દેશને અંગદાન, દેહદાન અને પર્યાવરણનું જતન આ ત્રણ મેસેજ આપવા માટે દિલ્હીના ડીસીપી વિપુલ અનેકાંત દ્વારા સાયકલ યાત્રા દીકરીના જન્મ દિવસની અનોખી ઉજવણી: મોરબીમાં 11,111 બાજરાના રોટલા ગાયોને ખવડાવવા માટે 70 ચૂલા ચાલુ કર્યા મોરબીમાં શિવરાત્રિ નિમિતે સમસ્ત સતવારા સમાજ-જય મહાકાલ ગ્રુપ દ્વારા દર ભવ્ય શોભાયાત્રા યોજાઇ મોરબી સિરામિક એસો.ના હૉલ ખાતે જીએસટી અધિકારીઓ દ્વારા સેમિનાર યોજાયો માળીયા (મી) પાલિકાના ભાજપના માજી સભ્ય કમળને રામ રામ કરીને કોંગ્રેસ પક્ષમાં જોડાયા મોરબીના લીલાપર નજીક યુવાન ઉપર અજાણ્યા ત્રણ શખ્સ દ્વારા છરી વડે હુમલો: પેટ, છાતી, વાંસા અને નાક પાસે છરીના ઘા ઝીકયા મોરબીમાં સિરામિક કારખાનેદાર સહિત 5 સામે અકસ્માતના બનાવમાં બેદરકારી-રાજ્ય સેવકને ખોટી માહિતી આપવાનો ગુનો નોંધાયો માળીયા (મી)ના વાધરવા ગામ પાસે બંધ ટ્રકની પાછળ ટ્રક અથડાતાં યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીને નવો જેતપર તાલુકો અને મોરબી પાલિકાને મહાપાલિકા દરરજો આપવા સીએમને માજી મંત્રીની રજૂઆત


SHARE













મોરબીને નવો જેતપર તાલુકો અને મોરબી પાલિકાને મહાપાલિકા દરરજો આપવા સીએમને માજી મંત્રીની રજૂઆત

મોરબીના સ્થાનિક લોકો, વિવિધ સીરામીક એસોસીએશનો, ટ્રસ્ટો અને જિલ્લાના સુગ્ન આગેવાનો તથા આસપાસના વિસ્તારમાં લોકોની સુવિધાઓ વધે તે માટે જયંતિભાઇ કવાડીયા દ્વારા સીએમને રજૂઆત કરવામાં આવી છે કે, મોરબી અને માળીયા તાલુકાનું વિભાજન કરીને નવો તાલુકો આપવામાં આવે અને મોરબી પાલિકાને મહાપાલિકાનો દરરજો આપવામાં આવે તેની માંગ કરી છે

મોરબીના ઔદ્યોગિક એકમોના ઉદ્યોગપતિઓ સહિતના લોકો દ્વારા માજી મંત્રી જયંતિભાઇ કવાડીયાને રજૂઆતો કરવામાં આવી હતી તેના આધારે તેઓએ હાલમાં સીએમને રજૂઆત કરવામાં આવી છે જેમાં જણાવ્યુ છે કે, મોરબી તાલુકામાં અંદાજે ૧૦૪ જેટલાં ગામો આવે છે અને જામનગર જિલ્લાના જોડીયા તાલુકાના પણ અમૂક ગામોનો સમાવેશ કરવામાં આવતાં મોરબી તાલુકો ૧૧૨ જેટલા ગામો થાય છે તેમજ માળીયા તાલુકાનો સમાવેશ થાય છે જેથી મોરબી અને માળીયા (મી) બે તાલુકાનું વિભાજન કરીને  નવો ત્રીજો તાલુકો જેતપર તાલુકો બનાવવામાં આવે તેવી માંગ કરી છે તેમજ મોરબી દિન પ્રતિદિન ઔદ્યોગિક અને સામાજિક રીતે વિકસિત થતુ જાય છે ત્યારે ઉદ્યોગપતિઓ સહિતના દ્વારા કરવામાં આવેલ રજૂઆતોને ધ્યાને લઈને મોરબી પાલિકાના તેમજ આજુબાજુના વિસ્તારની વસ્તીને જોતાં મહાનગરપાલિકાનો દરરજો આપવામાં આવે તે જરૂરી છે






Latest News