મોરબીને નવો જેતપર તાલુકો અને મોરબી પાલિકાને મહાપાલિકા દરરજો આપવા સીએમને માજી મંત્રીની રજૂઆત
SHARE
મોરબીને નવો જેતપર તાલુકો અને મોરબી પાલિકાને મહાપાલિકા દરરજો આપવા સીએમને માજી મંત્રીની રજૂઆત
મોરબીના સ્થાનિક લોકો, વિવિધ સીરામીક એસોસીએશનો, ટ્રસ્ટો અને જિલ્લાના સુગ્ન આગેવાનો તથા આસપાસના વિસ્તારમાં લોકોની સુવિધાઓ વધે તે માટે જયંતિભાઇ કવાડીયા દ્વારા સીએમને રજૂઆત કરવામાં આવી છે કે, મોરબી અને માળીયા તાલુકાનું વિભાજન કરીને નવો તાલુકો આપવામાં આવે અને મોરબી પાલિકાને મહાપાલિકાનો દરરજો આપવામાં આવે તેની માંગ કરી છે
મોરબીના ઔદ્યોગિક એકમોના ઉદ્યોગપતિઓ સહિતના લોકો દ્વારા માજી મંત્રી જયંતિભાઇ કવાડીયાને રજૂઆતો કરવામાં આવી હતી તેના આધારે તેઓએ હાલમાં સીએમને રજૂઆત કરવામાં આવી છે જેમાં જણાવ્યુ છે કે, મોરબી તાલુકામાં અંદાજે ૧૦૪ જેટલાં ગામો આવે છે અને જામનગર જિલ્લાના જોડીયા તાલુકાના પણ અમૂક ગામોનો સમાવેશ કરવામાં આવતાં મોરબી તાલુકો ૧૧૨ જેટલા ગામો થાય છે તેમજ માળીયા તાલુકાનો સમાવેશ થાય છે જેથી મોરબી અને માળીયા (મી) બે તાલુકાનું વિભાજન કરીને નવો ત્રીજો તાલુકો જેતપર તાલુકો બનાવવામાં આવે તેવી માંગ કરી છે તેમજ મોરબી દિન પ્રતિદિન ઔદ્યોગિક અને સામાજિક રીતે વિકસિત થતુ જાય છે ત્યારે ઉદ્યોગપતિઓ સહિતના દ્વારા કરવામાં આવેલ રજૂઆતોને ધ્યાને લઈને મોરબી પાલિકાના તેમજ આજુબાજુના વિસ્તારની વસ્તીને જોતાં મહાનગરપાલિકાનો દરરજો આપવામાં આવે તે જરૂરી છે