મોરબીના ગ્રીન ચોકમાં તાજીયાની ધમાલ લેતી વખતે છરી છાતીમાં ઘુસી જતા અબ્દુલશાનું સારવાર દરમિયાન મોત મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં સિરામિક ટ્રેડર્સ એસો. દ્વારા કાર રેલી યોજાઈ, બે-ત્રણ દિવસમાં આંદોલનનો સુખદ અંત આવે તેવી શકયતા મોરબી મચ્છુ-૨ ડેમમાં ન્હાવા પડેલા બે પૈકી એક યુવાનનું ડુબી જવાથી મોત વાંકાનેરના જેતપરડા ગામે માસુમ સેવા ફાઉન્ડેશ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો મોરબીમાં હિન્દુ સામ્રાજ્ય દિવસ નિમિત્તે રવિવારે ભવ્ય બાઇક મશાલ રેલીનું આયોજન મોરબીના ગુંગણ ગામ નજીક બાઈક જેસીબી સાથે અથડાતા યુવાનનું મોત મોરબીના ગ્રીન ચોકમાં તાજીયાની ધમાલ લેતી વખતે છરી છાતીમાં ઘુસી જતા અબ્દુલશાને ગંભીર ઈજા, પ્રૌઢ રાજકોટ સિવિલમાં સારવાર હેઠળ  માળીયા મીયાણાના ઘાટીલા ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવતીનું સારવાર દરમિયાન મોત
Breaking news
Morbi Today

મોરબીને નવો જેતપર તાલુકો અને મોરબી પાલિકાને મહાપાલિકા દરરજો આપવા સીએમને માજી મંત્રીની રજૂઆત


SHARE









મોરબીને નવો જેતપર તાલુકો અને મોરબી પાલિકાને મહાપાલિકા દરરજો આપવા સીએમને માજી મંત્રીની રજૂઆત

મોરબીના સ્થાનિક લોકો, વિવિધ સીરામીક એસોસીએશનો, ટ્રસ્ટો અને જિલ્લાના સુગ્ન આગેવાનો તથા આસપાસના વિસ્તારમાં લોકોની સુવિધાઓ વધે તે માટે જયંતિભાઇ કવાડીયા દ્વારા સીએમને રજૂઆત કરવામાં આવી છે કે, મોરબી અને માળીયા તાલુકાનું વિભાજન કરીને નવો તાલુકો આપવામાં આવે અને મોરબી પાલિકાને મહાપાલિકાનો દરરજો આપવામાં આવે તેની માંગ કરી છે

મોરબીના ઔદ્યોગિક એકમોના ઉદ્યોગપતિઓ સહિતના લોકો દ્વારા માજી મંત્રી જયંતિભાઇ કવાડીયાને રજૂઆતો કરવામાં આવી હતી તેના આધારે તેઓએ હાલમાં સીએમને રજૂઆત કરવામાં આવી છે જેમાં જણાવ્યુ છે કે, મોરબી તાલુકામાં અંદાજે ૧૦૪ જેટલાં ગામો આવે છે અને જામનગર જિલ્લાના જોડીયા તાલુકાના પણ અમૂક ગામોનો સમાવેશ કરવામાં આવતાં મોરબી તાલુકો ૧૧૨ જેટલા ગામો થાય છે તેમજ માળીયા તાલુકાનો સમાવેશ થાય છે જેથી મોરબી અને માળીયા (મી) બે તાલુકાનું વિભાજન કરીને  નવો ત્રીજો તાલુકો જેતપર તાલુકો બનાવવામાં આવે તેવી માંગ કરી છે તેમજ મોરબી દિન પ્રતિદિન ઔદ્યોગિક અને સામાજિક રીતે વિકસિત થતુ જાય છે ત્યારે ઉદ્યોગપતિઓ સહિતના દ્વારા કરવામાં આવેલ રજૂઆતોને ધ્યાને લઈને મોરબી પાલિકાના તેમજ આજુબાજુના વિસ્તારની વસ્તીને જોતાં મહાનગરપાલિકાનો દરરજો આપવામાં આવે તે જરૂરી છે






Latest News