મોરબીમાં દારૂના ગુનામાં સંડોવાયેલ બે શખ્સ પાસે હેઠળ જેલલ હવાલે: હળવદ તાલુકાના દારૂના ગુનામાં આરોપી 13 વર્ષે ઝડપાયો વાંકાનેર પાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ત્રણ બેઠક બિન હરીફ !, ભાજપ વર્ષોથી વોર્ડ 4 માં ઉમેદવાર ઉભા રાખતી જ નથી મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોણે કોણે ભર્યા ઉમેદવારી પત્રો: પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પક્ષ-અપક્ષ સહિત કુલ 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા મોરબીમાં 3 સંતાન હોય આપના મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાઈ તે સ્થિતિ સર્જાતા તાત્કાલિક ઉમેદવાર બદલાવ્યા: હવે 52 ઉમેદવારો ચૂંટણીના જંગમાં તૈયાર ભારે કરી: મોરબી મહાપાલિકામાં 52 પૈકી 3 બેઠક ઉપર કોંગ્રોસના ઉમેદવારી પત્ર ભરાયા જ નહી ! વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર
Breaking news
Morbi Today

મોરબીની આંગડિયા પેઢીના ૩૦ લાખથી વધુની રોકડ ભરેલા થેલાની ઉઠાંતરી ?, ફરિયાદી શંકાના દાયરામાં


SHARE













મોરબીની આંગડિયા પેઢીના ૩૦ લાખથી વધુની રોકડ ભરેલા થેલાની ઉઠાંતરી ?, ફરિયાદી શંકાના દાયરામાં

મોરબીની આંગડિયા પેઢીના બે વ્યક્તિ જુદાજુદા ત્રણ થેલામાં રોકડ રકમ તેમજ સોના-ચાંદીના દાગીના ભરીને ભુજ તરફથી મોરબી આવી રહ્યા હતા. ત્યારે રસ્તામાં એસટી બસમાં તેઓનો રોકડ રકમ ભરેલ થેલો ઉપડી ગયો હોવાનું તેમને મોરબી આવીને જાણ થઈ હતી..! જેથી કરીને મોરબી જીલ્લામાં પોલીસ દ્વારા નાકાબંધી કરાવવામાં આવી હતી જોકે બનાવ મોરબી પંથકમાં બન્યો છે કે રસ્તામાં અન્ય કોઇ જગ્યાએ બન્યો છે..? તે અંગે હાલ તપાસ ચાલી રહી છે. જોકે ફરિયાદી એટલે કે આંગણીયા પેઢીના કર્મચારીએ જે પ્રકારે વર્ણન કર્યું છે તેને લઈને ખુદ ફરિયાદી (આંગડિયા પેઢીનો કર્મચારી) જ શંકાના દાયરામાં હોય મોરબી જીલ્લા પોલીસ દ્વારા આ અંગે ઘનિષ્ઠ તપાસ હાથ ધરવામાં આવી છે.

સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીની મહેન્દ્ર પ્રવીણ આંગડિયા પેઢીના બે કર્મચારી ભુજ તરફથી એસટી બસમાં બેસીને મોરબી આવી રહ્યા હતા ત્યારે તેઓ પાસે લગભગ ત્રણ થેલાઓ હતા.જેમાં જાણવા મળ્યા મુદદે એક થેલામાં આશરે ૩૦ થી ૩૫ લાખ રોકડા હતા. જ્યારે બીજા થેલામાં સોના-ચાંદીના દાગીના હતા. આમ કુલ ત્રણ થેલા લઈને આંગડિયા પેઢીના બે કર્મચારીઓ ભુજ તરફથી ભાવનગર ડિવિઝનની એસટી બસમાં બેસીને મોરબી તરફ આવી રહ્યા હતા. ત્યારે મોરબી પહોંચ્યા બાદ તેઓને જાણવા મળ્યું હતું કે તેઓનો ત્રણ થેલા પૈકીનો રોકડા રૂપિયા ૩૦ થી ૩૫ લાખ જેવી માતબાર રકમ ભરેલો થેલો ગુમ છે. તેથી તેઓએ પોલીસનો સંપર્ક કર્યો હતો. માટે પોલીસે તાત્કાલિક મોરબી જીલ્લામાં નાકાબંધી કરાવી હતી. જો કે બનાવ મોરબી પંથકમાં ક્યાંય બન્યો છે કે..? કે આગળ ક્યાંય બનાવ બન્યો છે..? તે હાલ તપાસનો વિષય છે.જોકે ફરિયાદીના વર્ણન ઉપરથી ફરિયાદી એટલે કે આંગડિયા પેઢીનો કર્મચારી જ શંકાસ્પદ જણાતો હોય તે દિશામાં પણ પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. હાલ જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીના માર્ગદર્શન હેઠળ મોરબી એલસીબી, એસઓજી અને મોરબી સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા આ અંગે આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.






Latest News