ટંકારાના છતર ગામના જેઠાણી-દેરાણી સહિત 7 પદયાત્રીઓને વિરમગામ નજીક ટ્રક ચાલકે કચડી નાખ્યા મોરબીમાં નજીવી રકમ માટે મિત્રનું મર્ડર કરી ૨૪ વર્ષથી ફરાર આરોપી પકડાયો મોરબીના યુવાશક્તિ ફાઉન્ડેશન-જડેશ્વર જીવદયા ગ્રુપ દ્વારા જીવદયાનો અનોખો પ્રયાસ મોરબીના આમરણ ગામે જુદીજુદી ત્રણ સંસ્થા દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો મોરબી આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાની કુશળતાએ વૃદ્ધનું જીવન બચાવ્યુ છેલ્લા એક માહિનામાં મોરબીના પ્રત્યેક સિરામિક ઉદ્યોગકારને 50 લાખથી 1.5 કરોડનું નુકશાન: મનોજભાઇ એરવાડીયા મોરબી મહાપાલિકાની ચુંટણીમાં પક્ષ-અપક્ષ સહિત 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા: બુધવારે ચિત્ર સ્પષ્ટ થશે મોરબીના શનાળા ગામ પાસે કારના સર્વિસ સ્ટેશનમાં આગ લાગતા દોડધામ
Breaking news
Morbi Today

મોરબીના શંકર આશ્રમ ખાતે શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેના વ્યાસાસને કથા યોજાશે


SHARE













મોરબીના શંકર આશ્રમ ખાતે શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેના વ્યાસાસને કથા યોજાશે

મોરબીમાં પડાપુલ પાસે આવેલ નીલકંઠ મહાદેવ મંદિર શંકર આશ્રમ ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. અને આગામી ૩ ઓગસ્ટથી ૯ ઓગસ્ટ સુધી કથા યોજાશે તેમાં વ્યાસપીઠ ઉપર કથાકાર કૃષ્ણચંદ્ર દિલીપભાઈ દવે લોકોને કથાનું રસપાન કરાવશે

આ કથા દરમિયાન પોથીયાત્રા, શ્રીમદ ભાગવત માહાત્મય, કપિલ પ્રાગટ્ય, નરસિંહ પ્રાગટ્ય, વામન પ્રાગટ્ય, રામ જન્મ, શ્રીકૃષ્ણ જન્મ, ગોવર્ધન પૂજા, રૂક્ષ્મણી વિવાહ, શ્રીસુદામાચરિત્ર, પરીક્ષિત મોક્ષ જેવા પ્રસંગો ઉજવાશે આ કથાનો સમય બપોરે ૩ થી ૬ કલાક રહેશે. જેથી કરીને જાહેર જનતાને કથાનું રસપાન કરવા માટે આયોજકે અનુરોધ કરેલ છે અને કોઈપણ યજમાનો પોતાના પિતૃઓના ફોટા રાખી અને પોથી પાટલા રાખી શકશે તેના માટે મો.૮૦૦૦૯ ૧૧૪૪૪ ઉપર સંપર્ક કરવા માટે કહ્યું છે

હળવદમાં ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે

રોજગાર વિનિમય કચેરી મોરબી દ્વારા તા ૨૭-૭ ના રોજ  સવારે ૧૧:૦૦ કલાકે ગ્રાન્ટ ઈન એઈડ, સરા રોડ, આઈ.ટી.આઈ. હળવદ ખાતે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.આ ભરતી મેળામાં મોરબી  જિલ્લાના  ખાનગી ક્ષેત્રોના વિવિધ નોકરીદાતાઓ ઉપસ્થિત રહીને વિનામુલ્યે પસંદગીની કાર્યવાહી કરશે, જેથી ખાનગી ક્ષેત્રે નોકરી મેળવવા ઇચ્છુક, નોન મેટ્રીક/એસએસસી/એચએચસી/આઇટીઆઇ/સ્નાતક વગેરેની લાયકાત ધરાવતા તથા ૧૮ થી ૩૫ વર્ષની ઉંમર ધરાવતા ઉમેદવારોએ, તેમના તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇજના ફોટોગ્રાફ, અધારકાર્ડ, બાયોડાટા વગેરે સાથે સ્વખર્ચે ભરતીના સ્થળે,  નિયત સમયે  અને તારીખે અચુક ઉપસ્થિત રહેવું. રોજગાર વિનિમય કચેરી ખાતે નામ નોંધણી નહી કરાવેલ ઉમેદવારો પણ હાજર રહી શકશે તેમ મોરબી જિલ્લા રોજગાર અધિકારીની અખબારી યાદીમાં જણાવાયું છે.






Latest News