મોરબીના શંકર આશ્રમ ખાતે શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેના વ્યાસાસને કથા યોજાશે
મોરબીમાં રવિવારે રાજપૂત સમાજ દ્વારા વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાશે
SHARE
મોરબીમાં રવિવારે રાજપૂત સમાજ દ્વારા વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાશે
મોરબી દર વર્ષે રાજપૂત સમાજ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ રાખવામા આવે છે આવી જ રીતે આગામી તા. ૩૧ ને રવિવારના રોજ બપોરે ૧૨:૩૦ કલાકે મોરબીના સામાકાંઠે વિસ્તારમાં આવેલ પંચમુખી હનુમાનજી મંદિરના સત્સંગ હોલ ખાતે સરસ્વતી સન્માન સમારોહ યોજાશે
રાજપૂત સમાજ દ્વારા ધો. ૫ થી અનુસ્નાતક કક્ષા સુધીના વિદ્યાર્થી તેમજ વિવિધ ક્ષેત્રેમાં સિધ્ધી મેળવનારા સમાજના વિદ્યાર્થીઓ અને પ્રતિભાવંત મહાનુભાવોને પુરસ્કાર આપીને સન્માનીત કરવામાં આવશે આ તકે શંકરસિંહ વાઘેલા, કિરીટસિંહ રાણા, કીર્તિસિંહ વાઘેલા, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદિપસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ જાડેજા, પ્રદ્યુમનસિંહ જાડેજા, ગીતાબા જાડેજા, ગાયત્રીબા વાઘેલા, આઈ.કે. જાડેજા, ડો. રુદ્રસિંહ ઝાલા, અશોકસિંહ પરમાર, દેવેન્દ્રસિંહ ઝાલા, મહાવીરસિંહ ઝાલા, પૃથ્વીસિંહ જાડેજા, પી.એમ.જાડેજા, ડો. અર્જુનસિંહ રાણા તેમજ સંદીપસિંહ ઝાલા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે તેવું સમાજના પ્રમુખ રઘુવીરસિંહ જાડેજા અને મહામંત્રી મહાવીરસિંહ જાડેજાએ જણાવ્યુ છે









