાર્યક્રમની સાથે સાથે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ હળવદ તાલુકાના સંચાલકજી દ્વારા નવ નિયુક્ત કારોબારી અને જવાબદારોની ઘોષણા કરવામાં આવી હતી જેમાં હળવદ તાલુકાના અધ્યક્ષ તરીકે વાસુદેવભાઇ ભોરણિયા, મંત્રી રાજુભાઇ ગોહિલ, રાજ્ય પ્રતિનિધિ કરશનભાઈ ડોડીયા તથા જિલ્લા પ્રતિનિધિ અનિલભાઈ વાઘેલા અને નટવરભાઈ પટેલ, તાલુકાના કારોબારીમાં હરમિતભાઇ પટેલ, નિકુલભાઈ પટેલ, નરેશભાઈ જાદવ, ચેતનભાઈ એરવાડિયા અને અવિનાશભાઈ ડામોરનો સમાવેશ કરાયો છે આ કાર્યક્રમના અંતમાં હિતેશભાઈ જાદવ દ્વારા આભાર વિધિ કરવામાં આવેલ હતી