દેશને અંગદાન, દેહદાન અને પર્યાવરણનું જતન આ ત્રણ મેસેજ આપવા માટે દિલ્હીના ડીસીપી વિપુલ અનેકાંત દ્વારા સાયકલ યાત્રા દીકરીના જન્મ દિવસની અનોખી ઉજવણી: મોરબીમાં 11,111 બાજરાના રોટલા ગાયોને ખવડાવવા માટે 70 ચૂલા ચાલુ કર્યા મોરબીમાં શિવરાત્રિ નિમિતે સમસ્ત સતવારા સમાજ-જય મહાકાલ ગ્રુપ દ્વારા દર ભવ્ય શોભાયાત્રા યોજાઇ મોરબી સિરામિક એસો.ના હૉલ ખાતે જીએસટી અધિકારીઓ દ્વારા સેમિનાર યોજાયો માળીયા (મી) પાલિકાના ભાજપના માજી સભ્ય કમળને રામ રામ કરીને કોંગ્રેસ પક્ષમાં જોડાયા મોરબીના લીલાપર નજીક યુવાન ઉપર અજાણ્યા ત્રણ શખ્સ દ્વારા છરી વડે હુમલો: પેટ, છાતી, વાંસા અને નાક પાસે છરીના ઘા ઝીકયા મોરબીમાં સિરામિક કારખાનેદાર સહિત 5 સામે અકસ્માતના બનાવમાં બેદરકારી-રાજ્ય સેવકને ખોટી માહિતી આપવાનો ગુનો નોંધાયો માળીયા (મી)ના વાધરવા ગામ પાસે બંધ ટ્રકની પાછળ ટ્રક અથડાતાં યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી સહિત ગુજરાતમાં ખેડૂતોના ખેતર અને લોકોના ઘર સુધી મળી રહ્યો છે નિરંતર વીજ પુરવઠો : બ્રિજેશભાઇ મેરજા


SHARE













મોરબી સહિત ગુજરાતમાં ખેડૂતોના ખેતર અને લોકોના ઘર સુધી મળી રહ્યો છે નિરંતર વીજ પુરવઠો : બ્રિજેશભાઇ મેરજા

મોરબી નજીકના સનાળા ગામ પાસે આવેલ પટેલ સમાજ વાડી ખાતે વીજ તંત્ર દ્વારા આજે ઉજ્જવલ ભારત ઉજવલ ભવિષ્ય અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો જેમાં વીજ તંત્ર દ્વારા છેલ્લા વર્ષોમાં ગુજરાતના ગામડે ગામડે ખૂણે ખૂણે સુધી વીજ લાઈન પાથરીને વીજ પુરવઠો પહોંચાડવા માટેની કામગીરી કરવામાં આવી છે તેની સાથોસાથ છેલ્લા વર્ષોમાં કેન્દ્ર સરકાર દ્વારા દેશના જુદા જુદા રાજ્યની અંદર જે ગામડાઓમાં વર્ષોથી વિજય પુરવઠો પહોંચ્યો ન હતો ત્યાં સુધી ન માત્ર વીજ પુરવઠો પહોંચાડવાની કામગીરી પરંતુ ઘર ઘર સુધી વીજળી પહોંચાડવાની જે કામગીરી કરવામાં આવી છે તેની ઝાંખી દર્શાવતો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને તેની સાથે વર્ષ ૨૦૪૭ સુધીમાં વીજ તંત્ર દ્વારા કઈ પ્રકારની કામગીરી કરવામાં આવશે અને કઈ રીતે લોકોને નિરંતર વીજ પુરવઠો મળતો રહેશે તેની માહિતી અધિકારીઓ દ્વારા આપવામાં આવી હતી

આ કાર્યક્રમમાં રાજ્યના પંચાયત વિભાગના મંત્રી અને મોરબી માળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા, મોરબી નગરપાલિકાના પ્રમુખ કુસુમબેન પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, મહામંત્રી જયુભા જાડેજા, જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના અધ્યક્ષ જયંતીભાઈ પડસુંબિયા, જિલ્લા પંચાયતની આરોગ્ય સમિતિના ચેરમેન હીરાભાઈ ટમારીયા, મોરબી સિરામિક એસોસિયેશનના પ્રમુખ વિનોદભાઈ ભાડેજા અને કિરીટભાઈ પટેલ, માજી પ્રમુખ નિલેશભાઈ જેતપરિયા, મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા, મોરબી તાલુકા ભાજપના પ્રમુખ અરવિંદભાઇ વાસદડિયા, મોરબી તાલુકા પંચાયતની કારોબારી સમિતિના ચેરમેન રાકેશભાઈ કાવર, મોરબી તાલુકા યુવા ભાજપના પ્રમુખ નિતેશભાઇ બાવરવા સહિતના આગેવાનો કાર્યક્રમમાં હાજર રહ્યા હતા

ત્યારે લોકોને સંબોધન કરતા રાજ્યના પંચાયત વિભાગના મંત્રી બ્રિજેશભાઈ મેરજાએ જણાવ્યું હતું કે છેલ્લા વર્ષોમાં વીજ તંત્ર દ્વારા જે કામગીરી કરવામાં આવી છે તેના કારણે આજે ખેડૂતોને તેઓના ખેતર સુધી અને લોકોને તેઓના ઘર સુધી નિરંતર વીજ પુરવઠો મળી રહ્યો છે અને પહેલા ગુજરાતમાં વીજ પુરવઠાની ખાધ હતી જેની બદલે આજે ગુજરાતમાં જે વીજ પુરવઠો ઉત્પન્ન થાય છે તેનું અન્ય રાજ્યોમાં વેચાણ કરવામાં આવી રહ્યું છે જે બતાવે છે કે વીજતંત્ર દ્વારા જે કામગીરી કરવામાં આવી છે તેના થકી લોકોના ઘર સુધી અજવાળા પહોંચ્યા છે આમ આગામી વર્ષોમાં પણ સરકારના માધ્યમથી જે કંઈ કામગીરી કરવામાં આવશે તેના ફળ સ્વરૂપે લોકોની સુખાકારીમાં સો ટકા વધારો થશે તેવી લાગણી રાજ્યના પંચાયત વિભાગના મંત્રી બ્રિજેશભાઈ વ્યક્ત કરી હતી






Latest News