મોરબી નવયુગ ગૃપ ઓફ એજ્યુકેશન દ્વારા માતા-પિતા પૂજન દિવસની ઉજવણી કરાઈ મોરબીની GMERS જનરલ હોસ્પિટલમાં 20 વર્ષની યુવતીની જટિલ સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી મોરબી: NMMS 2025-2026 ની પરીક્ષામાં વનાળિયા પ્રાથમિક શાળાનું શ્રેષ્ઠ પરિણામ મોરબીના લીલાપર ગામ નજીક પુલ પાસે વળાંકમાં છકડો રીક્ષાએ મારી પલટી: બનાવનો વિડિયો વાયરલ મોરબી જીલ્લામાં ધો. 10-12 માં કુલ 22,870 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે, પરિક્ષા સમિતિની બેઠક યોજાઇ મોરબીના રફાળેશ્વર ગામે શિવરાત્રી નિમિતે આજથી બે દિવસીય મેળો શરૂ: રાઈડસ-પાર્કિંગના ભાવનું બાંધણું કરાયું વાંકાનેરમાં ઈલેક્ટ્રિક શૉક લાગવાથી ગંભીર બનેલા ૮ માસના માસુમ બાળક માટે ૧૦૮ બની દેવદૂત મોરબીમાં મહાશિવરાત્રીના દિવસે કતલખાના બંધ રાખવા જાહેરનામું પ્રસિદ્ધ: નોનવેજના વેચાણ ઉપર પ્રતિબંધ
Breaking news
Morbi Today

વાંકાનેરના વરડુસરનો બનાવ : તું અહીંથી કેમ ચાલે છે આ મારું ખેતર છે તેવું કહીને નાનાભાઈએ મોટાભાઈને માર માર્યો..!


SHARE













વાંકાનેરના વરડુસરનો બનાવ : તું અહીંથી કેમ ચાલે છે આ મારું ખેતર છે તેવું કહીને નાનાભાઈએ મોટાભાઈને માર માર્યો..!

વાંકાનેર તાલુકાના વરડુસર ગામે રહેતો યુવાન તેના ખેતર તરફ જતો હતો અને તેના નાના ભાઈના ખેતરમાંથી રસ્તો નીકળતો હોય તે ત્યાંથી પસાર થતાં તેને રોકીને “તું અહીંથી કેમ ચાલે છે આ મારું ખેતર છે” તેવું કહીને તેને ગાળોને ઝઘડો કરીને લાકડીના ધોકા વડે તેને માર માર્યો હતો જેથી ઈજા પામેલા યુવાનને સારવારમાં લાવ્યા હતા ત્યાર બાદ યુવાને પોતાના નાના ભાઈની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર તાલુકાના વરડુસર ગામે રહેતા મનસુખભાઈ જાદુભાઈ નદાસિયા જાતે કોળી (ઉમર 32)એ તેના નાના ભાઈ જયસુખભાઈ જાદુભાઈ નદાસિયા જાતે કોળી રહે વરડુસર વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે વરડુસર ગામેથી ભેરડાના રસ્તે ઝંડિયાવાળા ખેતરમાં તેને તેના નાના ભાઈએ માર માર્યો હતો જેથી તેને ઈજા થતાં સારવારમાં ખસેડવામાં આવ્યો હતો વધુમાં તેને જણાવ્યું છે કે પોતાનું ખેતર તેના નાના ભાઈના ખેતરની બાજુમાં જ આવેલ છે અને બંનેના ખેતર તરફ જવાનો એક જ રસ્તો હોય તે રસ્તા ઉપરથી ફરિયાદી મનસુખભાઈ પસાર થઈ રહ્યા હતા ત્યારે “તું અહીંથી કેમ ચાલે છે આ ખેતર મારું છે” તેવું કહીને તેના નાના ભાઈએ તેને ગાળો આપીને ઝઘડો કર્યો હતો અને ત્યારબાદ લાકડી વડે માર માર્યો હતો જેથી ભોગ બનેલા મનસુખભાઈને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેને પોતાના નાનાભાઈની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.






Latest News